________________
અનુસંધ દર્શન (૫)
: રાળજક્ષેત્રે
ઉપદેશ
અને 6 નિવૃત્તિક્ષેત્રે સ્થિતિ
આમ અધ્યાત્મજીવનના બીજા તબક્કાના બીજા વિભાગમાં શ્રીમદે જે મૂળમાર્ગને ઉદ્ધાર અને જગતને આત્મસિદ્ધિનું દર્શન કરાવ્યું છે, તેનું દિગદર્શન કર્યું. તેમાં–
સત અને સતની પ્રાપ્તિને સદુપાય સાક્ષાત જીવંતમૂર્તિ-સજીવનમૂર્તિ સદગુરુ જ છે એમ સ્પષ્ટ વિધાન કરી, શ્રીમદે આત્મા પ્રત્યે દ્રષ્ટિ કેન્દ્રિત કરાવી નિરંતર આત્માર્થ દ્રષ્ટિ રાખવાનું મુમુક્ષુઓને કેવું અપૂર્વ માર્ગદર્શન કરાવ્યું તે આપણે જોયું; રાળજક્ષેત્રે ચાર અમર મહાકાવ્યનું સર્જન કરી, રાળજ-કાવિઠા આદિ નિવૃત્તિક્ષેત્રે સ્થિતિ કરતા શ્રીમદે કેવી ઉપદેશામૃતધારા વહાવી તે અવાયું; ઉપદેશાબોધ અને સિદ્ધાંતબોધ એમ બોધના સ્પષ્ટ વિભાગ પાડી શ્રીમદે વિદાંત-જિનાગમાદિનું વાંચન પ્રથમ ઉપદેશબંધાર્થે-મુખ્યપણે વૈરાગ્ય–ઉપશમાર્થે કરવાની મુમુક્ષુઓને કેવી ખાસ ભલામણ કરી છે, તે પણ વિચાર્યું; આ પંચમકાળ-દુઃષમકાળ અંગે પિકાર પાડતાં શ્રીમદે, આ કાળમાં પરમાર્થપ્રાપ્તિના કારણે અસુલભ-દુર્લભ હોવાથી જીવે એર વિશેષ જાગ્રત રહી મોક્ષ અને મોક્ષપુરુપાર્થ અર્થે પ્રવર્તવું જોઈએ અને સમાજમાં પ્રવર્તતા ત્રણમાંથી કોઈપણ પ્રવાહમાં નહિં પડતાં અપૂર્વ આત્મપુરૂષાર્થથી પ્રવર્તવું જોઈએ એ અંગે મુમુક્ષુઓને કેવું અપૂર્વ માર્ગદર્શન કર્યું એ પણ આલોચ્યું; અને ષટ્રપદના પરમ અમૃત પત્રમાં સમ્યગદર્શનના નિવાસના પરમકૃષ્ટ સ્થાનક પર્પદનું નિરૂપણ કરી શ્રીમદે કેવળ શિષ્યના કલ્યાણાર્થે સદ્દગુરુભક્તિનું કેવું અનુપમ નિરૂપણ કર્યું તે આપણે દીઠું.
આમ સામાન્યપણે સર્વે મુમુક્ષુઓને–સર્વ જગતને માર્ગદર્શન કરી સત્સંગપ્રસંગમાં આવેલા વ્યક્તિગત પાત્રવિશેષ પ્રમાણે પણ મુમુક્ષુઓને શ્રીમદે માર્ગદર્શન આપ્યું છે; મુનિઓને માર્ગ, દર્શન, શ્રીમદ્દનું ગાંધીજીને માર્ગદર્શન, પોપટલાલભાઈને સમાગમલાભ, મનસુખભાઈ કિરતચંદને સમાગમલાભ, પ્રાસ્તાવિક પરિચયપ્રસંગીઓને સત્સંગલાભ,–પ્રીમદે આપેલ છે, તે આપણે તે તે પ્રકરણોમાં અવલોકેલ છે.
આ ઉપરાંત આત્મસિદ્ધિના અંગભૂત અનેક તાત્વિક વિષયોનું મહામંથન કરી શ્રીમદે જગતને આત્મસિદ્ધિનું અપૂર્વ માર્ગદર્શન આપ્યું છે. ગૂઢ પ્રશ્નોને ઉકેલ, કેવલજ્ઞાનની અલૌકિક પરમાર્થ વ્યાખ્યા, વીતરાગદર્શનની પ્રમાણુતા અને દર્શનની મીમાંસા.
અને આમ જગતને આમસિદ્ધિનું દર્શન કરાવતા શ્રીમદે, “મૂળ મારગ સાંભળો જિનને – એ દિવ્ય સંગીતનું ગાન કરી મૂળમાર્ગને કેવો મહાન ઉદ્ધાર કર્યો છે, માર્ગ પ્રભાવનાની કેવી ભવ્ય ભાવના અને દિવ્ય યોજના ઘડી છે, અને આ અવનિના અમૃત-આત્મસિદ્ધિશાસ્ત્રનું અમર સર્જન કરી આત્મસિદ્ધિનો માર્ગ કેવો સર્વજનસુલભ બનાવી દીધો છે, એ અત્ર આપણે પ્રત્યક્ષ કરેલ છે.
આમ અધ્યાત્મ જીવનના બીજા તબકકાનું આલેખન પૂર્ણ કરી હવે શ્રીમાના અધ્યાત્મ જીવનના ત્રીજા અને છેલા તબક્કા પર આવીએ છીએ; સં. ૧૯૫૩ના ફા. વદ ૧૨ થી ૧૯૫૭ના ચૈત્ર વદી પંચમી પર્વતના આ ત્રીજા તબક્કામાં સોળ પ્રકરણોનું આલેખન કરશું –