SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ વીતરાગમાગ પ્રભાવનાની પરમ પ્રકૃષ્ટ ભાવના બુદ્ધિને આત્મા ભજે એમ પરમ નિસ્પૃહ-પરમ નિરહં શ્રીમદ્દ થવા દેવા માગતા નથી, એટલે જ જ્યાં સુધી તેવા કંઈપણ ભયની સંભાવના હોય ત્યાંસુધી તેમ કરતાં શ્રીમદ અટકે છે. જગતકલ્યાણ કરવું છે અને જરા પણ બાહ્યા માહાસ્ય આત્માને ભજવા દેવો નથી એ બે પ્રકારનો વિચાર હાલ નિત્ય શ્રીમદ્દ કરી રહ્યા છે, એટલે જ આ સં. ૧૯૫૦, ભા. શુદ અને દિને લખેલા પત્રમાં સૌભાગ્યને આ વર્તમાન સ્થિતિ દર્શાવતાં લખે છે—તમારી ઈચ્છા થવાથી વર્તમાન જે સ્થિતિ છે, તે એ સંબંધમાં સંક્ષેપ લખી છે, અને તેથી તમને કોઈ પણ પ્રકારે ઉદાસ થવું ઘટતું નથી, કેમકે અમને વર્તમાનમાં તે ઉદય નથી, પણ અમારાં આત્મપરિણામ તે ઉદયને અલ્પ કાળમાં મટાડવા ભણી છે, એટલે તે ઉદયની કાળસ્થિતિ કેઈ પણ પ્રકારે વધારે બળવાનપણે વેદવાથી ઘટતી હોય તો તે ઘટાડવા વિષે વર્તે છે. અને આ બાહ્ય માહાસ્ય અંગે વિશેષ ખુલાસો કરતાં લખે છે – બાહ્ય માહામ્સની ઈચ્છા આત્માને ઘણા વખત થયાં નહીં જેવી જ થઈ ગઈ છે. એટલે બુદ્ધિ બાહ્ય માહાત્મ્ય ઘણું કરી ઈચ્છતી જણાતી નથી, એમ છે, તથાપિ બાહ્ય માહાસ્યથી જીવ સહેજ પણ પરિણામભેદ ન પામે એવી સ્વાસ્થામાં કંઈક ન્યૂનતા કહેવી ઘટે છે, અને તેથી જે કંઈ ભય રહે છે તે રહે છે, જે ભયથી તરતમાં મુક્તપણું થશે એમ જણાય છે. આ ખુલે ખુલ્લા નિહુષ ખુલાસા પરથી પ્રભાવના બા. શ્રીમદ્દની “પ્રભાવના–પ્રકૃષ્ટ ભાવના સાવ સપષ્ટ સમજાય છે. પુણ્યશ્લોક શ્રીમદને જગતકલ્યાણરૂપ પ્રભાવના તે કરવી છે એ નિશ્ચય છે, પણ આ પરમ પુણ્ય કાર્યમાં–પરમ પાવન શુદ્ધ કાર્યમાં પરમાણમાત્ર પણ સમયમાત્ર પણ અશુદ્ધિ ન રહી જવા પામે તેમ તેની સર્વથા અભાવના કરીને જ તે કરવું છે. પરમ નિમની શ્રીમદને બાહ્ય માહાઓની બુદ્ધિ-ઈચ્છા તો છે જ નહિં, સર્વથા અભાવ જ છે; પણ તેમ કલ્યાણ કરવા જતાં પોતાનું બાહ્ય માહાસ્ય પ્રગટે, અને તેથી જીવ સહેજ પણ–જરા પણ “પરિણામભેદ ન પામે–પરિણામમાં ભેદ થવારૂપ પરિણામાંતર ન પામે એવી “સ્વાસ્થામાં–પોતાની આસ્થામાં-શ્રદ્ધામાં કંઈક ન્યૂનતા-ઉણપ જણાય છે અને તેથી જે કંઈ ભય રહે છે તે રહે છે, અર્થાત્ બાહા માહામ્ય પ્રગટતાં રખેને કદાચ જીવના પરિણામમાં ભેદરૂપ ફેરફાર થઈ જાય એવે સંભવ છે જ નહિં, છતાં સહેજ પણ પરિણામભેદ નહિં જ થાય એવી પોતાની આસ્થામાં ઊણપને લઈ કંઈક ભય લાગે છે, અને તે રહ્યાહ્યા ભયને પણ તરતમાં જ અભાવ થઈ જશે એ શ્રીમદને દઢ નિશ્ચય છે, અને તે ભય આગળ જતાં તરતમાં જ સર્વથા નિમૅલ થયે જ છે. જગમાં મોટા ગણાતા બીજા અનેક મહતુ પુરુષો પણ ક્વચિત્ ધર્મસ્થાપનનું મોટું માન સમજી ઊડે ઊડે તે અર્થે પણ તેવી પ્રવૃત્તિ કરતા દેખાય છે, અથવા પિતાને મહિમા પ્રગટતાં પાછળથી માનાર્થમાં પડી જાય છે એવું પણ બને છે, પણ પૂજાદિની કામનાને પરમાણુ માત્ર પણ સમયમાત્ર પણ અનંતાંશ પણ જેને નથી એવા પરમ નિસ્પૃહ શ્રીમદ તે પહેલાંથી કે પાછળથી પૂર્વાપર તેમ થવા દેવા માગતા જ નથી એવા પૂરેપૂરા
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy