SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ અલ્યાણ રાજય જિન પણ કહે છે કે પરમાનસથી આત્મા તેમ જ છે. એ જ અસંગતા સિદ્ધ થવી, પરિણત થવી તે મેક્ષ છે. પરભારી તેવી અસંગતા સિદ્ધ થવી ઘણું કરીને અસ ંભવિત છે, અને એ જ માટે જ્ઞાનીપુરુષાએ સવ દુઃખ ક્ષય કરવાની ઈચ્છા છે જેને એવા મુમુક્ષુએ સત્સ`ગની નિત્ય ઉપાસના કરવી એમ જે કહ્યું છે, તે અત્યંત સત્ય છે.' એટલે જ શ્રીમની આત્મદશાના દણુરૂપ હાથનાંધમાં (૧-૭, ૨-૬) લખ્યું છે તેમહું એક છું, અસંગ છું, સ` પરભાવથી મુક્ત છું, હું અસંગ શુદ્ધ ચેતન છું', એમ અસંગ આત્મતત્ત્વનું ભાવન કરતાં, તથારૂપ અસંગદશા પ્રગટાવવા સતત પ્રયત્નશીલ શ્રીમદ્ લેાકસંગ વજી નિરંતર અસંગતા જ ઇચ્છતા હતા અથવા સૌભાગ્ય જેવા પરમાર્થ સત્સંગી સત્પુરુષની સત્સ`ગતા જ ઈચ્છતા હતા; પરમાર્થ સખા સૌભાગ્ય પના પત્રામાં દર્શાવ્યું છે તેમ— અમે અસંગતાને જ ઈચ્છીએ છીએ, અને તમારા સહવાસ તે અસંગતા જ છે, એથી પણ વિશેષ અમને પ્રિય છે. (અ. ૨૦૧) જ્ઞાનીને સુત્ર મેાક્ષ છે; આ વાત એ કે યથાર્થ છે, તેાપણુ જ્યાં માયાપૂર્વક પરમાત્માનું દૃન છે એવું જગત, વિચારી પગ મૂકવા જેવું તેને પણ કંઇ લાગે છે; માટે અમે અસંગતાને ઇચ્છીએ છીએ, કાં તમારા સંગને ઇચ્છીએ છીએ, એ ચેાગ્ય જ છે. (અ. ૨૦૫). કાળ િવષમ આવી ગયા છે. સત્સંગના જોગ નથી, અને વીતરાગતા વિશેષ છે, એટલે કચાંય સાતું નથી, અર્થાત્ મન વિશ્રાંતિ પામતું નથી. અનેક પ્રકારની વિટંબના તે અમને નથી, તથાપિ નિરંતર સત્સંગ નહીં એ માટી વિટ...બના છે. લેાકસંગ રુચતા નથી. (અ. ૨૯૮).’ લેાકસ`ગ વજ્રતા અસંગ શ્રીમદ્ નિરંતર સત્સ ંગના જોગને ઇચ્છે છે અને આ વિષમ કાળમાં સત્સંગના જોગ નથી, લેાકસ`ગ એમને રુચતા નથી, એટલે અત્રે કયાંય સાતું નથી ’—કયાંય ગાઢતું નથી એ દર્દ ભર્યાં શબ્દોમાં શ્રીમની કેવી તીવ્ર અંતર્વેદના દેખાઈ આવે છે! ખરેખર ! બીજા કોઈનું નહિં, એક સત્સંગ નહિં એનું જ મેાટું દુઃખ-મેાટી વિટંબના શ્રીમને છે. એટલે જ અસંગને કંખતા ને સત્સંગને ઝ ંખતા શ્રીમને સ` સંગ છેડી વનમાં જઈએ વનમાં જઈએ એમ વારવાર ઊર્મિ ઊઠે છે, તે પરમાÈ સૌભાગ્યને પત્રમાં (અ. ૨૧૭) દર્શાવે છે—ઉપાધિના કારણથી તન્મયભક્તિ રહેતી નથી અને એકતાર સ્નેહ ઉભરાતા નથી. આથી ખેદ રહ્યા કરે છે અને વારવાર વનવાસની ઇચ્છા થયા કરે છે. જો કે વૈરાગ્ય તેા એવા રહે છે કે ઘર અને વનમાં ઘણું કરીને આત્માને ભે રહ્યો નથી. ×× પ્રેમભક્તિની પૂર્ણ લચ આવ્યા વિના દેહત્યાગ નહિં કરી શકાય, એમ રહે છે; અને, વારવાર એ જ રટના રહેવાથી વનમાં જઇએ વનમાં જઇએ’ એમ થઈ આવે છે, આપના નિરંતર સત્સંગ હોય તે અમને ઘર પણ વનવાસ જ છે.' આમ મસ'ગ કરતાં પણ સૌભાગ્યના સત્સ`ગને વિશેષ મહત્વને લેખતા શ્રીમદ્ અત્રે પત્રમાં જડભરતજીનું સુપ્રસિદ્ધ દૃષ્ટાંત ઢાંકી અસ`ગતા વિના પેાતાને યમદુઃખ કરત પણ વધારે કેટલું બધું દુઃખ થાય છે, તે દર્શાવતી પાતાની આત્મસવેદનમય અંતઊમિ ઠાલવે છે—
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy