SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને શ્રીમદ્દ સત્સંગપ્રસંગ ર૭૩ આમ બાવીસ વર્ષના યુવાન જ્ઞાનવૃદ્ધ શ્રીમને બાવન વર્ષના વયોવૃદ્ધ મનઃસુખરામ સૂ. સાથે પત્રવાટે ને કવચિત્ સાક્ષાત્ સમાગમવારે પરમાર્થ પરિચય વધતું ગયે; અને આ પરિચય માત્ર પરમાર્થ સંબંધરૂપ જ હતું, તેમાં વ્યવહારસંબંધન કે સ્વાર્થ. સંબંધને સ્વપ્નાંતરે પણ ગંધલેશ પણ હેતે. આ અંગે લેશમાત્ર શંકાને સ્થાન ન રહે એમ એક પત્રમાં (સં. ૧૨૦) સ્પષ્ટ વક્તા શ્રીમદે કર્યું છે: “વ્યવહાર પરત્વે કઈ રીતે આપના સંબંધથી લાભ લેવાનું સ્વપ્ન પણ ઈચ્છયું નથી તેમ જ આપ જેવા બીજાઓની સમીપથી પણ એની ઈચ્છા રાખી નથી. એક જન્મ અને તે થોડા જ કાળને પ્રારબ્બાનુસાર ગાળી લે તેમાં દૈન્યતા ઉચિત નથી, એ નિશ્ચય પ્રિય છે. સહજભાવે વર્તાવાની અભ્યાસ પ્રણાલિકા કેટલાંક (ભૂજ) વર્ષ થયાં આરંભિત છે; અને એથી નિવૃત્તિની વૃદ્ધિ છે. આ વાત અહીં જણાવવાનો હેતુ એટલો જ કે આપ અશકિત હશે; તથાપિ પૂર્વાપરે પણ અશંકિત રહેવા માટે જે હેતુથી આપના ભણી મારૂં જેવું છે તે જણાવ્યું છે; અને એ અશકિતતા સંસારથી ઔદાસીન્ય ભાવને પામેલી દશાને સહાયક થશે એમ માન્યું હોવાથી (જણાવ્યું છે).” ઈત્યાદિ. આવા પરમ નિઃસ્વાર્થ નિર્ભેળ શુદ્ધ પરમાર્થ સંબંધને લઈને જ બ્રહ્મવિદ્યાના રસીયા અધ્યાત્મપ્રેમી મનઃસુખરામ આત્મવિદ્યાના રહસ્યને પામેલા અધ્યાત્મનિમગ્ન શ્રીમદ્દના સહજ ગુણથી આકૃષ્ટ થઈ તેમની વિશેષ નિકટ આવતા ગયા, પરસ્પર સમાગમ વધતો ગયો અને પરસ્પર ગ્રંથની આપ-લે થવા માંડી. મનઃસુખરામે શ્રીમદને ગવાસિષ્ઠ' ગ્રંથ મોકલ્યો. અને શ્રીમદે હરિભદ્રસૂરિકૃત “અષ્ટક અને ગબિન્દ ગ્રંથ મનઃસુખરામની દષ્ટિ તળે નિકળી જવા મોકલતાં, એગદષ્ટિસમુચ્ચય પાછળથી મોકલીશ” એમ જણાવી હરિભદ્રસૂરિની ચમત્કૃતિની સ્તુતિ કરી કે–પરમતત્વને સામાન્ય બેધમાં ઉતારી દેવાની હરિભદ્રાચાર્યની ચમત્કૃતિ સ્તુત્ય છે.”—એમ લખી બીજાઓ તરફથી જેનદર્શનને થયેલા મિથ્યા અન્યાય પ્રત્યે ખેદ વ્યક્ત કરતાં શ્રીમદ અનન્ય શાસનદાઝથી લખે છે – અથથી ઇતિ સુધી અવેલેકન કરવાને વખત મેળવ્યાથી મારા પર એક કૃપા થશે. (જૈન એ મેક્ષના ઉપદેશને કરતું, અને વાસ્તવિક તત્વમાં જ જેની શ્રદ્ધા છે એવું દર્શન છતાં કઈ “નાસ્તિક” એ ઉપનામથી તેનું આગળ ખંડન કરી ગયા છે તે યથાર્થ થયું નથી; એ આપની દષ્ટિમાં આવી જવાનું પ્રાચે બનશે તેથી.) જૈન સંબંધી આપને કંઈ પણ મારે આગ્રહ દર્શાવતો નથી. તેમ આત્મા જે રૂપે છે તે રૂપે ગમે તેથી થાઓ એ સિવાય બીજી મારી અંતરંગ જિજ્ઞાસા નથી, એ કંઈ કારણથી કહી જઈ જૈન પણ એક પવિત્ર દર્શન છે એમ કહેવાની આજ્ઞા લઉં છું. તે માત્ર જે વસ્તુ જે રૂપે સ્વાનુભવમાં આવી હોય તે રૂપે કહેવી એમ સમજીને.” હદયના ઊંડાણમાંથી નિકળેલા શ્રીમના આ વચનમાં કેઈને પણ પરમ બહમાન ખુરાવે એવી પરમ સત્ય વીતરાગદર્શન પ્રત્યે આકર્ષનારી કેવી વિચક્ષણ તત્ત્વકળ ઝળહળે છે ! શ્રી મનસુખભાઈ કિરચંદે સાચું જ કહ્યું છે કે–વેદાંતના અ-૩૫
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy