________________
અધ્યાત્મ રાજચંદ્ર જતું જ હતું, અને “કેવલભૂમિકાના સહજ પરિણમી ધ્યાન” પર્યત પહોંચ્યું જ હતું, એટલે તેમણે તે પરમપદની પ્રાપ્તિ નથી કરી એમ નહિં પણ કરી જ છે, વા લગભગ કરી જ છે એમ સમજવાનું છે. અને આ ૧૫૧ની સાલ પૂર્વે પણ શ્રીમદ્ આ પરમપદનું ધ્યાન કરી જ રહ્યા હતા અને તેની પ્રાપ્તિને શ્રીમદ્દ અસીમ આત્મપુરુષાર્થ ચાલુ જ હતું. એટલે અધ્યાત્મજીવનના પ્રથમ તબક્કાના પ્રારંભથી માંડીને આ જીવનના અંત પર્યત વધતી જતી દશાવાળું આ અપૂર્વ આત્મધ્યાન ધ્યાવતા શ્રીમદ્દ હાથોંધ ૧-૩૧ માં જણાવ્યું છે તેમ “કેવલ ભૂમિકાના સહજ પરિણામી ધ્યાને પર્યત તો પહોંચી જ ગયા હતા-એ શ્રીમદના અધ્યાત્મજીવનની અનુભવસિદ્ધ સિદ્ધ હકીકત છે. શ્રીમદના આ અદ્દભુત અલૌકિક અનુપમ અપૂર્વ આત્મધ્યાન સંબંધી આ પ્રકરણમાં વિવરણ કરશું.
અધ્યાત્મમાં નિમજજન કરી રહેલા શ્રીમદ્ આ આત્મધ્યાનના માર્ગે ક્યારનાયે પ્રયાણ કરી ચૂક્યા જ હતા. સં. ૧૯૪૫ના વૈ. સુ. ૧૨ ના દિને ખીમજીભાઈ પરના પત્રમાં (અં. ૬૨) શ્રીમદ્દ આ કાળમાં ધ્યાનની કઈ ભૂમિકા આ ક્ષેત્રે સાધ્ય થઈ શકે એ અંગેની સામાન્ય શાસ્ત્રસ્થિતિનું દિગદર્શન કરતાં પ્રથમ માર્મિકપણે આ મથાળું લખે છે –પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. પણ તે પાવન આત્મા પુરુષના ચરણકમળની વિનપાસના વિના પ્રાપ્ત કરી શકો નથી, એ નિગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. અર્થાત્ સપુરુષને વિનોપાસક આત્મા પરમાત્માનું ધ્યાન કરતાં પરમાત્મા થાય છે એમ માર્મિક તત્વ સૂચવી લખે છે–મેલના માર્ગની અનુકૂળતા ઘેરી વાટે પ્રથમ ધર્મધ્યાનથી છે આ કાળમાં રૂપાતીત સુધી ધર્મ ધ્યાનની પ્રાપ્તિ કેટલાક સપુરુષોને સ્વભાવે, કેટલાકને સદગુરુરૂપ નિરુપમ નિમિત્તથી અને કેટલાકને સત્સંગ આદિ લઈ અનેક સાધનોથી થઈ શકે છે, પણ તેવા પુરુષ-નિગ્રંથમતને-લામાં પણ કેઈક જ નીકળી શકે છે. ઘણે ભાગે તે પુરુષ ત્યાગી થઈ, એકાંતભૂમિકામાં વાસ કરે છે, કેટલાક બાહ્ય અત્યાગને લીધે સંસારમાં રહ્યા છતાં સંસારીપણું જ દર્શાવે છે. પહેલા પુરુષનું મુખ્યત્કૃષ્ટ અને બીજાનું ગૌત્કૃષ્ટ જ્ઞાન પ્રાચે કરીને ગણી શકાય. અત્રે “કેટલાક બાહ્ય અત્યાગને લીધે સંસારમાં રહ્યા છતાં સંસારીપણું જ દર્શાવે છે.”—એ શબ્દમાં શ્રીમદે પોતાને માટે ગર્ભિત સૂચન કર્યું હોય એમ લાગે છે, એટલે આ વખતે પણ (૧૯૪પના વિ.) શ્રીમદ રૂપાતીત ધ્યાનદશાએ તે પહોંચી જ ગયા હતા. પછી આગળ લખે છે–ચોથે ગુણ સ્થાનકે આવેલે પુરુષ પાત્રતા પાપે ગણી શકાય; ત્યાં ધર્મધ્યાનની ગૌણતા છે, પાંચમે મધ્યમ ગૌણુતા છે. છઠું મુખ્યતા પણ મધ્યમ છે. સાતમે મુખ્યતા છે. આપણે ગૃહવાસમાં સામાન્ય વિધિએ પાંચમે ઉત્કૃષ્ટ તો આવી શકીએ; આ સિવાય ભાવની અપેક્ષા તો ઓર જ છે!” અર્થાત્ બાહા દષ્ટિથી જોતાં “સામાન્ય વિધિ” પ્રમાણે–સામાન્ય વિધાન પ્રમાણે પાંચમા ગુણસ્થાન સુધી તે પહોંચી શકાય, પણ આ સિવાય “ભાવની અપેક્ષા તો ઓર જ છે!”—આ સામાન્ય નિયમરૂપ વિધાન તે ઉત્સર્ગમાર્ગરૂપ છે, તે અપ