SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્દ્ના ચિત્તની ચૈતન્યમય દશા ૪૦૫ સમયમાત્ર પશુ અપ્રમત્તધારાને નહીં વિસ્મરણ કરતું એવું જે આત્માકાર મન તે વર્તમાન સમયે ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે; અને જે કઈ પણ પ્રકારે વર્તાય છે તેનું કારણ પૂર્વે નિમ'ધન કરવામાં આવેલા એ ઉદય છે. ઉદયને વિષે પ્રીતિ પણ નથી અને અપ્રીતિ પણ નથી. સમતા છે. કરવા ચેાગ્ય પણ એમ જ છે.' મિત્ર મિત્રને નવાજૂનીની વાત જણાવે તેમ શ્રીમદ્દ પેાતાની નવાજાની જણાવતાં પરમાર્થ સખા સૌભાગ્યને પત્રમાં (અ.૨૮૮) લખે છે—આદિપુરુષ રમત માંડીને બેઠા છે, નવાજૂનું તે એક આત્મવૃત્તિ સિવાય અમારે કયાં છે ? અને તે લખવા જેટલેા મનને અવકાશ પણ કયાં છે ? નહીં તેા બધુંય નવું છે, અને બધું ય જીણુ છે.' અર્થાત્ આદિપુરુષ— અનાદિને ચાલ્યા આવતા આ પુરાણ પુરુષ આત્મા આ સંસારની રમત માંડીને ખેડા છે એમ મથાળું લખી આ ટૂંકા માર્મિક પત્રમાં શ્રીમદ્ પેાતાની આત્મદશા જણાવે છે કે–અમારે એક અખંડ આત્મવૃત્તિ જ રહ્યા કરે છે, એ જ નવું છે ને એ જ જાનું છે. અમારૂં મન આત્મામાં એટલું બધું નિમગ્ન થઈ ગયું છે કે તે આડે તેને આટલું નવા-જૂનું લખવા જેટલેા અવકાશ પણ છે નહિં, બાકી બધુંય નવું છે ને બધું ય જૂનું છે. આમ સત્સ્વરૂપમાં-આત્મામાં અખંડ સ્થિર થયેલા પેાતાના જણાવવા જેવા મનની અવર્ણનીય દશા આ પેાતાના સુને પત્રમાં (અ. ૨૮૦) જણાવતાં, શ્રીમદ્ પેાતાનું મન આત્મસ્વરૂપમાં કેવું અખ’ડ સ્થિર થયું છે તે વાણીએ વણવી શકાય એવું નથી ને લેખિનીથી લખી શકાય એવું નથી તે દર્શાવે છે—જણાવ્યા જેવું તેા મન છે, કે જે સત્સ્વરૂપ ભણી અખંડ સ્થિર થયું છે (નાગ જેમ મેરલી ઉપર); તાપે તે દશા વ`વવાની સત્તા સર્વાંધાર હિરએ વાણીમાં પૂર્ણ મૂકી નથી; અને લેખમાં તે તે વાણીના અનંતમેા ભાગ માંડ આવી શકે; એવી તે દશા તે સવનું કારણ એવું જે પુરુષાત્તમસ્વરૂપ તેને વિષે અમને તમને અનન્ય પ્રેમભક્તિ અખંડ રહે; તે પ્રેમભક્તિ પરિપૂર્ણ પ્રાપ્ત થાએ એ જ પ્રયાચના ઈચ્છી અત્યારે અધિક લખતા નથી.’ અને આમ જેને અખંડ આત્મધ્યાન વર્તતું હતું એવા શ્રીમદ્ આ બાહ્ય ઘણા પ્રકારની પ્રવૃત્તિ મધ્યે પણ પેાતાની આત્મસ્થિતિ ઉત્કૃષ્ટપણે વતી દેખી, પેાતે પેાતાના આ અદ્ભુત ચિત્તને નમસ્કાર કરતાં, માહ્ય પ્રવૃત્તિના જોગત્યાગની પાતાની ચિત્તવૃત્તિ સૌભાગ્ય પરના પત્રમાં (અ. ૩૭૦, ૧૯૪૮, વૈ. વ. ૧૧) દાખવે છે—હૃદયરૂપ શ્રી સુભાગ્ય પ્રત્યે. અવિચ્છિન્નપણે જેને વિષે આત્મધ્યાન વર્તે છે એવા જે શ્રી....ના પ્રણામ પહેાંચે, જેને વિષે ઘણા પ્રકારની પ્રવૃત્તિ વર્તે છે, એવા જોગને વિષે હાલ તેા રહીએ છીએ. આત્મ સ્થિતિ તેને વિષે ઉત્કૃષ્ટપણે વતી જોઈ શ્રી....ના ચિત્તને પાતે પેાતાથી નમસ્કાર કરીએ છીએ. ઘણા પ્રકારે કરી સમાગમની અને બાહ્ય પ્રવૃત્તિના જોગત્યાગની જેની ચિત્તવૃત્તિ કોઈ પ્રકારે પણ વત્ત છે એવા જે અમે તે અત્યારે આટલું લખી અટકીએ છીએ.’ પેાતાના આ પરમ પરમા સુહૃદ્ પરના એક ખીજા પત્રમાં (અ’.૩૬૮, ૧૯૪૮, વૈ. વ. ૬) પણ શ્રીમદ્ આત્મા સિવાય અન્યત્ર પ્રતિબદ્ધતા નહિં પામતા પેાતાના આ અનૂભુત ચિત્તના સ્વરૂપનું આવ્યય વ્યક્ત કરે છે—અમારૂં જે ચિત્ત તે આત્મા
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy