SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ અનુસંધન (૩) શ્રીમદ્દના અધ્યાત્મજીવનના પહેલા તબક્કાનું વન પૂરૂં કરી આપણે હવે અધ્યાત્મજીવનના ખીજા તખષ્કા પર આવીએ. છીએ. તે પ્રારંભતાં પુર્વે ઉક્ત વસ્તુનું સિંહાવલેાકન ન્યાયે અવલેાકન કરીએઃ અધ્યાત્મજીવનના પહેલા તબક્કાના પહેલા આંતર્તબક્કાનું વન કરી આપણે ખીજા આંતરુતબક્કાનું દન કર્યું, અને તેમાં શ્રીમદ્નના અધ્યાત્મ જીવનવિકાસના ત્રણ તમક્કાનું. સામાન્ય દિગ્દશ`ન કરી, મહાવીરના વીતરાગમાના શ્રીમના કેવા અનન્ય આત્મનિશ્ચય હતા તે દર્શાવી, માક્ષના માગ એ નથી’ એવી મતભેદાતીત મેાક્ષમાગની એકતા અંગે શ્રીમા પરમ આત્મનિય દર્શાબ્યા; અને આવા અધ્યાત્મપ્રધાન અખંડ એક મેાક્ષમાગની એકનિષ્ઠ આરાધના કરતાં અધ્યાત્મ-વિકાસપથે સંવેગથી આગળ વધતા શ્રીમદ્નના જીવનક્રમ અને જીવનસૂત્રોનું આલેખન કરી, શ્રીમના અંતરંગ નિવૃત્તિને અખાધક વ્યવહારવત નના ક્રમ આલેખ્યો. આમ અધ્યાત્મનિમજ્જન કરતાં તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન કરવામાં નિમગ્ન થયેલા શ્રીમને આત્માનુભૂતિના કેવા દિવ્ય પ્રકાશ લાધ્યા તે દર્શાવી, આવા અપૂર્વ આત્માનુભૂતિમય આત્મસ ંવેદનના આધ્યાત્મનિમજ્જનમાંથી ક્ષણ પણ મ્હાર નિકળવું પડે તે અંગે શ્રીમની આત્મસંવેદનમય તીવ્ર અંતર્વેદનાનું દČન કર્યું; અને તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફામાં નિરંતર નિવાસને ક્રમ એ જ શ્રીમદ્ના જીવન જેમ પરમ પ્રિય જીવનક્રમ હતા અને તે ખીજો કોઈ પણ નહિં પણ અંતરંગ નિમ થશ્રેણી જ હતી એ દર્શાવી આપી, શ્રીમના અંતરાત્માની સમશ્રેણી કેવી અદ્ભુત હતી તે પણ દર્શાવ્યું. o આવું અસાધારણ આત્મસંવેદન અને આત્મચારિત્ર જેનું છે એવા આત્મામાં જ રમણુ કરનારા આત્મારામી શ્રીમદ્ મહાકામ માટે જન્મેલા રામ છે તેનું દર્શન કરાવી, અનન્ય તત્ત્વમંથન કરનારા શ્રીમને લેાકપુરુષનું કેવુ... અલૌકિક રહસ્ય લાધ્યું અને મારગ સાચા મિલ ગયા'—કેવા સાચા માર્ગ મળી ગયા તે પશુ દર્શાવી આપ્યું; અને ધમમૂર્તિ શ્રીમદ્નના અસ્થિમજ્જા ધરગ કેવા અલૌકિક હતા, સંવેગાતિશય—પરમ વૈરાગ્ય કેવા અદ્દભુત હતા, મેાક્ષની તમન્ના કેવી અનન્ય હતી, તેનું પણ આપણે અત્ર સવિસ્તર દન કર્યું. આવા પરમ ધમમૂર્ત્તિ` પરમ સંવેગરંગી પરમ મુમુક્ષુ અધ્યાત્મનિમગ્ન જ્ઞાનદિવાકર શ્રીમદ્ના સત્સંગનેા અનન્ય ધન્ય લાભ પામવાના જેને પ્રસંગ પ્રાપ્ત થયા તે શ્રીમન્ના સત્સંગીઓનું સામાન્ય દિગ્દર્શન કરાવી, શ્રીમદ્ અને મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠીના સત્સ`ગપ્રસંગનું આલેખન કર્યું; અને શ્રીમદ્દના પ્રથમ સત્સંગી મહામુમુક્ષુ ‘સત્યપરાયણ' જાટાભાઈના શ્રીમના પરમ ધન્ય અનન્ય સત્સ`ગલાલનું દČન કરી,
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy