SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ અધ્યાત્મ રાજચંદ્ર મધ દેવા શરૂ કર્યાં હતા, તેને જ ગુજરાતી કેળવણી ઠીક પામીને તે જ ચાપડીના પા મે બેધ કર્યાં હતા. ત્યારે કેટલાક કાવ્યગ્રંથા ને વાંચ્યા હતાં. તેમજ અનેક પ્રકારના ધગ્રંથા નાના આડાઅવળા મે' જોયા હતા; જે પ્રાયે હજુ સ્મૃતિમાં રહ્યા છે. ત્યાંસુધી મારાથી સ્વાભાવિક રીતે ભદ્રિકપણું જ સેવાયું હતું; હું માણસજાતને બહુ વિશ્વાસુ હતા. સ્વાભાવિક સુષ્ટિરચના પર મને બહુ પ્રીતિ હતી.' ઇત્યાદિ. પ્રકરણ છઠ્ઠું બાલવયનું સાહિત્યસર્જન નયંત્તિ મુન્નતિનો સે સિદ્ધાઃ વીશ્વરઃ ' —ભર્યું રિ અભ્યાસમાં જેની આવી આશુવેગી ત્વરિત ગતિ હતી એવા ‘ આશુપ્રજ્ઞ' રાજચંદ્ર આજન્મ કવિ (Born Poet) હતા, નૈસર્ગિક કવિત્વશક્તિસંપન્ન હતા. અગ્રેજી કહેવત છે તેમ * Poets are born, not made ’—કવિએ જન્મે છે—ઉત્પાદાતા નથી. આજન્મ કવિ શ્રીમનું કવિહૃદય ખૂબ ખૂબ સ ંવેદનશીલ અને ઊર્મિપ્રધાન હતું, અતિઅતિ કોમળ અને કરુણામય હતું; એટલે લેાકેાના દુઃખ દેખી એમનું હૃદય ખૂબ ખૂબ દ્રવી ઊઠતું, અને એમનું સ ંવેદનમય અનુકંપન એમના કરુણારસસાગર હૃદયમાંથી સહજ ઊમિરૂપે ઊઠતા કરુણારસમય કાવ્ય-કલ્લાલામાં ઠલવાતું. ખાસ કરીને તે સમયમાં પ્રવતી રહેલી સ્ત્રીએની દુર્દશા, દેશની અવનતિ, કુસંપ, કુધારા આદિ અંગે એમનું અંતર્ મૂર્ખ ઉકળી ઊઠયું હતું અને તે અંગે તેમના હૃદયહૃદમાંથી સહજ પ્રવાહરૂપે નિકળેલા કાવ્યસ્રોતમાં એમની અંતર્વેદના ઉલ્લેસી આવી હતી. જ્યારે દેશભકત-દેશદાઝ અંગે ભાગ્યે જ કોઈ સળવળતું ત્યારે જાણે કુધારા સામે · કમર કસી' હેાય એમ લેખિની ~~~અસિના મષી સાથે સમાગમ કરાવી તેમણે જે દેશભકિત—દેશદાઝ દર્શાવી છે તે ખરેખર! અનુપમ છે. એ પરમ આશ્ચય કારક છે કે—તેર-ચૌદ વર્ષ જેટલી લઘુવયમાં પણ એમની સુધારા માટેની ધગશ એટલી બધી બળવાન અને સાચી અ`તાઝવાળી હતી કે ભલભલા પ્રૌઢ સુધારકા પણ તેની બરોબરી ન કરી શકે; એમની દેશદાઝ એટલી બધી અસાધારણ ને નિલ નિષ્કામ હતી કે મેાટામેટા દેશભકતો પણ તેની તુલના ન કરી શકે. એમની તત્કાલીન કાવ્યકૃતિએ આની સાક્ષી પૂરે છે. આ સરલ સહેજ સ્વયંભૂ કાવ્યઊમિ`એમાં શ્રીમદ્નું ઉગતુ કવિત્વ અને વિકસતું વ્યક્તિત્વ ઝળકી ઊઠે છે, એટલું જ નહિ પણ તેમાં પ્રતિબિંબિત થતું તેમનું માનસ તત્સમયે તેમના જીવનપ્રવાહના વહનનુ દČન કરાવે છે. એટલે એમની આ લઘુવયની "
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy