________________
ઇડરના પહાડા ગજાવતા સિદ્ધ ચાગી
૬૮૯
દીઘ સ્થિતિ કરતાં આ પરમ પુરુષસિંહ આત્મમસ્ત અવધૂત ચેાગીન્દ્ર ઇડરના પહાડામાં ને ગુફામાં નિ`ય કેસરિસિંહની જેમ એકાકી અક્ષાભપણે વિચર્યાં. પરમ અસગપણે પરમ અસંગ શુદ્ધ ચૈતન્યનું ધ્યાન ધરતા આ આત્મમગ્ન મહામુની દ્ર (ભાવથી) શુદ્ધ આત્મદશા સિદ્ધ કરી—સાક્ષાત શુદ્ધ આત્મા સિદ્ધ કરી નિષ્પન્ન ચેાગી— સિદ્ધયાગી બન્યા. પેાતાની અલૌકિક ધૂનાના દિવ્ય ધ્વનિથી ઇડરની ગિરિકંદરાએને ને ઇડરના પરિસરાને ગજાવતા આ આત્મારામી મહામુનીંદ્ર આ પુરાણપ્રસિદ્ધ ભૂમિને પેાતાના પાદસ્પર્શ થી પાવન કરતા વિચર્યાં. ઇડરના પહાડાને ગજાવતા અને અપ્રમત્ત શુદ્ધ આત્માને જગાવતા આવા આ સિદ્ધ ચેાગીશ્વરનું તાદૃશ્ય દર્શન અત્ર કરાવશું.
આ ઇડરની ભૂમિનું શ્રીમને કોઈ ખાસ નૈસર્ગિક આકષ ણુ હતું. પૂર્વ જન્મામાં અત્ર અનુભૂત ક્ષેત્રસ્થિતિ તેમને સ્મરણમાં આવી ગઈ હતી, અને તેથી તેના આત્મ સુખદ સંસ્મરણેા તેમને જાગ્યા હૈાય એ સહજ સ્વાભાવિક છે. કારણકે શ્રીમદ્ ભગવાન મહાવીરના છેલ્લા અંતેવાસી શિષ્ય હતા એ વાત તેા શ્રીમા શ્રીમુખે જ સહુજ સ્વભાવે પ્રસંગથી વનક્ષેત્રસ્થિતિ વેળાએ પ્રકાશાઈ ગઈ હતી; અને આ ઇંડરસ્થિતિપ્રસંગમાં આપણે જોશું તેમ પુઢવીશિલાપટ્ટની વાત આવે છે તે આદિ પરથી એ વસ્તુ એર પુષ્ટ થાય છે. તેમજઇડરના મહારાજા સાથેના વાર્તાલાપપ્રસંગમાં પણ આ ઇડરપ્રદેશ અંગે મહારાજાની પૃચ્છાના ઉત્તરમાં આ પ્રદેશની ઐતિહાસિકતા દર્શાવતાં શ્રીમદે કરેલા આ અંગત માÉિÖક ઉલ્લેખ (જુએ, આ પાના પછીની કુટનેટ) તે અત્યંત સૂચક છે— જિનશાસનને પૂર્ણ પણે પ્રકાશ કરનાર આ છેલ્લા તીથંકર અને તેએાના શિષ્ય ગૌતમ આદિ ગણુધરે વિચરેલાના ભાસ થાય છે. તેએના શિષ્યા નિર્વાણને પામ્યા; તેમાંના એક પાછળ રહી ગયેલા જેને જન્મ આ કાળમાં થયેલે છે. તેનાથી ઘણા જીવાનું કલ્યાણ થવાને સંભવ છે.’—અત્રે આ એક પાછળ રહી ગયેલેા જેના જન્મ આ કાળમાં થયેલા છે તે બીજો કોઇ નહિં પણ પાતે જ એમ મામિક રહસ્યભૂત સૂચન કર્યુ” છે. એટલે પૂર્વોક્ત વનક્ષેત્રપ્રસગની રહસ્યવાર્તાની સાથે આ વસ્તુની અનુસંધિ મળી જાય છે. તેમજ-શ્રીમના કેટલાક પત્રોમાં પૂર્વ ભવામાં અનુભવેલા નિવૃત્તિક્ષેત્રાદિનું માર્મિક સૂચન તેમના આ પરમ આત્મભાવાલ્લાસપૂર્ણાં અનુભવઉગારામાં પ્રગટ દશ્ય થાય છે—
પૂર્વ આરાધન કરેલાં એવાં નિવૃત્તિનાં ક્ષેત્રા, વન, ઉપવન, જોગ, સમાધિ અને સત્સંગાદિ જ્ઞાનીપુરુષને પ્રવૃત્તિમાં બેઠાં બેઠાં વારંવાર સાંભરી આવે છે. (પત્રાંક ૪૪૯),
આખા દિવસ નિવૃત્તિના ચેાગે કાળ નહીં જાય ત્યાં સુધી સુખ રહે નહીં એવી અમારી સ્થિતિ છે. આત્મા આત્મા,' તેના વિચાર,જ્ઞાનીપુરુષની સ્મૃતિ, તેના માહાત્મ્યની કથાવાર્તા, તે પ્રત્યે અત્યંત ભક્તિ, તેમના અનવકાશ આત્મચારિત્ર પ્રત્યે મેહુ, એ અમને હજી આકર્ષ્યા કરે છે, અને તે કાળ ભજીએ છીએ.
પૂર્વ કાળમાં જે જે જ્ઞાનીપુરુષના પ્રસંગે વ્યતીત થયા છે તે કાળ ધન્ય છે; તે ક્ષેત્ર અત્યંત ધન્ય છે; તે શ્રવણને, શ્રવણના કર્તાને, અને તેમાં ભક્તિભાવવાળા જીવાને ત્રિકાળ દડવત્ છે. તે આત્મસ્વરૂપમાં ભક્તિ, ચિંતન, આત્મવ્યાખ્યાની જ્ઞાનીપુરુષની
મ-૮૭