SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ અલૌકિક અસંગતા ૪૦૧ કે નિરંતર નિવૃત્તિની ગવેષણ કરતા શ્રીમદ્ પૂર્વભવમાં અનુભૂત ભાવનું જાણે સાક્ષાત દર્શન કરતા હોય એ ભાસ આપતા આ અમૃતપત્રમાં (અં. ૪૬ ૫, ૧૯૪૯ શ્રા.વ.૫) સૌભાગ્ય સમક્ષ પોતાની તે સત્સંગઆસક્તિ આ અમર શબ્દોમાં વ્યક્ત કરે છે– આ દિવસ નિવૃત્તિના યોગે કાળ નહીં જાય ત્યાંસુધી સુખ રહે નહીં, એવી અમારી સ્થિતિ છે. આત્મા આત્મા, તેનો વિચાર, જ્ઞાની પુરુષની સ્મૃતિ, તેના માહાસ્યની કથાવાર્તા, તે પ્રત્યે અત્યંત ભક્તિ, તેમના અનવકાશ આત્મચારિત્ર પ્રત્યે મોહ, એ અમને હજુ આકર્ષ્યા કરે છે, અને તે કાળ ભજીએ છીએ. પૂર્વ કાળમાં જે જે જ્ઞાની પુરુષના પ્રસંગે વ્યતીત થયા છે તે કાળ ધન્ય છે; તે ક્ષેત્ર અત્યંત ધન્ય છે; તે શ્રવણને, શ્રવણના કર્તાને, અને તેમાં ભક્તિભાવવાળા જીવોને ત્રિકાળ દંડવત છે. તે આત્મસ્વરૂપમાં ભક્તિ, ચિંતન, આત્મવ્યાખ્યાની જ્ઞાની પુરુષની વાણી અથવા જ્ઞાનીનાં શા કે માર્ગાનુસારી જ્ઞાની પુરુષના સિદ્ધાંત, તેની અપૂર્વતાને પ્રણામ અતિભક્તિએ કરીએ છીએ. અખંડ આત્મનના એકતાર પ્રવાહપૂર્વક તે વાત અમને હજી ભજવાની અત્યંત આતુરતા રહ્યા કરે છે અને બીજી બાજુથી આવાં ક્ષેત્ર, આવા લોકપ્રવાહ, આવા ઉપાધિગ અને બીજા બીજા તેવા તેવા પ્રકાર જોઈ વિચારે મૂજીંવત થાય છે. ઈશ્વરેચ્છા !” પૂર્વભવના અમૃત અનુભવેનું સ્મરણ પ્રત્યક્ષ કરતા અને વર્તમાન વિષમ ક્ષેત્રકાળાદિનું તીવ્ર અંતર્વેદના વ્યક્ત કરતા આ અમૃત શબ્દ દર્શાવે છે તેમ, શ્રીમદન સહજ સ્વભાવભૂત નિસર્ગિક આકર્ષણ ને આસક્તિરૂપ સંગ પરમ નિવૃત્તિમય સત્સંગ પ્રત્યે જ , બાકી તો સર્વત્ર અનાસક્તિરૂપ કેવળ અસંગતા જ છે. આમ સંગના ચારે અર્થમાં તેના અભાવરૂપ અસંગતા શ્રીમદને કેવી અલૌકિક હતી તેનું અત્ર અવલોકન કર્યું. અને આમ નિરંતર સત્સંગરૂપ નિવૃત્તિને ઈચ્છતા અને સર્વ અર્થમાં સર્વથા સર્વ પ્રકારની અસંગતા અનુભવતા પરમ અસંગ શ્રીમદ્દની સર્વસંગપરિત્યાગની ઝંખના તે પ્રારંભથી જ હતી અને ઉત્તરોત્તર વધતી જતી જ હતી. જે પ્રારબ્ધોદયરૂપ વિM વચ્ચે ન નયું હેત, તે તેઓ તે માર્ગે ક્યારનાયે સંચર્યાં હેત; છતાં અપૂર્વ અવસર એવો કયારે આવશે? ક્યારે થઈશું બાહ્યતર નિગ્રંથ જે” એ શ્રીમદના દિવ્ય ગાનની અમર પંક્તિમાં વ્યક્ત થાય છે તેમ તેની ગવેષણ તો તેઓ પ્રતિક્ષણે કરી જ રહ્યા છે, તેવા પ્રારબ્ધ નિવૃત્તિરૂપ યોગ્ય કાળની પ્રતીક્ષા કરી જ રહ્યા છે, અને ૧૯૪૮ થી ૧સ્પ૦ (૨૫ થી ૨૭ વર્ષ) એ ઉપાધિની કટોકટીના આકરામાં આકરા ત્રણ વર્ષ વ્યતીત થયે, ૧~૧ થી (૨૮ મું વર્ષ તે માટેના સક્રિય પગલાં તેઓ લઈ જ રહ્યા છે ને ૧૯૫૩માં (૩૦ મું વર્ષ) સર્વપરિગ્રહકાર્યપ્રપંચથી લગભગ નિવૃત્ત થયા જ છે. શ્રીમદની આ પરમ નિવૃત્તિરૂપ સર્વસંગપરિત્યાગની તમન્ના અંગે તેમના સૌભાગ્ય પરના પત્રના આ અમૃત વચને જ સાક્ષી પૂરે છે– મનમાં એમ ને એમ રહ્યા કરે છે કે અલ્પકાળમાં આ ઉપાધિયોગ મટી બાહ્યાચતર નિર્ગથતા પ્રાપ્ત થાય તે વધારે યોગ્ય છે, તથાપિ તે વાત અલ્પકાળમાં બને અ-૫૧
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy