________________
૬૩૬
અધ્યાત્મ રાજથ% કરવાં સેય ઈ. અને “સર્વ જીવ છે સિદ્ધ સમ–એ અનંતશક્તિમાન આત્માનું ભાન કરાવતા દિવ્ય સંદેશથી મુમુક્ષુઓને પુરુષાર્થ માટે ઉત્સાહિત કરી, આ પરમ આત્મપુરુષાથી દિવ્ય આત્મા, તે સિદ્ધપણું સાધવા માટે અનુપમ સાધનરૂપ સદ્દગુરુ આજ્ઞા-નજનદશા આદિ પરમ ઉપકારી ઉત્તમ નિમિત્ત આલંબને આત્મારૂપ ઉપાદાનની જાગ્રતિને આત્મપુરુષાર્થ સ્કુરાવવાને આ અમર શબ્દમાં ડિડિમનાદથી ઉદ્ઘષ કરે છે–
સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્દગુરુ આજ્ઞા જિન દશા, નિમિત્ત કારણમાંય, ઉપાદાનનું નામ લઈ, જે એ તજે નિમિત્ત;
પામે નહિં સિદ્ધત્વને, રહે બ્રાંતિમાં સ્થિત. છેવટે સાચા મુમુક્ષુના લક્ષણ આત્મામાં પ્રગટાવવાને મુમુક્ષુને નિર્મલ ઉપદેશ કરી આ પરમ જ્ઞાનદશાને પામેલા પરમ જ્ઞાની પુરુષ, વાચાજ્ઞાની અને શુષ્કશાનીને ભેદ સ્પષ્ટ દર્શાવતાં આ ટકેલ્કીર્ણ અમૃત વચનમાં જ્ઞાનદશાનું સ્વરૂપ પ્રકાશે છે– મેહભાવ ક્ષય હેય જ્યાં, અથવા હેય પ્રશાંત, તે કહિયે જ્ઞાનીદશા બાકી કહિયે બ્રાંત. સકળ જગતુ તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન, તે કહિયે જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન. અને પાંચ સ્થાનક વિચારી જે છઠ્ઠા ક્ષઉપાયરૂપ સ્થાનકે વર્તે, તે પાંચમું મોક્ષસ્થાનક અવશ્ય પામે, એમ અદ્દભુત શબ્દ –અર્થચમ સ્કૃતિથી આ અમૃતમયી આત્મસિદ્ધિનું પરમ અમૃતરૂપ મંગલફળ બતાવી, આ જીવન્મુક્ત જ્ઞાનાવતાર શાસ્ત્રકાર આ શાસ્ત્રનું અંત્ય મંગલ કરે છે-
દહ છતાં જેની દશા, વર્તે દેહાતીત;
તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. નમસ્કાર હે! નમસ્કાર હે ! આવી દેહ છતાં દેહાતીત દશામાં વિચરનારા આ કાળમાં તેવી મહા વિદેહી દશા સાક્ષાત્ અનુભવનારા સાક્ષાત મૂર્તિમાન આત્મસિદ્ધિસ્વરૂપ અમૃતમૂર્તિ તે જ્ઞાનીશ્વર શ્રીમદ્ રાજચંદ્રને ! અક્ષરે અક્ષરે નમસ્કાર હે! નમસકાર છે તે અમૃતમૂત્તિ જ્ઞાનેશ્વરની આ અવનિના અમૃત સમી આ અમૃત કૃતિ આત્મસિદ્ધિને