SearchBrowseAboutContactDonate
Page Preview
Page 770
Loading...
Download File
Download File
Page Text
________________ જીવતા જાગતા પ્રયાગસિદ્ધ સમયસાર એવ’ભૂત દૃષ્ટિથી ઋજીસૂત્ર સ્થિતિ કર. જીસૂત્ર દૃષ્ટિથી એવ’ભૂત સ્થિતિ કર. નગમ દૃષ્ટિથી એવ’ભૂત પ્રાપ્તિ કર એવ ભૂત દૃષ્ટિથી તૈગમ વિશુદ્ધ કર. સંગ્રહ દૃષ્ટિથી એવભૂત થા એવ’ભૂત દૃષ્ટિથી સંગ્રહ વિશુદ્ધ કર, વ્યવહાર દૃષ્ટિથી એવ’ભૂત પ્રત્યે જા એવ’ભૂત દૃષ્ટિથી વ્યવહાર વિનિવૃત્ત કર. શબ્દ દૃષ્ટિથી એવ ભૂત પ્રત્યે જા, એવભૂત દૃષ્ટિથી શબ્દ નિવિકલ્પ કર સમભિરૂદ્ધ દૃષ્ટિથી એવ’ભૂત અવલાક, એવ ભૂત દૃષ્ટિથી સમભિરૂદ્ધ સ્થિતિ કર, એવ’ભૂત દૃષ્ટિથી એવ‘ભૂત થા. એવ‘ભૂત સ્થિતિથી એવભૂત દૃષ્ટિ શમાવ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ.'—હાથનેાંધ ૨-૧૬ ૭૨૧ આમ સાત નયની આત્મામાં અદ્ભુત ઘટના કરતા આ મહાન્ પરમાથ ગભીર ચતુર્દશ સૂત્રેામાં-સત્ર તેવા પ્રકારની તથારૂપ દશાવાળી એવ ભૂત દૃષ્ટિની અને એવ ભૂત સ્થિતિની શ્રીમની આત્મભાવના વ્યાપક છે. એટલે તે શ્રીમની એવભૂત સહજાત્મસ્વરૂપ સ્થિતિએ આરોહણ કરતી ઊગામિની સમયસારદશા શુદ્ધ આત્મદશા પર ઘણા પ્રકાશ નાંખે છે. (આશય માટે જુએ નીચેની પાદનોંધ). * આ ગહન સૂત્રેાના આ ચરિત્રાલેખકને યકચિત્ યથામતિ સમજાયેલા આશય વિચક્ષણ વાંચકાની વિશેષ વિચારણાર્થે અત્ર દિન માત્ર આપ્યા છે— (૧) એવ ભૂત દૃષ્ટિથી ઋજીસૂત્ર સ્થિતિ ક’—જેવા પ્રકારે શુદ્ધ નિશ્ચયથી આત્માની એવભૂત શુદ્ધ સ્વરૂપસ્થિતિ છે, તે દૃષ્ટિ લક્ષમાં રાખી ૠજુત્રપણે વમાન પર્યાયમાં તથાપ્રકારે સ્થિતિ કર ! એટલે કે વ માનમાં શુદ્ઘસ્વરૂપમાં વત્ત. જીસૂત્ર દૃષ્ટિથી એવ‘ભૂત સ્થિતિ કર.— અને વમાન પર્યાયથી ઋજીસૂત્રની દૃષ્ટિએ પણ જેવા પ્રકારે આત્માનું એવ ભૂત શુદ્ધ નિશ્રયસ્વરૂપ છે, તેવા પ્રકારે સ્થિતિ કર ! અથવા વમાન વ્યવહારરૂપ આચરણની દૃષ્ટિએ પણુ જેવું શુદ્ધ આત્મસ્વરૂપ છે તેવી સ્થિતિ કર ! શુદ્ધ સ્વરૂપસ્થ થા ! (૨) ‘નગમ દૃષ્ટિથી એવભૂત પ્રાપ્તિ કર.'—નૈગમ દષ્ટિથી એટલે કે જેવા પ્રકારે ચૈતન્યલક્ષણથી આત્મા લેાકપ્રસિદ્ધ વ્યવહારથી વ્યવહારાય છે, અથવા અશગ્રાહી મૈગનંદૃષ્ટિથી જણાય છે, તે દૃષ્ટિથી-તે લક્ષમાં રાખી એવ ભૂત શુદ્ધ ચૈતન્યસ્વરૂપે સ્થિતિ કર ! અથવા નૈગમ એટલે જેવા પ્રકારે વીતરાગભક્તિ, વૈરાગ્યમાદિ મેાક્ષસાધક વ્યવહાર લાકપ્રસિદ્ધ છે તે દૃષ્ટિથી-તથારૂપ વ્યવહારગ્માચરણની દૃષ્ટિથી કે આવા શુદ્ધ આત્મા મ્હારે પ્રગટ કરવા છે એવી સંકલ્પરૂપ નૈગમ દૃષ્ટિયી એવ ભૂત એટલે કે જેવા પ્રકારે આત્મસ્વરૂપ છે તેવા પ્રકારે થા! આ લેાકપ્રસિદ્ધ વ્યવહાર આચરીને પણ નિરંતર એવભૂત–યથાક્ત આત્મસ્વરૂપ પામવાના જ લક્ષ રાખ! એવ’ભૃત દૃષ્ટિથી નગમ વિશુદ્ધ કર.’અને એવભૂત દૃષ્ટિથી એટલે સાધ્ય એવા શુદ્ધ આત્મસ્વરૂપને નિરંતર લક્ષમાં રાખી નૈગમથી ચૈતન્યલક્ષણુ આત્માને વિશુદ્ધ કર ! મથવા લેાકપ્રસિદ્ધ માક્ષસાધક વ્યવહારને વિશુદ્ધ કર ! અ-૯૧
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy