________________
૫૨૪
અધ્યાત્મ રાજયક
શ્રીમદે દેવકરણજીને ઠેકાણે લાવવા ને એકાંત આગ્રહ છોડાવવા સૂયગડાંગ–ઉત્તરાધ્યાયનાદિનું પુનઃ અવલોકન કરવાની પ્રેરણું કરી; અને તે પણ કુલસંપ્રદાયના આગ્રહની દષ્ટિથી નહિં, પણ શુદ્ધ આત્માર્થની દષ્ટિથી અને જૈન આગમ વિશેષ વિચારનું સ્થળ છે એ લક્ષમાં રાખવાની વિશિષ્ટ દૃષ્ટિથી. આ અંગે પત્રમાં (અં. ૫૩૪) શ્રીમદ્દ લખે છે–ગવાસિષ્ઠની વાંચના પૂરી થઈ હોય તે થોડો વખત તેને અવકાશ રાખી એટલે હમણાં ફરી વાંચવાનું બંધ રાખી ઉત્તરાધ્યયનસૂત્ર વિચારશે; પણ તે કુળસંપ્રદાયના આગ્રહાથે નિવૃત્ત કરવાને વિચારશે, કેમકે જીવને કુળગે સંપ્રદાય પ્રાપ્ત થયો હોય છે તે પરમાર્થરૂપ છે કે કેમ? એમ વિચારતાં દષ્ટિ ચાલતી નથી; અને સહેજે તે જ પરમાર્થ માની રાખી જીવ પરમાર્થથી સૂકે છે, માટે મુમુક્ષુ જીવને તે એમ જ કર્તવ્ય છે કે જીવને સદ્દગુરુગે કલ્યાણની પ્રાપ્તિ અલ્પકાળમાં થાય તેનાં સાધન, વૈરાગ્ય અને ઉપશમાથે યોગવાસિષ્ઠ ઉત્તરાધ્યયનાદિ વિચારવા ગ્ય છે, તેમજ પ્રત્યક્ષ પુરુષનાં વચનનું નિરાબાદપણું, પૂર્વાપરઅવિરેધપણું જાણવાને અર્થે વિચારવા યોગ્ય છે.” તેમ જ બીજા પત્રમાં (અં. ૫૭૭). શ્રીમદ્દ લખે છે–“હાલ જે કઈ વેદાંત સંબંધી ગ્રંથ વાંચવા અથવા શ્રવણ કરવાનું રહેતું હોય તે તે વિચારને વિશેષ વિચાર થવા થોડો વખત શ્રી આચારાંગ, સૂયગડાંગ તથા ઉત્તરાધ્યયન વાંચવા, વિચારવાનું બને તો કરશે. વેદાંતના સિદ્ધાંતમાં તથા જિનના આગમના સિદ્ધાંતમાં જુદાપણું છે, તે પણ જિનનાં આગમ વિશેષ વિચારનું સ્થળ જાણી વેદાંતનું પૃથકકરણ થવા તે આગમ વાંચવા, વિચારવા એગ્ય છે.” ઈ.
આમ શ્રીમદૂની વારંવાર પ્રેરણા છતાં વેદાંત ગ્રંથના વિશેષ પ્રસંગથી અને સુરતમાં વેદાંતીઓના વિશેષ સંગથી દેવકરણજી પિતાને જઈ રહmમિ-હું બ્રહ્મ છું-હું પરમાત્મા છું એમ માનવા લાગ્યા. એટલે લલ્લુજી મુનિએ આ બાબત શ્રીમદને પત્ર લખતાં દેવકરણજીની આ ભ્રાંતિ ઉડાવવા અને સ્વછંદ છોડાવવા શ્રીમદે સર્વકાળના સર્વ મુમુક્ષુઓને અપૂર્વ માર્ગદર્શક થઈ પડે એ આ પત્ર(અં.૫૮૮) લખ્યો હતો- “આત્મસ્વરૂપને નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. સમસ્ત શ્રુતજ્ઞાનસ્વરૂપ એવાં દ્વાદશાંગમાં સૌથી પ્રથમ ઉપદેશગ્ય એવું આચારાંગસૂત્ર છે. તેના પ્રથમ શ્રુતસ્કંધમાં પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદેશમાં પ્રથમ વાકયે જે શ્રી જિને ઉપદેશ કર્યો છે, તે સર્વ અંગના, સર્વ શ્રતજ્ઞાનના સારસ્વરૂપ છે, મોક્ષના બીજભૂત છે, સમ્યક્ત્વસ્વરૂપ છે, તે વાક્ય પ્રત્યે ઉપગ સ્થિર થવાથી જીવને નિશ્ચય આવશે, કે જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છેદે નિશ્ચય કરે તે છૂટવાને માર્ગ નથી. સર્વ જીવનું પરમા ભાપણું છે એમાં સંશય નથી, તે પછી શ્રીદેવકરણજી પિતાને પરમાત્મસ્વરૂપ માને તે તે વાત અસત્ય નથી, પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ્ય પ્રગટે નહીં ત્યાંસુધી મુમુક્ષુ, જિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે, અને તે રસ્તે યથાર્થ પરમાત્મપણું પ્રગટે છે. જે માર્ગ મૂકીને પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી; તથા શ્રી જિન વિતરાગ સર્વજ્ઞ મુજ આસાતના કરવારૂપ પ્રવૃત્તિ થાય છે. બીજો ભલે કંઈ નથી.”-વિષમ અને ભયંકર