________________
ત્વરિત અભ્યાસ –અકૃત્રિમ પ્રીતિ, વાત્સલ્ય ભાવ–પરમ પ્રેમ ધરાવત; સર્વથી તે એકત્વ-એકપણું ઈચ્છતે; તેના પોતાના જ શબ્દોમાં કહીએ તો— સર્વમાં ભ્રાતૃભાવ હોય તો જ સુખ એ એને સ્વાભાવિક આવયું હતું, લોકોમાં કઈ પણ પ્રકારના જૂદાઈના અંકુરો જેતે કે તેનું અંતઃકરણ રડી પડતું.” સ્વાભાવિક ભકિપણું જ એણે સેવ્યું હતું, માણસજાતને તે પરમ વિશ્વાસુ હતો. રાયચંદની આ પ્રકૃતિસરલતામાં ભાવિ પરમ સરલતાની મૂર્તિ સમા જુમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રનું દર્શન થાય છે, એની સર્વ પ્રત્યે અભેદ એકતારૂપ પરમ પ્રેમાળતામાં સકળ જગત્ પ્રત્યે આત્મસમાનભાવે આત્મવત્સલભાવ દર્શાવનારા ભાવિ વિશ્વવત્સલ પરમ પ્રેમમૂર્તિ રાજચંદ્રનું પૂર્વરૂપે પ્રગટ થાય છે,– રામવત્ સર્વભૂતેષુ ને વસુધૈવ કુટુમ્ એવી ધર્મમૂર્તિ રાયચંદની આગળ જતાં પરમ પરાકાષ્ઠાને પામેલી ભાવિ આત્મવત્તનાનું બીજ અત્ર સ્પષ્ટ દેખાઈ આવે છે.
બાલ રાયચંદની વાકછટા અદૂભુત હતી, એના વાકચાતુર્યથી સર્વ કઈ છક થઈ જતા–અંજાઈ જતા. “વાતડાહ્યા ” રાયચંદને ડાહી ડાહી વાતો કરવાની ને કપિત વાતો કરવાની બહુ ટેવ હતી. તે જાણે તેની કવિકલ્પનાશક્તિની આગાહી કરતી હતી ! આ જન્મમાં કોઈ પણ પ્રકારના અભ્યાસ વિના રાયચંદે આઠમા વર્ષે કવિતા રચી હતી. તે પાછળથી તપાસતાં કાવ્યશાસ્ત્રના નિયમ પ્રમાણે “સમાપ” હતી. પછી કેટલાક કાવ્યગ્રંથે તથા બધા આડાઅવળા એણે વાંચ્યા હતા. એને સ્વાભાવિક સૃષ્ટિરચના પ્રત્યે પ્રીતિ હતી; એનો આ નિસર્ગ પ્રેમ નૈસર્ગિક કવિહૃદય સૂચવતો હતે. નાનપણના ધર્મ સંસ્કારની બા.માં બાલ રાયચંદના બાલજીવનમાં બે સંસ્કારપ્રવાહ વહી રહ્યા હતા–પિતૃપક્ષ તરફથી વૈષ્ણવધર્મના ધર્મસંસ્કાર અને માતૃપક્ષ તરફથી જેનધર્મના ધર્મ સંસ્કાર,–આ બન્નેનું વિચિત્ર મિશ્રણ એમનામાં થઈ રહ્યું હતું. આ અંગે અલગ પ્રકરણમાં વિશેષ વિચારશું. સમુચ્ચયવયચર્યોમાં સફટિક સમા સ્વચ્છ હૃદયના શ્રીમદે પરિપૂર્ણ નિખાલસતાથી તે વખતનું પોતાનું સુંદર શબ્દચિત્ર આલેખ્યું છે, તે ઉપરોક્ત સમસ્ત વસ્તુની ઓર પુષ્ટિ કરે છે–“સાત વર્ષથી અગીયાર વર્ષ સુધીનો કાળ કેળવણી લેવામાં હતા. આજે મારી સ્મૃતિ જેટલી ખ્યાતિ ભેગવે છે તેટલી ખ્યાતિ ભેગવવાથી તે કંઈક અપરાધી થઈ છે. પણ તે કાળે નિરપરાધી સ્મૃતિ હોવાથી એક જ વાર પાઠનું અવલોકન કરવું પડતું હતું; છતાં ખ્યાતિનો હેતુ નહતો એટલે ઉપાધિ બહુ ઓછી હતી. સ્મૃતિ એવી બળવત્તર હતી કે જેવી સ્મૃતિ બહુજ થોડાં મનુષ્યમાં આ કાળે આ ક્ષેત્રે હશે. અભ્યાસમાં પ્રમાદી બહુ હતો; વાતડાહ્યો, રમતિઆળ અને આનંદી હતો. પાઠ માત્ર શિક્ષક વંચાવે તે જ વેળા વાંચી તેને ભાવાર્થ કહી જતો. એ ભણીની નિશ્ચિતતા હતી. તે વેળા પ્રીતિ, સરળ વાત્સલ્યતા મારામાં બહુ હતી, સર્વથી એકત્વ ઈચ્છો; સર્વમાં ભ્રાતૃભાવ હોય તો જ સુખ એ મને સ્વાભાવિક આવડયું હતું. લોકોમાં કઈ પણ પ્રકારના જૂદાઈના અંકુરો જેતો કે મારું અંતઃકરણ રડી પડતું. તે વેળા કલિપત વાતો કરવાની મને બહુ ટેવ હતી. આઠમા વર્ષમાં મેં કવિતા કરી હતી, જે પાછળથી તપાસતાં સમાપ હતી. અભ્યાસ એટલી ત્વરાથી કરી શક હતો કે જે માણસે મને પ્રથમ પુસ્તકનો
મ-૫