________________
અધ્યાત્મ રાજચંદ્ર આ ષદને પત્ર મુખપાઠ કરવાની શ્રીમદે સૌભાગ્યભાઈ, અંબાલાલભાઈ લલ્લુજી મુનિ આદિ મુમુક્ષુઓને આજ્ઞા કરી હતી, પણ આ ગદ્યકૃતિ મુખપાઠ કરવી સુગમ નહિં હોવાની મુશ્કેલી સૌભાગ્યભાઈએ શ્રીમદ્ પાસે રજુ કરતાં, સૌભાગ્યભાઈની વિજ્ઞપ્તિથી શ્રીમદે આત્મસિદ્ધિ પદ્યકૃતિની રચના કરી હતી એ આપણે આત્મસિદ્ધિ પ્રકરણમાં જેશું. આમ આ વર્ષદના અમૃતપત્રને શ્રીમદની પરમ અમર કૃતિ આત્મસિદ્ધિશાસ્ત્ર સાથે ઘણે ગાઢ-ઘનિષ્ઠ સંબંધ છે, કારણકે બંનેમાં ષપદને વિષય સામાન્ય (common) છે. આ પત્રમાં ૫૫દનું સમગ્રપણે સૂત્રરૂપ સંક્ષેપ કથન છે, ષસ્પદ એ આત્મસિદ્ધિને મુખ્ય વિષય હોઈ આત્મસિદ્ધિમાં એનું શાસ્ત્રીય વિસ્તરીકરણ છે. આત્મસિધિમાં આ ષપદને સૂક્ષ્મ તત્વજ્ઞાનિક શાસ્ત્રીય વિચાર બહલા છે, આ ષપદપત્રમાં સમ્યગદર્શનના સર્વોત્કૃષ્ટ નિવાસભૂત પદને મહિમાતિશય ઉલસા છે. આત્માની મહાગીતા આત્મસિદ્ધિમાં ષદ દ્વારા આત્માનું દિવ્ય ગાન ગાયું છે, આ પદપત્રમાં આ પદ અને તેની પ્રાપ્તિના મૂળ સદગુરુ ભગવાન પ્રત્યેની અદ્ભુત ભક્તિનું અમૃતપાન પાયું છે. આ અવનિના અમૃત સમી આત્મસિદ્ધિ પૂર્વે ત્રણ વર્ષ પહેલાં લખાયેલું આ તેને પુરોગામી અમૃતપત્ર તે અમૃતરસને જાણે પ્રાસ્વાદ-પૂર્વાસ્વાદ (fore-taste) કરાવે છે! ખરેખર! આ પરમગુરુ-જગદગુરુ રાજચંદ્રની પરમ અમર કૃતિ આત્મસિદ્ધિ આ પરમ ગુરુને કીર્તિની ટોચે મૂકી આ પરમગુરુની અમર કૃતિઓમાં મુકુટસ્થાને વિરાજે છે, તે આ પ્રસ્તુત અમૃતપત્ર તે મુકુટમાં ચૂડામણિસ્થાને શેભે છે. આમ એક બીજાના પૂરક ને સમર્થક આત્મસિદ્ધિ અને આ ષદપત્રનું અનેક પ્રકારે સામ્ય પ્રસંગથી દર્શાવી, આ અમૃતપત્રની વસ્તુનું અત્ર સંક્ષેપમાં દર્શન કરશું.
અત્રે–“અનન્ય શરણના આ૫નાર એવા શ્રી સદ્દગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર”—એ આ પત્રના હૃદયરૂપ વચન મથાળે મૂક્યું છે, તે માર્મિકપણે સૂચવે છે કે આ ષપદની પ્રાપ્તિ શ્રી સદ્દગુરુને આધીન છે અને આ શ્રીમદ્ સદ્દગુરુદેવ જ જગમાં જેના જેવું અન્ય કોઈ નથી એવું અનન્ય શરણ–આશ્રયસ્થાન આપનાર છે, ભવભયમાંથી ત્રાણ-રક્ષણ કરનાર છે. આવા “શ્રી જ્ઞાનશ્રીસંપન્ન શ્રીમદ્ સદ્દગુરુ દિવ્ય આત્મગુણ હોવાથી દેવ છે, એવા આ શ્રીસદ્દગુરુને અત્યંત-અતિશય પરમ ભક્તિથી નમસ્કાર ! એમ પરમ ભાવપૂર્ણ નમસ્કાર કરી શ્રીમદ્દ પત્રકારત્યે આ ષપદને મહિમાતિશય પ્રકાશે છે–“શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુએ નીચે કહાં છે તે છ પદને સમ્યગદર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે.'–પામેલ હોય તેની પાસેથી પમાય, દીવામાંથી દી થાય એ ન્યાયે, જે શુદ્ધ આત્મસ્વરૂપને પ્રાપ્ત હેય તે જ આ બા.માં પરમ આપ્ત-પ્રમાણભૂત હોય, એટલે ષદવિચારના ફલરૂપ શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે, તે પરમ પ્રમાણુરૂપ જ્ઞાનીપુરુષએ અનુભવસિદ્ધપણે આ નીચે કહેવામાં આવે છે તે છ પદને “સમ્યગદર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક' સર્વથી ઉત્તમ સ્થાનક કહ્યાં છે. આમ જ્ઞાની પુરુષનાં