SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ રાજચંદ્ર એમ કેઈ તથા પ્રકારના તથારૂપ જ્ઞાનને ગુપ્ત ભેદ પામેલે સાક્ષાત્ અનુભવી પુરુષ જ કહી શકે તેવી પરમ દઢતાથી સુવિનિશ્ચિત જવાબ આપે હં; પણ અંગત અંગે વિશેષ સ્પષ્ટતા કરી નહોતી. આ અંગે વિશેષ યથાપ્રસંગે. એક બે વાતે પરિચયીઓ પાસેથી કર્ણોપકર્ણ ચાલી આવે છે: એક તે આ જન્મની પૂર્વના ભવમાં તેઓ ઉત્તરમાં કેઈ રાજકુમાર હતા. આ બા.માં તેમના પત્રોમાં અર્ધસ્પષ્ટ મોઘમ નિર્દેશ દશ્ય થાય છે. જેમ કે–પત્રાંક ૨૧રમાં તેઓશ્રી પ્રકાશે છે–પૂર્વકાળમાં ઉત્તર દિશામાં વિચરવા વિષેનું તેમના મુખથી શ્રવણ કર્યું. તે તે વિષે હાલ તે કંઈ લખી શકાય તેમ નથી, જો કે તેમણે તમને મિથ્યા કહ્યું નથી, એટલું જણાવી શકું છું.” તેમ જ એક બીજા પત્રમાં (અંક ૪૮૫) તેઓશ્રી જણાવે છે કે–આ અને તે પ્રથમને બેધબીજહેતુવાળે દેહ તેમાં થયેલું વેદન તે મોક્ષકા ઉપયોગી છે.” ઈત્યાદિ. આ બા. માં કલ્પનાના કે અનુમાનના ઘોડા દોડાવવાની જરૂર નથી. કારણ કે આ બા. શ્રીમદે પોતે જ પ્રાયઃ મૌન ધરવાનું ને વિશેષ સ્પષ્ટીકરણરૂપ વિવેચન નહિં કરવાનું ઉચિત ગણ્યું હતું, એટલે આ વસ્તુ વિશેષ ચર્ચવાનું અત્ર અસ્થાને છે. ખરેખર ! શ્રીમદ સાગરની જેમ એટલા બધા જ્ઞાનગંભીર હતા કે તેમણે તેમના પૂર્વ જન્મના આ સ્વાનુભવસિદ્ધ જ્ઞાન સંબંધી વાત પ્રાયઃ કળાવા દીધી ન હતી; અને કઈ વિચક્ષણ કળી જવા પામે તો ઉપરોક્ત એકાદ બે અપવાદ શિવાય કવચિત કેઈને પ્રસંગવશાત્ “મોઘમ” રીતે કિંચિત્ ઈશારો કર્યો હોય તે ભલે, પણ ત્યારે પણ તેની વિશેષ સ્પષ્ટતા તો તેમણે જેમ બને તેમ ટાળી હતી. એટલે એ વાત પ્રચારિત કરવાને તે પ્રશ્ન જ ન્હોતે. કારણકે એ વાત પ્રચારિત તો જેને માનાદિની કામના હોય તે કદાચ કરે, પણ માનાદિની કામના તે શ્રીમદે ધર પ્રથમથી જ નિર્મૂળ જ કરી હતી, એટલે એને તે સર્વથા અનવકાશ જ હતે; બીજું એ વાત બીજાને કરવાનું પ્રાયઃ કાંઈ પ્રયજન હેતું; અને ત્રીજું કવચિત પરમાર્થ ઉપકારકારણે કાંઈ પ્રયોજન હોય તો પણ આવી આત્માનુભવગમ્ય ને પુરુષપ્રતીતિ. ગમ્ય વસ્તુનો અન્યને અનુભવ કે પ્રતીતિ કેમ કરાવી શક્યા ? આ અંગે શ્રીમદજીએ જાતિસ્મરણજ્ઞાનવાન પાછળને ભવ કેવી રીતે દેખે છે? તે પ્રશ્નના ઉત્તરમાં સાંગોપાંગ સંપૂર્ણ સમાધાન પ્રકાશેલ છે કે – નાનપણે કઈ ગામ, વસ્તુ આદિ જોયાં હય, અને મોટપણે કઈ પ્રસંગે તે ગામાદિનું આત્મામાં સ્મરણ થાય છે, તે વખતે તે ગામાદિનું આત્મામાં જે પ્રકારે ભાન થાય છે, તે પ્રકારે જાતિસ્મરણજ્ઞાનવાનને પૂર્વભવનું ભાન થાય છે. કદાપિ આ ઠેકાણે એમ પ્રશ્ન થશે કે પૂર્વભવમાં અનુભવેલાં એવા દેહાદિનું આ ભવમાં ઉપર કહ્યું તેમ ભાન થાય એ વાત યથાતથ્ય માનીએ તો પણ પૂર્વભવમાં અનુભવેલાં એવા દેહાદિ અથવા કેઈ દેવલે કાદિ નિવાસસ્થાન અનુભવ્યાં હોય તે અનુભવની સ્મૃતિ થઈ છે, અને તે અનુભવ યથાતથ્ય થયે છે, એ શા ઉપરથી સમજાય ? તે એ પ્રશ્નનું સમાધાન આ પ્રમાણે છે. અમુક અમુક ચેષ્ટા અને લિંગ તથા પરિણામ આદિથી પોતાને તેનું સ્પષ્ટ ભાન
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy