________________
૪૪૬
અધ્યાત્મ રાજચંદ્ર ધ્યાવવાથી પરમાત્મા થવાય છે અને તેવી પિતાની વર્તાતી ધ્યાનદશાનું જાણે માર્મિક સૂચન કરતા હોય એમ આનંદઘનજીનું આ પ્રસિદ્ધ વચન આ પત્રોમાં (અં. ૩૧૪, ૩૮૭) ટાંકયું છે—“જિન થઈ જિનને જે આરાધે, તે સહી જિનવર હવે રે; ભંગી ઈલિકાને ચટકાવે, તે ભંગી જગ જેવે રે.”—આને અપૂર્વ પરમાર્થ શ્રીમદે ત્યાં (અં.૩૮૭) પ્રકાશ્ય છે–જિન થઈને એટલે સાંસારિક ભાવને વિષેથી આત્મભાવ ત્યાગીને, જે કઈ “જિનને એટલે કૈવલ્યજ્ઞાનીને–વીતરાગને આરાધે છે, તે નિશ્ચયે જિનવર એટલે કૈવલ્યપદે યુક્ત હોય છે. તેને ભમરી અને ઈયળનું પ્રત્યક્ષ સમજાય એવું દષ્ટાંત આપ્યું છે. અને જિનધ્યાન કરતાં શ્રીમદ અનુભવસિદ્ધપણે તેમજ કર્યું છે, અને તેમ જ થયા છે. કારણ કે–
શુદ્ધ નિરંજન અલખ અગોચર, એહિ જ સાધ્ય સુહાય રે; જ્ઞાન ક્રિયા અવલંબી ફર, અનુભવ સિદ્ધિ ઉપાયે રે. રાય સિદ્ધારથ વંશ વિભૂષણ ત્રિશલારાણી જાયે રે;
અજ અજરામર સહજાનંદી, ધ્યાનભુવનમાં ધ્યા રે....(અં. ૩૧૧)
—એ શ્રીમદૂની પોતાની વસ્તી રહેલી ધ્યાનદશાનું પ્રતિબિંબ પાડતા આ અમર શબ્દોથી સૂચિત થાય છે તેમ-જ્ઞાનક્રિયા અવલંબી શ્રીમદના દિવ્ય આત્માએ “શુદ્ધ નિરંજન અલખ અગોચર’ આ જ સાધ્ય એ શુદ્ધ આત્મારૂપ અનુભવસિદ્ધિને ઉપાય સ્પર્યો છે, અને “અજ અજરામર સહજાનંદી” એવા જિનભગવાન મહાવીરના દિવ્ય આત્માને ધ્યાનભુવનમાં ધ્યાવ્યો છે,–ધ્યાનભુવનમાં ધ્યા છે. એટલે જ આ
ધ્યાનસુખને પરમ અમૃતાનુભવ કરતા શ્રીમદૂના દિવ્ય આત્માએ આ કેવલ આત્માનવગમ્ય ધ્યાનસુખને આ અનુભવો લાસ ત્યાં જ (અં. ૩૧૧, ૩૯૦) યશોવિજયજીના આ અમર શબ્દોમાં દર્શાવ્યો છે–“નાગર સુખ પામર નવ જાણે, વલભ સુખ નકુમારી રે, અનુભવ પણ તેમ ધ્યાન તણું સુખ, કુણ જાણે નરનારી રે” ઈ. એમ દિવ્ય ધ્યાનસુખને અનુભવ કરતા શ્રીમદ્ આમ સાક્ષાત્ પરમાત્મસ્વરૂપ શુદ્ધ આત્મારૂપ જિનનું ધ્યાન કરતાં શુદ્ધ આત્મધ્યાન પર કેવા આરૂઢ થઈ ગયા, તે આ તેમના સૌભાગ્ય પરના પત્રમાં (અં. ૨૮૦, ૩૬૬, ૩૧૪ ઈ.) વારંવાર આવતા અનુભવદુગાર જ દર્શાવે છે–“જણાવ્યા જેવું તો મન છે, કે જે સસ્વરૂપ ભણી અખંડ સ્થિર થયું છે (નાગ જેમ મોરલી ઉપર) X ૮ (. ૨૮૦). આતમ ધ્યાન કરે છે કેઉ, સે ફિર ઈણમેં નવેક વાગજાળ બીજું સૌ જાણે, એહ તત્વ ચિત્ત ચાવે. (અં. ૩૧) મનમાં વારંવાર વિચારથી નિશ્ચય થઈ રહ્યો છે કે કઈ પણ પ્રકારે ઉપગ ફરી અન્યભાવમાં પોતાપણું થતું નથી, અને અખંડ આત્મધ્યાન રહ્યા કરે છે. x નિરુપમ એવું જે આત્મધ્યાન તીથકરાર કર્યું છે, તે પરમ આશ્ચર્યકારક છે. (અં. ૩૬૬) છે. એવું પરમ આશ્ચર્યકારક પરમ અદૂભુત અખંડ આત્મધ્યાન શ્રીમદ ધરતા હતા.
શ્રીમદના આ પરમપદપ્રાપ્તિના ધ્યાનની વધતી જતી ગુણશ્રેણી કેવી અદ્ભુત હતી, તેનું દર્શન આપણને શ્રીમદ્દ હદયદર્પણ સમી હાથધમાં પ્રાપ્ત થાય છે. હાથને ૧૯૨૫માં એકવાર ધ્યાન શબ્દ લખી, તેની નીચેમાં બેવાર ધ્યાન ધ્યાન