SearchBrowseAboutContactDonate
Page Preview
Page 711
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬૨ અધ્યાત્મ રાજચંદ્ર ઉચ્ચતમ જ્ઞાનયેાગીએ પણ ભક્તિયેાગમાં કે!ઇથી એછા ઉતરતા નથી એમ સમજાય છે. પણ આવા શ્રીમદ્ જેવા પરમ જ્ઞાનયેાગીઓના આ ભક્તિયોગ પ્રાકૃતજન જેવા સામાન્ય કેાટિનેા નહિં, પણુ અસામાન્ય પરમ તાત્ત્વિક ક્રેટિના હાય છે,—નિશ્ચયતત્ત્વભક્તિસ્વરૂપ પરમ ઉચ્ચતમ ભૂમિકાના હાય છે. પરમ જ્ઞાનીશ્વર શ્રીમની આ પરમ તત્ત્વભક્તિ દાખવનારા અને તીર્થંકર દેવનું પરમ તત્ત્વસ્વરૂપ પ્રકાશનારા શ્રીમા તીર્થંકર દેવ પ્રત્યેના આ ચાર નમસ્કારની(નમસ્કાર ચતુષ્ટય) તે ભાવની દૃષ્ટિએ સમસ્ત ભક્તિવાડ્મયમાં પ્રાયે જોડી જડે એમ નથી. શ્રીમદ્દની અનન્ય તીથ 'કરભક્તિ ડિંડિમ નાદથી ઉદ્ઘાષનારા આ ચાર અદ્દભુત નમસ્કારા આ રહ્યા— જે તી 'કર દેવે સ્વરૂપસ્થ આત્માપશે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે, તે તીથંકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાના ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ. પૂર્વે ધણાં શાસ્ત્રોને વિચાર કરવાથી તે વિચારનાં ફળમાં સત્પુરુષને વિષે જેનાં વચનથી ભક્તિ ઉત્પન્ન થઇ છે, તે તીથ કરનાં વચનને નમસ્કાર કરીએ છીએ. ઘણા પ્રકારે જીવના વિચાર કરવાથી તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યા જાય એવા નથી, એવી નિશ્ચળ શ્રદ્ધા ઉપન્ન થઇ તે તીથંકરના માગ બેાધને નમસ્કાર કરીએ છીએ. ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવના વિચાર કરવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે ચેાગાદિક અનેક બળવાન સાધનાનો બળવાન પરિશ્રમ કર્યે છતે, પ્રાપ્તિ ન થઇ, તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે, તે જ કહેવા વિષે જેના ઉદ્દેશ છે, તે તીથંકરનાં ઉદ્દેશવચનને નમસ્કાર કરીએ છીએ.’-અં. ૪૩૬. અને—અનન્ય શરણના આપનાર એવા શ્રી સદૃગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર –એ મહાન્ નમસ્કાર જેના મથાળે મૂકયા છે, તે ષપદના પરમ અમૃત પત્રમાં અંતે શ્રીમદ્દે સદ્ગુરૂ ભગવાનને જે ચાર અદ્ભુત નમસ્કાર કર્યો છે અને તેમાં જે અલોકિક પરમ ભાવસિંધુ ઉલ્લુસાન્યેા છે, તે ચાર નમસ્કારના (નમસ્કાર ચતુષ્ટયી) તેા જગમાં પ્રાયે જોડી જડવી દુ`ભ છે. તે ચાર નમસ્કાર આ પ્રકારે જે સત્પુરુષાએ જન્મ, જરા, મરણના નાશ કરવાવાળા, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાને ઉપદેશ કહ્યો છે, તે સત્પુરુષાને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણુ કરુણાને નિત્ય પ્રત્યે નિર ંતર સ્તવવામા પણુ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સ સત્પુરુષા, તેના ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહે! જે છ પદથી સિદ્ધ છે એવુ આત્મસ્વરૂપ તે જેનાં વચનને અગીકાર કર્યું` સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સંકાળ જીવ સંપૂર્ણ આન ંદને પ્રાપ્ત થઇ નિભય થાય છે, તે વચનના કહેનાર એવા સત્પુરુષના ગુણુની વ્યાખ્યા કરવાને અશક્તિ છે, કેમકે જેના પ્રત્યુપકાર ન થઇ શકે એવા પરમાત્મભાવ તે જાણે કંઇ પણ ઇચ્છયા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યા, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy