SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ બાલ્યકાળ ૨૧ રાજચંદ્રને પણ તે જ નૈસર્ગિક પ્રેમ હતો. એટલે કે લાડકવાયે રાજચંદ્ર તેમને ખાસ હેવા હતો. એટલે રાજચંદ્રને બાલસુલભ નાના પ્રકારની ઈચ્છાઓની પૂત્તિઓનું, કે નિર્દોષ બાલ-હૃદયમાં ઊઠતી શંકાઓ પૃચ્છાઓના સમાધાનનું, કે કઈ પણ આપત્તિમાં “સંકટ સમયે સાંકળ” ખેંચવાનું સ્થાન દાદા પંચાણુભાઈ હતા. અને જેને જેવો સંગ તેને તેવો રંગ, એ ન્યાયે શ્રી પંચાણભાઈના સંગને રંગ રાજચંદ્રને લાગવા માંડ્યો; બાળક દેખે તેવું શીખે તેમજ કુમળું ઝાડ જેમ વાળીએ તેમ વળે, તેમ બાળ રાજચંદ્રની કોમળ હૃદય-વલ્લરી દાદાના સંસ્કારને અનુકૂળપણે વળવા લાગી; દાદાના સંસ્કારની છાપ નિર્દોષ બાળહૃદયમાં અંકિત થતી ચાલી. શ્રી પંચાણભાઈનો કુલધર્મ સ્થાનકવાસી જૈન સંપ્રદાયને હા, તથાપિ તેમને શ્રી કૃષ્ણ પ્રત્યે ભકિત હતી, તેમ જ તેઓ વૈષ્ણવ ધર્મને અનુકૂળ શ્રદ્ધા ધરાવતા હતા, એટલે કુદરતી રીતે આ સંસ્કારની છાપ રાજચંદ્રના હૃદયમાં પડી. આ અંગે પિતાની તેર વર્ષ સુધીની સમુચ્ચયવયચર્યામાં શ્રીમદે સ્વયં ઉલ્લેખ કર્યો છે કે “મારા પિતામહ કૃષ્ણની ભક્તિ કરતા હતા, તેમની પાસે તે વયમાં કૃષ્ણકીર્તનનાં પદે મેં સાંભળ્યાં હતાં, તેમજ જૂદા જૂદા અવતારો સંબંધી ચમત્કારો સાંભળ્યા હતા. જેથી મને ભક્તિની સાથે તે અવતારમાં પ્રીતિ થઈ હતી; અને રામદાસજી નામના સાધુની સમીપે મેં બાળ લીલામાં કંઠી બંધાવી હતી. નિત્ય કૃષ્ણનાં દર્શન કરવા જતો. વખતો વખત કથાઓ સાંભળતા, વારંવાર અવતાર સંબંધી ચમત્કારમાં હું મોહ પામતે, અને તેને પરમાત્મા માનતો. જેથી તેનું રહેવાનું સ્થળ જવાની પરમ જિજ્ઞાસા હતી. ઈત્યાદિ. એક તરફથી રાજચંદ્રના હૃદયમાં આવા વૈષ્ણવધર્માનુકૂળ સંસ્કાર પડયે જતા હતા, તો બીજી તરફ એમના માતાજી શ્રી દેવમા તથા પિતાજી રવજી બાપા પિતાના કુળધર્મ જૈનધર્મનું દઢ પાલન કરતા હતા, એટલે તે સંસ્કારોની છાપ પણ બાલ-રાજહૃદયમાં અવ્યક્તપણે પડયા કરતી, તથાપિ તે વ્યક્તપણે અંકિત થઈ અંકુરિત કે દઢમૂલ બનવાને હજુ વાર હતી. ત્યારે તે પ્રથમ પ્રકારના સંસ્કારનું પલ્લું નમતું હતું. આ અંગે વિશેષ હવે પછી વિચારશું. - રાયચંદની બાલવયની ચર્ચા અંગે વિશેષ સામગ્રી ઉપલબ્ધ નથી, તથાપિ સામાન્ય પણે માત્ર એટલું કહી શકાય એમ છે કે સાત વર્ષની વયે તે રાયચંદે બાલસુલભ નિર્દોષ રમતગમતમાં વ્યતીત કરી હતી. વવાણીઆની આસપાસ થોડે થોડે અંતરે ગંગાય, વિરાસરી, સોનાસરી, રૂપાસરી, રેંટિયાસરી એ વગેરે નાની-મોટી અઢાર તલાવડીઓ આવેલી છે. ત્યાં વારાફરતી એકેક તલાવડીએ બાલમિત્રો સાથે રાયચંદ ફરવા જતા ને આનંદકલેલ કરતા. તત્કાલીન આ પિતાની નિર્દોષ દશાનું સ્મરણ કરતાં રાજચંદ્ર સ્વયં સમુચ્ચયવયચર્યામાં આ વસ્તુનો ઉલ્લેખ કરે છે–“સાત વર્ષ સુધી એકાંત બાળવયની રમતગમત સેવી હતી, એટલું મને તે વેળા માટે સ્મૃતિમાં છે કે વિચિત્ર કલ્પના (કલપનાનું સ્વરૂપ કે હેતુ સમજ્યા વગર) મારા આત્મામાં થયા કરતી હતી. રમતગમતમાં પણ વિજ્ય મેળવવાની, અને રાજરાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની, પરમ જિજ્ઞાસા
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy