SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ પાદ અધ્યાત્મ રાજ્ય દ્ર નિમિત્ત છે, તે સાધનની આરાધના જીવને નિજસ્વરૂપ કરવાના હેતુપણું જ છે, તથાપિ જીવ જો ત્યાં પણ વચનાબુદ્ધિએ પ્રવર્તે તા કોઈ દિવસ કલ્યાણ થાય નહીં, વચનાબુદ્ધિ એટલે સત્સંગ, સદ્ગુરુ આદિને વિષે ખરા આત્મભાવે માહાત્મ્યબુદ્ધિ ઘટે તે માહાત્મ્યબુદ્ધિ નહીં, અને પેાતાના આત્માને અજ્ઞાનપણું જ વર્યાં કર્યું છે, માટે તેની અલ્પજ્ઞતા, લઘુતા વિચારી અમાહાત્મ્યબુદ્ધિ નહીં; તે સત્સંગ, સદ્ગુરુ આદિને વિષે આરાધવાં નહીં તે પણ વચનાબુદ્ધિ છે, ×× વધારે લક્ષ તેા પ્રથમ જીવને જો આ થાય તા સ શાસ્રા અને આત્માર્થ સહેજે સિદ્ધ થવા સંભવે છે.’ (અ’, પર૬) ઇ. અને આમ ‘સર્વ કામ કબ્ય માત્ર આત્મા છે એ સંભાવના નિત્ય મુમુક્ષુ જીવે કરવી ચાગ્ય છે. (અં. ૬૭૦). જગમાં રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કંઈ આચરે નહીં, પણ રૂડુ' હાય તે જ આચરે (અ. ૨૭૪).’–ઇત્યાદિ સુવણુસૂત્રો નિર'તર લક્ષમાં રાખી સુમુક્ષુ જીવે શુદ્ધ આત્માથે, દ્રવ્યથી ક્ષેત્રથી-કાલથી નિવૃત્તિને યથાશક્તિ લાભ લઈ ભાવથી નિવૃત્તિ પામવા આ સાધનાના અપ્રમાદપણે લાભ ઊઠાવવા જોઇએ; કેવળ અંતર્મુખ થવાને સત્પુરુષોના મા સદુઃખક્ષયના ઉપાય છે ’ (અ’. ૮૧૬)– એ કેન્દ્રસ્થ મૂળ સૂત્ર સતત ઉપયાગમાં રાખી, એછે! પ્રમાદ થવાના ઉપયાગ એ જીવને માના વિચારમાં સ્થિતિ કરાવે છે, અને વિચાર માર્ગોમાં સ્થિતિ કરાવે છે, એ વાત ફરી ફરી વિચારી, પ્રયત્ન ’(અ’. ૪૨૩) કરતા રહેવા જોઈએ; ‘જો સફળતાના માર્ગ સમજાય તે આ મનુષ્યપણાના એક સમય પણ સર્વોત્કૃષ્ટ ચિંતામણિ છે (અ. ૭૩૦), અને જો દેહાથ માં જ તે મનુષ્યપણું વ્યતીત થયું તે તે એક ફૂટી બદામની કિંમતનું નથી ’(અ’. ૭૨૫), એ અમૂલ્ય સૂત્રેા સદા સ્મરણમાં રાખી, એવા ચિંતામણિરત્નથી પરમ માહાત્મ્યવાન અને મૂલ્યવાન આ અમૂલ્ય મનુષ્યપણાના શુદ્ધ આત્મામાં જ ઉપયોગ કરવા જોઈ એ; અને તેમ કરવામાં નિરાશ કે નિરુત્સાહી ન થતા નિત્ય વિશુદ્ધિસ્થાનકના અભ્યાસ કરતા રહી અપૂર્વ શૂરવીરતાથી આત્મપુરુષાથ સ્ફુરાવવા જોઇ એ,એમ પરમ પુરુષાની પ્રેરણા કરતાં શ્રીમદ્ આ પરમ ઉત્સાહપ્રેરક અમર વચનેામાં મુમુક્ષુઓને પૂર્વ ઉત્સાહ પ્રેરે છે— ܕ ‘મુમુક્ષુપણું જેમ દૃઢ થાય તેમ કરી, હારવાના અથવા નિરાશ થવાના કાંઇ હેતુ નથી. દુલ ભ ચાગ જીવને પ્રાપ્ત થયા તે પછી થોડાક પ્રમાદ છેડી દેવામાં જીવે મુંઝાવા જેવું અથવા નિરાશ થવા જેવું કઈ જ નથી. (અ.૮૨૯). • ઉપરની ભૂમિકાઓમાં પણ અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વાસનાનું સંક્રમણ થઈ આવે છે, અને આત્માને વારવાર આકુળવ્યાકુળ કરી દે છે; X x તેવા અતરાયથી ખેદ્મ નહીં પામતાં આત્માથી જીવે પુરુષાથ દૃષ્ટિ કરવી અને શૂરવીરપણું રાખવું. હિતકારી દ્રબ્યક્ષેત્રાદિ યાગનું અનુસ'ધાન કરવું, સત્શાસ્ત્રનેા વિશેષ પરિચય રાખી વારવાર હઠ કરીને પણ મનને સદ્વિચારમાં પ્રવેશિત કરવું, અને મનના દુરાત્મ્યપણાથી આકુળવ્યાકુળતા નહીં પામતાં ધૈર્યથી સદ્વિચારપ'થે જવાનેા ઉદ્યમ કરતાં જય થઇ ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થાય છે, અને અવિશ્લેષપણુ' પ્રાપ્ત થાય છે. ('. ૮૧૩). ખેદ નહીં કરતાં શૂરવીરપણું મહીને જ્ઞાનીને માર્ગ ચાલતાં મેક્ષપાતળુ સુલભ જ
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy