SearchBrowseAboutContactDonate
Page Preview
Page 719
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૦. અધ્યાત્મ રાજચંદ્ર શું પ્રભુ ચરણ કને ધરૂં ? આત્માથી સૌ હીનઃ તે તો પ્રભુએ આપિય, વરતું થરણાધીન. આ દેહાદિ આજથી, વરતો પ્રભુ આધીન; દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુને દીન.” અને આવા અનન્ય અનંત ઉપકારી સદ્દગુરુ ભગવાનને પ્રત્યુપકાર–સામે વળતો ઉપકાર વાળી શકાય એમ નથી એવું જાણત, આવી અદ્ભુત ભક્તિયુક્ત આત્મસમપણ ભાવના ભાવતે આત્માર્થી મુમુક્ષુ શિખ્ય સદ્ગુરુ સમીપે પ્રણિપાત કરતાં, કેવું પ્રણિધાન-વચન ઉચ્ચારે તે પ્રકાશનું આ પરમ ભાવવાહી પ્રણિપાતસૂત્રરૂપ મહાન ભાવનાસ્વ શ્રીમદ્દ પ્રકાશે છે– હે પરમ કૃપાળુ દેવ! જન્મ-જરા-મરણાદિ સર્વ દુઃખને અત્યંત ક્ષય કરનારે એવે વીતરાગ પુરુષને મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપો, તે અનંત ઉપકારને પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમત કંઈપણ લેવાને સર્વથા નિસ્પૃહ છો, જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરુષના મૂળ ધમની ઉપાસના મારા હૃદયને વિષે ભવ પર્યત અખંડ જાગૃત રહો એટલું માગું છું તે સફળ થાઓ! ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અને છલકાવેલા ભાવસિંધુની અપેક્ષાએ જે વિશ લાખ દેહરા કરતાં પણ વધી જાય એવા છે, એવા “હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ! દયાળ !” ઈ. વીશ અમર દેહરા એ તે–હૃદય સોંસરા પેસી જાય એવા સાદામાં સાદા શબ્દોમાં અનન્ય સદ્ગુરુભક્તિરસ્ય દાખવતું સુપ્રસિદ્ધ ભાવના સૂત્ર તે શ્રીમદૂના પદ્યાત્મક ભાવના સૂત્રોમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. અને શ્રીમદ્દના ગદ્યાત્મક મહાન ભાવના સૂત્રોમાં અગ્રગણ્ય સ્થાન ધરાવતું મોક્ષમાળા અંતર્ગત ક્ષમાપનાસૂત્ર છે,-છએ આવશ્યકને અનન્ય ચમત્કૃતિથી સંક્ષેપમાં સમાવેશ કરી દેતા જે મહાન ક્ષમાપના સૂત્રની ભાવની દષ્ટિએપ્રાય જેડી જડવી દુર્લભ છે. પ્રત્યેક મુમુક્ષુએ પ્રતિદિન અવશ્ય પાઠ કરવા યોગ્ય-ભાવન કરવા યોગ્ય આ બને “આવશ્યક’ મહાન ભાવના સૂત્રો એટલા બધા સુપ્રસિદ્ધ છે કે તે અત્ર અવતારવા આવશ્યક નથી, તેમજ તે લાંબા હેવાથી અત્રે સ્થળસંકેચથી અવતારી શકાય એમ નથી, એટલે સુજ્ઞ વાંચકોને તેનું અત્ર સૂચનમાત્ર કરીએ છીએ. પ્રાણીમાત્રના રક્ષક–બંધવ અને હિતકારી વીતરાગના પરમ શાંતરસમય ધમને અનન્ય મહાપ્રભાવ જેના અંતરમાં વસ્યો હતે એવા પરમ ધર્મમૂત્તિ શ્રીમદ્દ – આ વીતરાગધર્મની મુક્તકઠે પ્રસ્તુતિ કરતા, અને આ પરમ વીતરાગધર્મને આશ્રય કરી જન્મ–જરા-મરણાદિના બંધનરૂપ કલેશમય સંસારથી વિરામ પામવા પ્રમાદ છેડી આ રત્નચિંતામણિ મનુષ્યદેહનું સાર્થકય કરવાનું પરમ ભાવવાહી આહાન કરતા –આ મહાન ભાવના સુત્રો પ્રકાશે છે પ્રાણીમાત્રને રક્ષક, બંધવ અને હિતકારી એ કોઈ ઉપાય હોય તે તે વિતરાગને ધર્મ જ છે. (અં. ૯૦૩).
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy