SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ મિક્ષપુરુષાર્થની પ્રેરણા : ત્રણ પ્રવાહમાં ન પડવાની મુમુક્ષને જાગૃતિ ૫૫૩ ન થાય; અને તેવા કેઈ પ્રવાહમાં ન તણુઇ જવાય.” આનું તાત્પર્ય એ છે કે આ દુષમકાળની દુષમતા મુખ્યપણે શા કારણે છે તેનું સ્વરૂપ વિચારી, મુમુક્ષુએ નિરાશ–નિરુત્સાહી ન થતાં, પૂર્ણ આશાથી પરમ ઉત્સાહથી ઓર પુરુષાર્થ જાગૃતિ રાખવાની છે, એક માત્ર મેક્ષઅભિલાષ રાખી પ્રબળ મોક્ષપુરુષાર્થ કુરાવવાનો છે. આ મેક્ષ અને મોક્ષપુરુષાર્થ અને આ પ્રકરણમાં વિવરણ કરશું. જ્ઞાનીને ઉપદેશ કદી પણ પુરુષાર્થહીનતા પ્રેરે જ નહિં, સદાય પુરુષાર્થ જાગૃતિ જ પ્રેરે. એટલે મુમુક્ષુએ વર્તમાનમાં કાળદોષથી પ્રવર્તતા માર્ગના કલ્પિત પ્રકારના વહેણમાં ન પડતાં કે ન તણાતાં મેક્ષ માટે પરમ આત્મપુરુષાર્થ કુરાવવા ગ્ય છે. કારણ કે કઠિન કરે કાળ (hard times) હોય તે જેમ અર્થોપાર્જન અર્થે વધારે પ્રયત્ન કરે પડે છે–વિશેષ પુરુષાર્થ કરવો પડે છે -કો જ જોઈએ, નહિં તે ભૂખે મરવું પડે તેમ આ કઠિન દુઃષમ કાળ છે તે ધર્મોપાર્જન અર્થે–એક્ષસાધન અર્થે ઓર જોરશોરથી પ્રયત્ન કરવા જોઈએ, એર વિશેષ આત્મપુરુષાર્થ કુરાવ જોઈએ, નહિં તે સંસારદુઃખે મરવું પડે. ઘરમાં ચોર પિઠો હોય તે લાંબા થઈ સોડ તાણીને સૂઈ રહેવું કામ ન આવે–પાલવે નહિં, તકેદારી રાખી ખબરદાર-વિશેષ જાગૃત જ રહેવું જોઈએ; તેમ આત્માનું ધર્મધન લૂંટી લેનાર આ કળિકાળરૂપ માટે ચોર પિઠે છે, તે પ્રમાદમાં પડ્યા રહેવું કામ ન આવે, ઉલટું વિશેષ સાવધાન સાવચેત રહી આત્મપ્રવૃત્તિમાં સદા જાગ્રત જ રહેવું જોઈએ. એ જ પરમ આત્મપુરુષાથી શ્રીમકુના ઉપર ટકેલ પરમાર્થગંભીર વચનનો આશય છે. એટલે મુમુક્ષુએ સાચા મુમુક્ષુના શમ -સંવેગાદિ લક્ષણ આત્મામાં પ્રગટાવી, સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્રમય મોક્ષમાર્ગની અખંડ એકનિષ્ઠ આરાધના કરવા કટિબદ્ધ થવું જોઈએ; આ કાળમાં મોક્ષ નથી, હજુ ભવસ્થિતિ ઘણી લાંબી છે, એવી હીન પુરુષાર્થની વાત ન કરતાં કે ન સાંભળતાં, આ કાળમાં પણ માત્ર એક ભવ જ બાકી રહે એવું એકાવતારીપણું પ્રાપ્ત થઈ શકે એટલે સુધીની સાધના તે કરી શકાય એમ છે એવી આત્મપુરુષાર્થની જ વાર્તા કરવાસાંભળવા ચગ્ય છે, અને તે અર્થે સર્વાત્માથી-આત્માની સમસ્ત શક્તિથી આત્મપુરુષાર્થ આદરવા ગ્ય છે. મુમુક્ષુઓને નિરાશ નહિં થતાં આશાને અમર સંદેશ આપતા શ્રીમદ્ આ ટેકેન્ઝીણું અમૃત શબ્દમાં મુમુક્ષુઓને સાચી મુમુક્ષુતા પ્રગટાવવાનું આહ્વાન કરી પરમ પુરુષાર્થપ્રેરણ કરે છે– વર્તમાનકાળ દુસમ કહ્યો છે, છતાં તેને વિષે અનંત ભવને છેદી માત્ર એક ભવ બાકી રાખે એવું એકાવતારીપણું પ્રાપ્ત થાય એવું પણ છે, માટે વિચારવાની છે તે લક્ષ રાખી, ઉપર કહ્યા તેવા પ્રવાહમાં ન પડતાં યથાશક્તિ વૈરાગ્યાદિ અવશ્ય આરાધી ગુરુનો પેગ પ્રાપ્ત કરી કષાયાદિ દોષ છેદ કરવાવાળો એવો અને અજ્ઞાનથી રહિત થવાને સત્ય માર્ગ પ્રાપ્ત કર, મુમુક્ષુ જીવમાં સમાદિ કહ્યા તે ગુણે અવશ્ય સંભવે છે; અથવા તે ગુણે વિના મુમુક્ષતા ન કહી શકાય. નિત્ય તે પરિચય રાખતાં, તે તે વાત શ્રવણ કરતાં, વિચારતાં ફરિફરીને પુરુષાર્થ કરતાં તે મુમુક્ષતા ઉત્પન્ન થાય છે, તે મુમુક્ષતા ઉત્પન્ન થયે જીવને પરમાર્થમાગ અવશ્ય સમજાય છે.” અ૭૦
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy