SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાનું સર્જન: “આ અવનિનું અમૃત ૬૨૭ સર્જાયેલો છે. કૃષ્ણ-અર્જુનસંવાદથી જેમ ગીતા પ્રસિદ્ધ છે, ગુરુચરણે બેસી શ્રવણ કરતા શિના ઉપનિષદુપણાથી જેમ ઉપનિષદે પ્રસિદ્ધ છે, વીર-ગૌતમસંવાદથી ને ગણધરવાદથી જેમ જિનામે પ્રસિદ્ધ છે, તેમ અક્ષરે અક્ષરે પરમ અમૃતમાધુરીથી ભરેલી ગુરુશિષ્ય–સંવાદશિલીથી શ્રીમદ્દની આ અનુપમ અમૃત કૃતિ જગપ્રસિદ્ધ છે. તર્કપ્રધાન વાદ-પ્રતિવાદની જટિલ શૈલીથી લખાયેલા દર્શનશાસ્ત્રો કરતાં આ મીઠાશભરી ગુરુશિષ્યસંવાદની વિશદ શૈલીથી લખાયેલે પરમઅનુભવપ્રધાન ગ્રંથ અત્યંત સચોટ અને અનંતગુણવિશિષ્ટ બળવાન હૃદયભેદી અસર કરે છે. અને આ ગુરુશિયસંવાદમાં પણ શ્રીમદે શિષ્યની અક્ષરે અક્ષર શંકાને અનુવદતું અનુક્રમે સાગપાંગ સમાધાન કરતી જે વિશિષ્ટ લાક્ષણિક શૈલી પ્રયુક્ત કરી છે, તેની તે પ્રાયે જડી જ નથી; શ્રીમદ્દની આ શિષ્યની પ્રત્યેક શંકાને અનુવદતું-અનુક્રમે વદતું. વિશદ નિતુષ સમાધાન દાખવતી વિશિષ્ટ ગુરુશિષ્યસંવાદ શૈલીમાં અક્ષરે અક્ષરે શિષ્યને જે પરમ વિનય નિતરે છે, નિર્દભપણે સત્યતત્વગ્રહણની–સત્યસ્વીકારની સરલતા ચમકે છે, અને શિષ્યની શંકાને પૂર્ણ સહાનુ ભૂતિપૂર્ણ ઉત્તર આપતા ગુરુની અમૃતવાણમાં અક્ષરે અક્ષરે જે માધુર્યઅમૃત નિર્ઝરે છે, તેની જગતમાં પ્રાચે જેડી જડવી દુર્લભ છે. આત્માની જેણે અમૃતાનુભૂતિ કરી હેય એવા અમૃતસિંધુ અમૃત પુરુષના હૃદયમાંથી જ આવી અમૃતવાણી નિકળી શકે. શ્રી અંબાલાલભાઈ જે અત્રે પ્રથમ સાક્ષી હતા તે આ અમૃત કૃતિના મૂળ પ્રેરક નિમિત્ત શ્રી સૌભાગ્યભાઈ હતા. સુપ્રસિદ્ધ પદને પત્ર જેનું આપણે અલગ પ્રકરણમા (૮૦) વિવરણ કર્યું તે પત્ર મુખપાઠ કર દુષ્કર છે-સ્મરણમાં રહેવું મુશ્કેલ છે એવી ફરિયાદ કરી સૌભાગ્યભાઈએ શ્રીમદને વિજ્ઞાપના કરી કે આ વસ્તુ જે કાવ્યબદ્ધ હોય તે સ્વારા જેવા વૃદ્ધને મુખપાઠ કરવી સરલ સુગમ પડે. સૌભાગ્યભાઈની આ વિજ્ઞપ્તિ શ્રીમદે લક્ષમાં લીધી અને તેના ફળરૂપે આ આત્મસિદ્ધિ અમૃતફળની જગતને ભેટ મળી–પ્રાભૂત મળ્યું. એટલે આ આત્મસિદ્ધિના મૂળ પ્રેરક નિમિત્ત શ્રી સૌભાગ્યભાઈનું જગત્ તે માટે ઋણી છે. અને શ્રીમદે પણ આ આત્મસિદ્ધિશાસ્ત્રમાં આ પિતાના પરમ પરમાર્થસખા સૌભાગ્યને ગર્ભિતપણે આ ત્રણ સ્થળે નામ લઈને અમર કરેલ છે: “મૂળ હેતુ એ માગનો સમજે કેઇ સુભાગ્ય' (ગા. ૨૦), ઉદય ઉદય સદ્દભાગ્ય (ગા. ૯૬) અને છેલ્લે વધારાની ગાથામાં “શ્રી સુભાગ્ય ને શ્રી અચળ, આદિ મુમુક્ષુ કાજ.’ આમ સંક્ષેપમાં છે આ અમર કૃતિના સમુદ્દભવને રોમાંચક ઇતિહાસ. હવે આ ગ્રંથની તત્ત્વકળાપૂર્ણ સંકલનામય વસ્તુનું સંક્ષેપે દિગ્દર્શન અત્ર કરશું. શાસ્ત્રના પ્રારંભમાં–જે સ્વરૂપ સમજ્યા વિના, પાયે દુખ અનંત સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત –એ મંગલ સૂત્ર કહી શાસ્ત્રકારે આ વર્તમાનકાળમાં મોક્ષમાર્ગ ઘણે લોપ થઈ ગયું છે તે દેખી પિતાને કરુણા ઉપજે છે એમ જણાવી, તે મેક્ષમાર્ગ આત્માથીને વિચારવા માટે અત્ર “અગે—ગોપવ્યા વિના ખુલ્લેખુલ્લે પ્રગટ કહ્યો છે-એમ ગ્રંથને અભિધેય વિષય પ્રતિજ્ઞા અને પ્રયોજન
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy