________________
શ્રીમદ્દ અને મહામુમુક્ષુ અબાલાલભાઈ ઉપરાંત પત્રો છે, તેમાં કેટલાક અસાધાણ પત્રો છે, જેમકે–અં. ૧૨૮, ૧૩૯, ૨૫૪, ૫૦૩, પર૨, ૫૩૭, ૫૭૨, ૭૦૮, આદિ. આ પત્રોનું સવિસ્તર દિગદર્શન કરાવી શકાય એટલે અત્ર અવકાશ નથી ને પ્રસંગ નથી, તથાપિ તેમાંથી કઈ કઈ અંશેનું યથાસ્થાને દર્શન આગલા પ્રકરણમાં કરાવ્યું છે કે હવે પછી પણ યથાસ્થાને યથાપ્રસંગે કરાવશું.
આમ ૧૯૪૬ના સમાગમ પછી અંબાલાલભાઈના જીવનનું કેન્દ્ર શ્રીમદ્ બની ગયા, અને આ કેન્દ્રની આસપાસ ભક્તિથી પ્રદક્ષિણા ફરતા તેમનું (અં. નું) શ્રીમદ્ સાથે તાદામ્ય બની ગયું. અંબાલાલભાઈ શ્રીમદૂની આજ્ઞાનુસાર જ સમસ્ત કર્તવ્ય કરતા અને તે આજ્ઞાંકિતપણામાંજ જીવનની ઈતિક વ્યતા સમજતા. ટૂંક સમયમાં જ શ્રીમદના જીવનરહસ્યને જાણનારા તેઓ શ્રીમના જમણા હાથ જેવા–પરમ વિશ્વાસપાત્ર રહસ્યમંત્રી જેવા બની ગયા; શ્રીમદ્દ જે વીતરાગમાર્ગોદ્ધારની ભવ્ય જના ઘડી રહ્યા હતા તેમાં સૂત્રધાર જેવા બની ગયા; અને સર્વ મુમુક્ષુઓના અગ્રણી નેતા – મુમુક્ષુમુખ્ય બની શ્રીમદના પટ્ટશિષ્ય જેવા બની ગયા. આમ શ્રીમદ્દ અને અંબાલાલભાઈઆ ગુરુ-શિષ્યને પરમાર્થ સંબંધ ઉત્તરોત્તર વધતો ગયે. પત્ર વાટે પરોક્ષપણે અને સાક્ષાત સમાગમ વાટે પ્રત્યક્ષપણે પરમાર્થ પરિચય ઉત્તરોત્તર ગાઢ બનતો ગયો, તે એટલે સુધી કે જ્યાં જ્યાં નિવૃત્તિક્ષેત્રે શ્રીમદ્ બિરાજમાન હોય ત્યાં ત્યાં અંબાલાલભાઈ હાય જ, અને રાળજ વડવા કાવિઠા ઉત્તરસંડા આદિ તે તે નિવૃત્તિક્ષેત્ર અંગે શ્રીમની સર્વ દ્રવ્યભાવ અનુકૂળતાઓની બધી વ્યવસ્થા અનન્ય ભક્તિથી આ ભકતશિરોમણિ અંબાલાલભાઈ જ કરે, એટલું જ નહિં પણ તત્રસંગે ઉપસ્થિત થયેલા સર્વે મુમુક્ષુઓની બધી સગવડની–અનુકૂળતાઓની સમસ્ત વ્યવસ્થા આ પરમ સેવાભાવી અંબાલાલભાઈ જ કરે. જાણે આ મેંઘેરા મહેમાન પિતાને જ આંગણે પધાર્યા હોય એમ અંબાલાલભાઈ પરમ વિનયભક્તિથી તેમની તનમનધનથી પૂરેપૂરી ખાતર-બરદાસ કરતા ને સાધર્મિક વાત્સલ્યને પરમધન્ય અપૂર્વ લાભ ઊઠાવતા. આમ આ મહામુમુક્ષુએ શ્રીમદ્દના સાક્ષાત્ સમાગમમાં ભિન્ન ભિન્ન નિવૃત્તિક્ષેત્રે સેવામાં સદા હાજર રહી ખડે પગે શ્રીમદની અનન્ય સેવા બજાવી છે,–જેવધર્મ THiદનો યોનિનામશાળા – ચગીઓને પણ અગમ્ય એ પરમ ગહન સેવાધર્મ પિતાને માટે તે ખરેખર ! સુગમ્ય બનાવી દીધું છે!
અને શ્રીમને આ અપૂર્વ સમાગમલાભ આ મહામુમુક્ષુએ માત્ર પોતે જ લીધો છે એમ નથી, પણ તેને પ્રસાદીરૂપ અંશલાભ જગને પણ દીધો છે, કારણ કે રાળજ, વડવા, કાવિઠા, ઉત્તરસંડા, નડિયાદ આદિ નિવૃત્તિક્ષેત્રમાં સ્થિતિ વેળાએ શ્રીમદે જે કાંઈ ઉપદેશામૃત વર્ષાવ્યું હતું, તે પોતાના બુદ્ધિપાત્રમાં ઝીલી આ મુમુક્ષમુખ્ય લખેલ ઉપદેશછાયામાં તેને છાયામાત્ર અંશ જાળવી રાખે છે અને તેથી આ ઉપદેશામૃતવૃષ્ટિના ચેડા બિન્દુ ચાખવાનું જગને મળ્યું છે. શ્રીમદ જે બોધ કરે તે અંબાલાલભાઈ અઠવાડિયા પછી પણ અક્ષરશઃ લખી શકતા એવી તેમની અદૂભુત ધારણશકિત શ્રીમદે જ શ્રીમુખે પ્રશંસી હતી. એટલે “ઉપદેશછાયા” શીર્ષક નીચે શ્રીમદ રાજચંદ્ર ગ્રંથમાં જે અંક (૫૭) છપાયેલ છે, તે શ્રીમદની પદેશાતધારાની સંક્ષિપ્ત નેંધમાન જગતને મળવા પામેલ છે, તે મુખ્યપણે આ