________________
૫૪૬
અધ્યાત્મ રાજચંદ્ર જે જાણવાના ઉપાય તે પ્રત્યે ઉદાસીનપણે વર્તતે પણ જ્ઞાનીના સમાગમે અત્યંત નિકટપણે કલ્યાણને પામે છે, એમ જાણીએ છીએ. (અં. ૩૭૬). કળિયુગમાં અપાર કષ્ટ કરીને પુરુષનું ઓળખાણ પડે છે. છતાં વળી કંચન અને કાંતાને મેહ તેમાં પરમ પ્રેમ ન આવવા દે તેમ છે. ઓળખાણ પડયે અડગપણે ન રહી શકે એવી જીવની વૃત્તિ છે. અને આ કળિયુગ છે, તેમાં જે નથી મુંઝાતા તેને નમસ્કાર. (સં. ૨૭૩). -શબ્દાદિ પાંચ વિષયની પ્રાપ્તિની ઈચ્છાએ કરી જેનાં ચિત્ત અત્યંત વ્યાકુળપણે વર્તે છે એવા જીવનું જ્યાં વિશેષપણે દેખાવું છે, એ જે કાળ તે આ દુસમ કળિયુગ નામને કાળ છે. તેને વિષે વિહળપણું જેને પરમાર્થને વિષે નથી થયું, ચિત્ત વિક્ષેપ પામ્યું નથી, સંગે કરી પ્રવર્તનભેદ પામ્યું નથી, બીજી પ્રીતિના પ્રસંગે જેનું ચિત્ત આવૃત્ત થયું નથી, બીજાં જે કારણે તેને વિષે જેને વિશ્વાસ વર્તતે નથી, એ જે કઈ હોય તે તે આ કાળને વિષે બીજે શ્રી રામ છે. તથાપિ જોઈને સખેદ આશ્ચર્ય વતે છે કે એ ગુણોના કેઈ અંશે સંપન્ન પણ અલ્પ જ દષ્ટિગોચર થતા નથી.” (અં. ૩૮૪). આવા નિરાશાજનક વિષમ દુષમ કળિકાળમાં પણ જે આમ ઉક્ત પ્રકારે વર્તે તે નિકટ કલ્યાણને પામે એ આશાને અમર સંદેશ પણ અત્ર આ તેવી અનંતગુણવિશિષ્ટ આત્મદશાસંપન્ન બીજા શ્રી રામે–આત્મારામ રાજચન્દ્ર આપે છે.
આ વિષમ દુઃષમ કાળનું વિષમપણું-દુઃષપણું શાને લઈને છે? આ કાળમાં મુખ્ય હાનિ શાની થઈ છે? એ સ્પષ્ટ કરતાં શ્રીમદ્દ પ્રકાશે છે કે આ કાળમાં મુખ્ય હાનિ સત્સંગની થઈ છે, પરમાર્થ પ્રાપ્તિના કારણેની હીનતા થઈ છે, એટલે જ આ કાળનું દુઃષમપણું વિષમ પણું પ્રગટે છે. કાળનું દુઃષપણું પિકારતા શ્રીમદના આ ટંકેત્કીર્ણ પત્રઉલેખે પરથી આ વસ્તુ સાવ સ્પષ્ટ થઈ જાય છે—
કળિયુગમાં સત્સંગની પરમ હાનિ થઈ ગઈ છે. અંધકાર વ્યાપ્ત છે, અને સત્સંગનું જે અપૂર્વપણું તેનું જીવને યથાર્થ ભાન થતું નથી. (અં. ૨૧). મહાવીરદેવે આ કાળને પંચમકાળ કહી દુષમ કહ્યો, વ્યાસે કળિયુગ કહ્યો; એમ ઘણું મહાપુરુષોએ આ કાળને કઠિન કહ્યો છે, એ વાત નિઃશંક સત્ય છે. કારણ, ભક્તિ અને સત્સંગ એ વિદેશ ગયાં છે, અર્થાત સંપ્રદાયમાં રહ્યાં નથી, અને એ મળ્યા વિના જીવને છૂટક નથી. આ કાળમાં મળવાં દુષમ થઈ પડયાં છે. માટે કાળ પણ દુષમ છે. તે વાત યથાયોગ્ય જ છે. દુષમને ઓછા કરવા આશિષ આપશે. (સં. ૧૭૩). કરાળ કાળ હેવાથી જીવને જ્યાં વૃત્તિની સ્થિતિ કરવી જોઈએ, ત્યાં તે કરી શકતું નથી. સદ્ધર્મને ઘણું કરીને લેપ જ રહે છે. તે માટે આ કાળને કળિયુગ કહેવામાં આવ્યો છે. સદ્ધ મને જેગ સપુરુષ વિના હોય નહીં, કારણકે અસતમાં સત્ હેતું નથી. ઘણું કરીને સન્દુરુષનાં દર્શનની અને જેમની આ કાળમાં અપ્રાપ્તિ દેખાય છે. જ્યારે એમ છે, ત્યારે સદ્ધર્મરૂપ સમાધિ મુમુક્ષુ પુરુષને ક્યાંથી પ્રાપ્ત હોય? અને અમુક કાળા વ્યતીત થયા છતાં જ્યારે તેવી સમાધિ પ્રાપ્ત નથી થતી ત્યારે મુમુક્ષુતા પણ કેમ રહે? (અં. ૨૪૯). આ લેક ત્રણે કાળને વિષે દુઃખે કરીને પીડાતે માનવામાં