________________
અધ્યાત્મ રાજચંદ્ર
રહે છે (અં. ૬૦૬) એવા શ્રીમદ્દની જગમાં સર્વત્ર સમતા કેવી અદ્ભુત હતી તે તેમને આ અમૃતપત્ર જ (અં. ૪૬૯) દર્શાવે છે –
જેવી દૃષ્ટિ આ આત્મા પ્રત્યે છે, તેવી દષ્ટિ જગતના સર્વ આત્માને વિષે છે. જે સ્નેહ અ: આત્મા પ્રત્યે છે તે સ્નેહ સર્વ આત્મા પ્રત્યે વર્તે છે. જેવી આ આત્માની સહજાનંદ સ્થિતિ ઇચ્છીએ છીએ, તેવી જ સર્વ આત્મા માટે ઇચ્છીએ છીએ, જે બા દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ, તે જ સર્વ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ, જે સર્વ દેહ પ્રત્યે વર્તવાને પ્રકાર રાખીએ છીએ, તેવો જ આ દેહ પ્રત્યે પ્રકાર વતે છે. આ દેહમાં વિશેષ બુદ્ધિ અને બીજા દેહ પ્રત્યે વિષમ બુદ્ધિ ઘણું કરીને કક્યારેય થઈ શકતી નથી. x x કઈ પ્રત્યે કંઈ વિશેષ કરવું નહીં, કે ખૂન કરવું નહીં; અને કરવું તો એકધારાનું વર્તન સર્વ જગત પ્રત્યે કરવું. એવું જ્ઞાન આત્માને ઘણા કાળ થયાં દઢ છે; નિશ્ચયસ્વરૂપ છે. x સૌથી અભિન્ન ભાવના છે; જેટલી
ગ્યતા જેની વર્તે છે, તે પ્રત્યે તેટલી અભિન્નભાવની સ્કૂતિ થાય છે; કવચિત કરુણાબુદ્ધિથી વિશેષ સ્કૂતિ થાય છે; પણ વિષમપણથી કે વિષય, પરિગ્રહાદિ કારણ પ્રત્યયથી તે પ્રત્યે વર્તવાનો કંઈ આત્મામાં સંકલ્પ જણાતો નથી. અવિકલ્પરૂપે સ્થિતિ છે, વિશેષ શું કહીએ ? અમારે કંઈ અમારૂં નથી, કે બીજાનું નથી કે બીજું નથી; જેમ છે તેમ છે. જેમ સ્થિતિ આત્માની છે, તેવી સ્થિતિ છે. સર્વ પ્રકારની વર્તન નિષ્કપટપણાથી ઉદયની છે; સમવિષમતા નથી. સહજાનંદ સ્થિતિ છે. જ્યાં તેમ હોય ત્યાં અન્ય પદાર્થમાં આસક્તબુદ્ધિ ઘટે નહીં, હેય નહીં.”
આવી આત્મવત્ સર્વરોષ એવી શ્રીમદના આત્મજીવનમાં વણાઈ ગયેલી સર્વત્ર સમતા કેવી અદ્ભુત હતી! આત્મજીવનમાં ઓતપ્રોત થયેલી સામાયિક ચારિત્રદશા કેવી અલૌકિક હતી! “પરમ વીતરાગોએ આત્મસ્થ કરેલું, યથાખ્યાત ચારિત્રથી પ્રગટેલું એવું પરમ અસંગપણું નિરંતર વ્યક્તા વ્યક્તપણે સંભારું છું'-(અં. ૮૬) એ શ્રીમદના દિવ્ય આત્માના ધન્ય ઉદ્દગારોથી સૂચિત થતી એમની યથાખ્યાત (ક્ષાયિક) ચારિત્ર પ્રત્યેની દોટ કેવી અપૂર્વ હતી! “અનંત અવ્યાબાધ સુખને એક અનન્ય ઉપાય સ્વરૂ પસ્થ થવું તે જ છે' (અં. ૯૦૧) એ વચન જેણે અનુભવસિદ્ધ કર્યું હતું એવા સ્વરૂપસ્થ શ્રીમદની સ્વરૂપે સંયમ–સ્વરૂપમાં સંયમનરૂપ સંયમદશા કેવી અનુપમ હતી! શ્રીમદની આ આત્મસંયમદશા–આત્મચારિત્રદશા સમયે સમયે અનંતગુણવિશિષ્ટ બનતી જતી હતી. “આતમભાવના ભાવમાં જીવ લહે કેવલજ્ઞાન રે એ આત્મભાવના નિરંતર ભાવતા પરમ ભાવિતાત્મા શ્રીમદ્ શુદ્ધતા વિચારતા હતા, શુદ્ધતા ધ્યાવતા હતા, શુદ્ધતામાં કેલિ–રમણતા કરતા હતા, શુદ્ધતામાં સ્થિર રહેતા હતા,-એવા એમના સ્વરૂપસ્થ આત્માને અમૃતધારા વરસતી હતી. “શુદ્ધતા વિચારે ધ્યા, શુદ્ધ તામેં કેલિ કરે; શુદ્ધતામાં સ્થિર શૈ, અમૃતધારા વરસે.” “સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મોક્ષ કહે છે? (અં. ૬૦૯) એવી જીવન્મુક્તદશા શ્રીમદ અનુભવતા હતા. “આત્મા અત્યંત સહજ સ્વસ્થતા પામે એ જ સર્વજ્ઞાનનો સાર શ્રી સર્વ કહ્યો છે –(અં. ૫૯૦) એ સહજ સ્વસ્થતારૂપ (સ્વમાં સ્થિતિરૂ૫) જ્ઞાનને સાર શ્રીમદ્ પામી ગયા હતા. “આત્માપણે કેવળ ઉજાગર અવસ્થા વર્તે, અર્થાત