SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ લોકપુરુષરહસ્ય: “મારગ સાચા મિલ ગયા ૨૪૭ એવી ભેદવિજ્ઞાનરૂપ વિવેક-વિચારધારા પર શ્રીમદ ચઢયા. આ વિવેકવિચારને અનુભવની કસોટીએ ચઢાવતાં શ્રીમદને કેટલું કેટલું આત્મમંથન કરવું પડયું તેની સાક્ષી તેમના અનુભવવચનામૃતે જ પૂરી પાડે છે. શ્રીમદ્ પોતે પોતાના અંતરાત્મા સાથે વાર્તાલાપ કરતા હોય એમ પત્રાંક ૧૧૨માં કહે છે–મહાચ્છાદિત દશાથી વિવેક ન થાય એ ખરું. નહિં તો વસ્તુગતે એ વિવેક ખરે છે,'– વસ્તુગતે-જેમ વસ્તુનું સ્વરૂપ છે તેમ તમને થયેલ “એ” વિક–સત્યાસત્યવિચાર ખરે છે, બરાબર છે. એટલે જ આમ સાચી દિશામાં ચાલી રહેલા પિતાના સત્યાસત્યચિંતનરૂપ વિવેકમાં પિતાના આત્માને ઉત્સાહ પ્રેરે છે-“ઘણું જ સૂક્ષ્મ અવલેકન રાખે. સત્યને તો સત્ય જ રહેવા દેવું અને આમ પિતાને જે સત્યનું ખરું ભાન થયું છે, તે પરથી અનુભવજન્ય આત્મપ્રતીતિથી શ્રીમદ્દ વદે છે–વીતરાગે ખરૂં કહ્યું છે. વીતરાગવચન જે પરોક્ષ પ્રમાણુરૂપ શ્રુતજ્ઞાન છે, તેની સાથે શ્રીમદના અનુભવ પ્રત્યક્ષને સુમેળ મળે છે, એટલે જ શ્રીમદના અંતરાત્મામાંથી ભણકાર થાય છે કે વીતરાગવચન સત્ય છે. આવા જ અનુભવોલ્લાસમાં શ્રીમદ્દ (હાથોંધ –પમાં) પિતાના અંતરાત્માને કહે છે– એટલું જ શેધાય તે બધું પામશો; ખચીત એમાં જ છે. મને ચોક્કસ અનુભવ છે. સત્ય કહું છું. યથાર્થ કહું છું. નિઃશંક માને. એ સ્વરૂપ માટે સહજ સહજ કેઈ સ્થળે લખી વાળ્યું છે. ” ઈ. આ લેકના સ્વરૂપ સંબંધમાં પણ પ્રચલિત વિચારણને અનુલક્ષીને શ્રીમદે પુષ્કળ મૌલિક વિચારણા કરી, અનુપમ તત્વમંથન કર્યું. સંક્ષેપમાં ભવ્ય વિશ્વદર્શન કરાવતા પત્રાંક ૧૫૬માં શ્રીમદે દર્શાવ્યું છે તેમ પ્રથમ ત્રણ કાળને મૂઠીમાં લીધે, એટલે મહાવીરદેવે જગને આમ જોયું–તેમાં અનંત ચિતન્યાત્માઓ મુક્ત દીઠા. અનંત ચિતન્યાત્માઓ બદ્ધ દીઠા. અનંત મોક્ષપાત્ર દીઠા. અનંત મોક્ષઅપાત્ર દીઠા. અનંત અધોગતિમાં દીઠા. ઊર્ધ્વગતિમાં દીઠા. તેને પુરુષાકારે જોયું. જડ ચૈતન્યાત્મક જોયું.” એ આદિ પ્રકારે ભગવાન મહાવીરે પ્રકાશેલી વિશ્વવ્યવસ્થા અંગે પુષ્કળ તત્વચિંતન કર્યું. પત્રાંક ૧૫૭ (રોજનિશી અં. ૧૧)માં શ્રીમદ્ પિતાને આવેલા એક અદ્દભુત ચમત્કારિક અને ઉલ્લેખ કરે છે–“ ગઈ કાલ રાત્રે એક અદ્ભુત સ્વમ આવ્યું હતું. જેમાં બેએક પુરુષની સમીપે આ જગની રચનાનું સ્વરૂપ વર્ણવ્યું હતું, પ્રથમ સર્વ ભુલાવી પછી જગત્નું દર્શન કરાવ્યું હતું. સ્વમમાં મહાવીરદેવની શિક્ષા સપ્રમાણ થઈ હતી. એ સ્વમનું વર્ણન ઘણું સુંદર અને ચમત્કારિક હોવાથી પરમાનંદ થયા હતા. હવે પછી તે સંબંધી અધિક. આ અંગે સત્યને સાક્ષાત્કાર કરત સમ્યફોધ થતાં આત્માનુભવને કઈ દિવ્ય પ્રકાશ થયો હોય એવો કોઈ અપૂર્વ ભાસ આપતા આ વચન આત્મપ્રકાશભુવનમાં બિરાજમાન શ્રીમદ્દ હાથધમાં (૨–૧૭) લખે છે–પ્રકાશભુવન. ખચીત તે સત્ય છે. એમ જ સ્થિતિ છે. તમે આ ભણી વળે.”— ખચીત–ચોક્કસ “તે –તમને જે સમ્યક્ બેધમય આત્માનુભવ થાય છે તે સત્ય છે, એમ જ સ્થિતિ–વસ્તુસ્થિતિ છે. તમે ‘આ’–પ્રત્યક્ષ અનુભવથી ભારોલી સાચી
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy