SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ સૌભાગ્યનું અપૂર્વ સમાધિમરણ ૪૯૩ અને સૌભાગ્યના ઉત્તમેાત્તમ ગુણાનું અન્ય મુમુક્ષુએ પ્રત્યેના પત્રામાં વારંવાર સ્મરણુ કરતા રહ્યા, ૧૯૫૩ના અસાઢ સુદ ૪ના દિને ત્ર્યંબકલાલ પર લખેલા પત્રમાં (અ.૭૮૩) શ્રીમદ્ લખે છે— શ્રી સેાભાગને નમસ્કાર. શ્રી સાભાગને નમસ્કાર. શ્રી સેાભાગની મુમુક્ષુ દશા તથા જ્ઞાનીના માર્ગ પ્રત્યેના તેના અદ્ભુત નિશ્ચય વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે.’ અત્રે પત્રના મથાળે કોઇ પ્રાતઃસ્મરણીય મહાત્માને નમસ્કાર કરતા હાય એમ શ્રીમદે સૌભાગ્યના મહાન્ આત્માને નમસ્કાર કર્યાં છે, તે વસ્તુ આપણું એકદમ ધ્યાન ખેંચે છે. શ્રાવણ વદ ૧ ૧૯૫૩ ના પત્રમાં (અ. ૭૯૪) શ્રીમદ્ પુનઃ લખે છે—આય. સેાભાગના સમાગમ વિશેષ વખત તમને રહ્યો હાત તા ઘણા ઉપકાર થાત. પણ ભાવી પ્રખળ છે. તે માટે ઉપાય એ છે કે તેમના ગુણાનું વારવાર સ્મરણ કરીને જીવને વિષે તે ગુણેા ઉત્પન્ન થાય એવું વ`ન રાખવું.' અને શ્રાવણ વદ ૮ ૧૯૫૩ ના પત્રમાં (અં. ૭૯૭) લખે છે- -શ્રી ડુંગરની દશા લખી તે જાણી છે. શ્રી સેાભાગના વિયેાગથી તેમને સૌથી વધારે ખેદ થવા ચેાગ્ય છે. એક બળવાન સત્સમાગમના ચેાગ જવાથી આત્માથી ના અંતઃકરણમાં ખળવાન ખેદ થવા ચાગ્ય છે.’ ૧૯૫૩ ના અશાડ વદ ૧ ના દ્વિને માલાલભાઈ (?) પરના પત્રમાં લખે છે.આય સેાભાગની ખાદ્યાભ્યતર દશા પ્રત્યે વાર વાર અનુપ્રેક્ષા કર્ત્તવ્ય છે; અને તે જ શ્રી લલ્લુજી મુનિ પરના પત્રમાં (અ. ૭૮૬) મુનિઓને પણ મનન કરવા ચેાગ્યભાવન કરવા ચાગ્ય સૌભાગ્યની દેહમુક્ત સમયની દશાની સ્તુતિ કરતાં શ્રીમદ્ લખે છે—આય સેાભાગની અંતરંગ દશા અને દેહ મુક્ત સમયની દશા, મુનિએ ! તમારે વારવાર અનુપ્રેક્ષા કરવા ચેાગ્ય છે.' આમ મહામુનીશ્વરાને પણ દુર્લભ એવા જેના અપૂર્વ સમાધિમરણની મુક્તક કે સ્તુતિ કરતા શ્રીમદ્ જે સેાભાગને અત્ર સ`ત્ર આ’—પરમ પૂજ્ય—પરમ માના શબ્દથી ખિરદાવે છે, તે સેાભાગને પેાતાની હાથનેાંધમાં આ ‘તું’કારામય પરમ પ્રેમપૂર્ણ અમર શબ્દોમાં પરમ ભાવપૂર્ણ નમસ્કાર કરે છે— હે શ્રી સાભાગ ! તારા સત્યમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણુ થયું તે અર્થે તને નમસ્કાર હો.’ આમ પેાતાના ઉપકારી જે સેાભાગને કૃતશિરોમણિ શ્રીમદ્ જેવા પરમ મહાજ્ઞાની નમસ્કાર કરે છે, તેને સર્વ કાળના સ` મુમુક્ષુએ નમસ્કાર કરે છે અને પાકારે છે—૩ શ્રી સેાભાગ ! ત્હારા જેવા પરમાર્થસખા આ પરમજ્ઞાની રાજચંદ્રને મળ્યા, તેા ત્હારા પરના શ્રીમના પત્રોમાં વ્યક્ત થતી આ પરમ જ્ઞાનાવતાર પુરુષની આત્મદશા સંખ`ધી અમે કંઇક જાણવા પામ્યા. ખરેખર ત્હારા પરના શ્રીમદ્નના પરમા પત્રોમાં વેરવિખેર પડેલી વિપુલસામગ્રીને મહાપરિશ્રમે સશેાધીસ શેાધીને–મંથી મંથીને આ ચરિત્રાલેખકે આ અધ્યાત્મ રાજચંદ્ર' જગત્ સમક્ષ રજૂ કર્યાં, તે પરથી અમે આ જ્ઞાનાવતાર અધ્યાત્મ રાજચંદ્રને કંઈક અ ંશે ઓળખવા પામ્યા. આ સ હે શ્રી સેાભાગ! ત્હારો અમારા પર—જગત્ પર પરમ અનુગ્રહ છે, માટે તને નમસ્કાર હા! નમસ્કાર હે!! જય સૌભાગ્ય ! DEF
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy