________________
૬૧૬
અધ્યાત્મ રાજચંદ્ર ભાવિતાત્મા શ્રીમદે ભવ્ય જનોના હિતને કારણે જિનને આ મળમાર્ગ પરમપ્રેમ ઉલાસથી સંભળાવ્યો છે. મૂળ મારગ સાંભળો જિનનો રે” એ ધ્રુવપદ પંક્તિને પદે પદે રણકાર કરતા આ દિવ્ય કાવ્યમાં જે ભાવ-વારિધિને ઉલ્લાસ આ રાજચંદ્ર ઉલસાવ્યો છે તેની તો અવધિ જ નથી. આ પરમગુરુ જગદગુરુ મૂળમાર્ગની પાઠ લેવડાવતા હાય-ગોખાવતા હોય એવો આ મૂળમાર્ગના ઉદ્દઘોષ મુમુક્ષુના હૃદયમાં તેને પ્રતિઘોષ કરે છે-બુલંદ પડઘો પાડે છે. માત્ર એકાદશ કડીના આ કાવ્યમાં જાણે સંક્ષેપમાં સારરૂપ સમુદ્ર ઠાલવી દીધું હોય.—એવા આ મૂળમાર્ગના દિવ્ય ગાનના અપૂર્વ ભાવનું અત્રે સંક્ષેપમાં દિગદર્શન કરશું.
મૂળ મારગ સાંભળો જિનને રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ...મૂળ માગ, નય પૂજાદિની જે કામના રે, નાય વહાલું અંતરૂ ભવદુ:ખ... પળ મારગ ૧
મૂળ-મૂળભૂત અથવા અસલ માગ સાંભળો. કોની માગ સાંભળે ? જિનનોવીતરાગનો માર્ગ સાંભળે ! જિન–વીતરાગે જે મૂળમાર્ગે ગમન કર્યું અને જે માર્ગ દર્શાવ્યો તે જિનને મૂળમાર્ગ તમે સાંભળો-શ્રવણ કરો ! જિન જેવા પરમ પુરુષનો આવો આ મહાન્ માગે છે, તે કેવી રીતે સાંભળે ? ‘કરી વૃત્તિ અખંડ સન્મુખ,વૃત્તિને--આત્માની વૃત્તિને, ઉપગને અને મન-વચન-કાયાના વેગને અખંડપણે અવિછિન્નપણે સન્મુખઆ જે સત વસ્તુ કથાઈ રહી છે તે પ્રત્યે–તે ભણી–તે સામે અખંડ સ્થિર સાવધાન કરીને સાંભળો ! આત્માના ઉપયોગને અને મન-વચન-કાયાના યોગને અખંડ સ્થિર કરીને સાંભળો ! અને શું હોય તે સાંભળી ને ય પૂજાદિની જે કામના રે, નેય વહાલું અંતર ભવદુઃખ.'—જે તમને માન-પૂજા-પ્રતિકા-સત્કારાદિની કામના ન હોય, અને અંતમાં ભવદુઃખ વહાલું ન હોય તો સાંભળો ! માનપૂજાદિની કામના ન હતી અને ભવદુઃખ વ્હાલું ન હોવું, અર્થાત્ માનાર્થ આદિની કામના ન હોવી–માત્ર આત્માર્થની જ કામના હાવી અને સંસાર પ્રત્યે વૈરાગ્ય હે, એ બે આ સાંભળવા માટે યોગ્ય અધિકારીની પ્રાથમિક શરત (preliminary requisite Conditions essential prerequisites) છે. આને ફલિતાર્થ એ થયો કે માત્ર મેક્ષ શિવાય જેને બીજી અભિલાષા નથી અને આત્માથે શિવાય બીજું કામ જેને નથી એવો ખરેખર ભવવિરક્ત સાચે આત્માથી મુમુક્ષુ જીવ જ આ જિનના મૂળમાર્ગના શ્રવણને ખરેખરો યોગ્ય અધિકારી છે.
કરી જોજો વચનની તુલના રે, જે શેધીને જિન સિદ્ધાંત...મૂળ મારગ. માત્ર કહેવું પરમારથ હેતુથી રે, કેઈ પામે મુમુક્ષુ એ વાતમૂળ મારગ.... ૨
અમે જે આ વચન કહીએ છીએ તેની તમે જિનવચન સાથે તુલના-સરખામણી કરી છે, અને જિનસિદ્ધાંત શોધી શોધીને જેજે; અમારું જે આ કહેવું છે તે માત્રકેવલ પરમાર્થ હેતુથી છે,–એમાં અન્ય કોઈ પણ હેતુ–પ્રયજન નથી, એ અમારા અંતરની વાત કોઈ વિરલે મુમુક્ષુ જ પામે–જાણે એમ છે, અર્થાત્ ખરેખર મુમુક્ષુ જ આ વાતને મર્મ પામી શકે એમ છે અને એ જ આ શ્રવણને એગ્ય અધિકારી છે. આમ