SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ १४८ અધ્યાત્મ રાજચંદ્ર નિવૃત્તિક્ષેત્રસ્થિતિ કરવાનું શક્ય બન્યું તે પણ આ વ્યવસાયનિવૃત્તિને લઈને જ. ગુજરાતના જંગલમાં-ઉત્તરસંડા યાદિ વનક્ષેત્રમાં સ્થિતિ કરતા શ્રીમદે જે અદ્ભુત આત્મગસાધના કરી, ઈડરના પુરાણપ્રસિદ્ધ પહાડોમાં જે શુદ્ધ આત્મધ્યાન કર્યું તેનું આપણે અલગ પ્રકરણમાં દર્શન કરશું. ખરેખર! આ સર્વ વ્યવસાયમાંથી નિવૃત્ત થઈને પણ શ્રીમદૂની ઈચ્છા જેમ બને તેમ જલ્દી સર્વ ગૃહવ્યવહારથી નિવૃત્ત થઈ સર્વસંગપરિત્યાગ પ્રત્યે જ જવાની હતી–જગતકલ્યાણાર્થે મહાભિનિષ્ક્રમણ કરવાની જ હતી,-એ એમના પત્ર પરથી સુપ્રતીત થાય છે. ૧૯૫૦-૫૧ની સાલ પછીના પત્રોમાં તે એમની દ્રવ્ય-ભાવ સંયમ અંગેની ભાવના ઓર જેરારથી વધતી જ ગઈ હતી, તે એમના પત્રોમાં વારંવાર આવતા સંયમ સંબંધી ઉલ્લેખ પરથી સ્વયં જણાઈ આવે છે, અને તેમાં ગુંજતા સંયમના ધ્વનિ પરથી એમની સર્વસંગત્યાગની તમન્ના એકદમ ઊડીને આંખે વળગે છે. “વિષમ સંસારરૂપ બંધનને છેદીને, જે પુરુષે ચાલી નીકળ્યા તે પુરુષોને અનંત પ્રણામ છે. (અં. ૫૪૦) શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે, અને તે સંયોગને વિશ્વાસ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી, એવો અખંડ માર્ગ કહ્યો છે, તે શ્રી જિન વીતરાગના ચરણકમળ પ્રત્યે અત્યંત ભક્તિથી નમસ્કાર. (અં. ૫૮૮) સૂમ સંગરૂપ અને બાહ્ય સંગરૂપ દુસ્તર સ્વયંભૂરમણ સમુદ્ર ભુજાએ કરી જે વર્ધમાનાદિ પુરુષ તરી ગયા છે, તેમને પરમભક્તિથી નમસ્કાર હો ! પડવાના ભયંકર સ્થાનકે સાવચેત રહી, તથારૂપ સામર્થ્ય વિસ્તારી સિદ્ધિ સિદ્ધ કરી છે, તે પુરુષાર્થ ને સંભારી રોમાંચિત, અનંત અને મૌન એવું આશ્ચર્ય ઉપજે છે.” (અં. ૮) આમ પરમત્યાગી પરમ પુરુષો પ્રત્યેના શ્રીમદના પરમ ભાવપૂર્ણ નમસ્કાર શ્રીમદની તે પરમત્યાગમાર્ગ પ્રત્યેની પરમ અનુમોદનાયુક્ત પરમ પ્રીતિ પ્રકાશે છે, કે અને તેઓ પોતે પણ તે સર્વસંગત્યાગ કેવો ઈચ્છી રહ્યા છે તે આ તેમના અનુભવ– ઉદ્ગાર પોકારે છે– જ્ઞાની પુરુષને આત્મપ્રતિબંધપણે સંસારસેવા હોય નહીં, પણ પ્રારબ્ધપ્રતિબંધ પણે હોય, એમ છતાં પણ તેથી નિવર્તાવારૂપ પરિણામને પામે એમ જ્ઞાનીની રીત હોય છે, જે રીતને આશ્રય કરતાં હાલ ત્રણ વર્ષ થયાં વિશેષ તેમ કર્યું છે. અને તેમાં જરૂર આત્મદશાને ભુલાવે એવો સંભવ રહે તે ઉદય પણ જેટલો બને તેટલે સમપરિણામે વેદ્યો છે, જો કે તે વેદનાના કાળને વિષે સર્વસંગનિવૃત્તિ કઈ રીતે થાય તો સારું એમ સૂક્યાં કર્યું છે. (અં. પ૬૦) સર્વ દુઃખનું મૂળ સંગ (સંબંધ) છે એમ જ્ઞાનવંત એવા તીર્થકરેએ કહ્યું છે. સમસ્ત જ્ઞાની પુરુષોએ એમ દીઠું છે. જે સંગ બે પ્રકારે મુખ્યપણે કહ્યું છે : અંતસંબંધીય અને બાહ્યસંબંધીય. અંતસંગને વિચાર થવાને આત્માને બાહ્ય સંગને અપરિચય કર્તવ્ય છે, જે અપરિચયની સપરમાર્થ ઇચ્છા જ્ઞાની પુરુષોએ પણ કરી છે.” (નં. ૬૫૯). અને “અપૂર્વ અવસર એ ક્યારે આવશે?' એ અમર પંક્તિથી ગૂંજતું
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy