SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્દ્ના ચિત્તની ચૈતન્યમય દશા ૪૦૭ પ્રસંગથી તમ સિવાયના બીજા જે મુમુક્ષુજીવા તેમને ઇચ્છિત અનુકપાએ પરમાથ વૃત્તિ આપી શકાતી નથી, એ પણ ચિત્તને ઘણીવાર લાગી જાય છે. ચિત્ત બંધનવાળુ' થઈ શકતું નહીં હાવાથી જે જીવા સ’સારસ બધે સ્ત્રીઆદિરૂપે પ્રાપ્ત થયા છે, તે જીવાની ઈચ્છા પણ દુભવવાની ઇચ્છાથતી નથી, અર્થાત્ તે પણુ અનુક'પાથી અને માખાપાદિના ઉપકારાદિ કારણેાથી ઉપાધિોગને બળવાન રીતે વેદીએ છીએ.' અને સહજસમાધિસ્થિત શ્રીમના આત્માકાર અસંગ ચિત્તની સ્થિતિ તે અણુમાત્ર ઉપાધ સહન ન થઈ શકે તેવી હતી, છતાં શ્રીમદ્દ તે સમભાવે સહન કરતા હતા; સૌભાગ્ય પરના પત્રમાં (અ.૩૦૮) જણાવ્યું છે તેમ—અસ’ગ વૃત્તિ હેાવાથી અણુમાત્ર ઉપાધિ સહન થઇ શકે તેવી દશા નથી, તેાય સહન કરીએ છીએ.' શ્રીમદ્ન જેવા પરમ સમાધિસ્થ પુરુષને આ ઉપાધિ તે એક મહાપરીષહરૂપ આવી પડી હતી. મહાપરીષહુ વેદવા જેવી આ ઉપાધ શ્રીમદ્નના ચૈતન્યમય ચિત્તને એટલી બધી અસહ્ય હતી કે તે આંખના કણાની જેમ પ્રદેશે પ્રદેશે ખૂંચતી હતી. કારણ કે શ્રીમદનું ચૈતન્યમય ચિત્ત નેત્ર જેવુઆંખ જેવું હતું. આંખમાં એક અણુ જેટલું કશું પણ સહન ન થઈ શકે તેમ શ્રીમદ્દના નેત્ર જેવા ચિત્તમાં એક પરમાણુમાત્ર પરભાવ-વિભાવની ઉપાધિ એક સમયમાત્ર પણ સહન ન કરી શકાય એવી સ્થિતિ હતી. એટલે આ અસહ્ય બાહ્ય ઉપાધિ વેઢવી તે અસ'ગવૃત્તિ શ્રીને અત્યંત અત્યંત વિકટ વેદાતી હતી. આ અંગે પેાતાનું આત્મસંવેદન પરમાથ સદ્ ‘સુભાગ્ય'ને દાખવતા અમૃતપત્રમાં (અ. ૩૮૫) શ્રીમદ્ પેાતાની આ અંતર્વેદના ઠાલવે છે— ૬ જો કે અમારૂં ચિત્ત નેત્ર જેવું છે; નેત્રને વિષે બીજા અવયવની પેઠે એક રજકણ પણ સહન થઇ શકે નહી', બીજા અવયવરૂપ અન્ય ચિત્ત છે. અમને વર્તે છે એવું જે ચિત્ત તે નેત્રરૂપ છે, તેને વિષે વાણીનું ઊઠવું, સમજાવવું, આ કરવું, અથવા આ ન કરવું, એવી વિચારણા કરવી તે માંડ માંડ અને છે. ઘણી ક્રિયા તેા શૂન્યપણાની પેઠે વર્તે છે; આવી સ્થિતિ છતાં ઉપાધિોગ તા બળવાનપણે આરાધીએ છીએ, એ વેદવું વિકટ આછું લાગતું નથી, કારણ કે આંખની પાસે જમીનની રેતી ઉપડાવવાનું કાર્ય થવારૂપ થાય છે તે જેમ દુઃખે-અત્યંત દુ:ખે-ચવુ વિકટ છે, તેમ ચિત્તને ઉપાધિ તે પિરણામરૂપ થવા બરાબર છે. સુગમપણાએ સ્થિત ચિત્ત હોવાથી વેદનાને સમ્યક્ત્રકારે વેદે છે, ખડસમાધિપણે વેદે છે.’ આવું અણુ પણ ન સહી શકે એવું નેત્ર જેવું ચિત્ત છતાં શ્રીમદ્દે આંખ પાસે રેતી ઉપડાવવા' જેવા આ ઉપાધિરૂપ મહાવિકટ મહાપરીષહુ સહન કર્યાં,—અને તે પણ અખંડ આત્મસમાધિ જાળવીને, ચિત્તની ચૈતન્યમય દશા સંભાળીને સહન કર્યાં, તે ખરેખર! પરમ અદ્ભુત આશ્ચર્ય ઘટના છે! ક્ષિપાત્રો ધિ વિદ્વાન્'જ્ઞાની અક્ષિપાત્ર (આંખ) સમેા હાય છે,—એ પાતંજલ યોગસૂત્રના સૂત્ર કરતાં અનંતગુણુવિશિષ્ટ બળવાન જીવતા જાગતા જવલંત દૃષ્ટાંતરૂપ શ્રીમદ્ પોતે છે. આંખથી કહ્યું પણ ન સહન થાય, ત્યારે તેની પાસે રેતી—અને તે પણ જમીન પરની રેતી—ઉપડાવવી તે તેા કેમ સહન થાય? છતાં કુસુમ કરતાં પણુ કેમળ અને વા કરતાં પણ કઠેર
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy