SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ અથાક્ય રાજય છોડાવી, સમભાવભાવી શ્રીમદ્ બીજાના દેશે નહિં પણ પિતાના જ દોષે આત્માને બંધન છે એમ પિતાને જ દોષ ચિંતવે છે—બીજાના દરે તને બંધન છે એ સાનીશ નહીં. તારે નિમિત્તે પણ બીજાને દેષ કરતો લાવ. તારે દેશે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે. તારે દેષ એટલો જ કે અન્યને પિતાનું માનવું, પોતે જેતાને ભૂલી જવું.” આમ પરને પોતાનું માનવું કે પોતે પિતાને ભૂલી જવું એ પોતાના દોષે તે પોતે જ પોતાને બંધનકર્તા છે એમ સ્વદેષ ચિંતવી, તે સ્વદેષ દૂર કરવા પોતાના આત્માને ચેતાવે છે– જાગ્રત કરે છે (alerts): “એ બધામાં તારી લાગણી નથી, માટે જુદે જુદે સ્થળે તે સુખની કલ્પના કરી છે. હે મૂઢ! એમ ન કર.” -–આત્માથી અન્ય-ભિન્ન પર વસ્તુમાં તારી સંવેદનારૂપ “લાગણી” નથી, તારું સ્વરૂપ નથી, છતાં તેમાં તેં સુખ કલ્પી લેવારૂપ કલ્પના કરી છે તે કલ્પના જ છે, “હે મૂઢ! એમ ન કર’– આત્માથી અન્ય પદાર્થમાં સુખની કલપનારૂપ મોહ મ કર, “એ તને તેં હિત કહ્યું.”– એમ આત્માને હિતશિક્ષા કહી, “અંતરમાં સુખ છે – એ આત્મભાવના પુનઃ દઢ કરી વિશેષ ભાવન કરે છેઃ “જગમાં કઈ એવું પુસ્તક વા લેખ વા કેઈ એવો સાક્ષી ત્રાહિત તમને એમ નથી કહી શકો કે આ સુખનો માર્ગ છે, વા તમારે આમ વર્તાવું વા સર્વને એક જ ક્રમે ઊગવું; એ જ સૂચવે છે કે ત્યાં કંઈ પ્રબળ વિચારણા રહી છે, એમ સૂચવી “એક ભેગી થવાને બંધ કરે છે, એક ગી થવાને બંધ કરે છે? છે. કેટલીક વિચિત્રતાઓ અંગે ઊહાપોહરૂપ પ્રશ્નો ઉઠાવી, શ્રીમદ્દને અંતરાત્મા છેવટના નિર્ણયરૂપ સત્ય પિોકારે છેઃ “અંતરમાં સુખ છે; બહારમાં નથી. સત્ય કહું છું. હે જીવ, ભૂલ મા, તને સત્ય કહું છું. સુખ અંતરમાં છે, તે બહાર શોધવાથી નહીં મળે. અંતરનું સુખ અંતરની સ્થિતિમાં છે, સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ. સ્થિતિ રહેવી બહુ વિકટ છે.” આટલું સામાન્ય ઊહાપોહરૂપ તત્ત્વચિંતન અંતરમાં ઉતારતાં શ્રીમદૂને અંતરાત્મા પિતાની તે વખતની (સં. ૧૯૪૬) વર્તાતી આત્મદશાનું આંતરનિરીક્ષણ (Introspection) કરે છે અને પિતાને રહ્યોસહ્ય સ્વ૫ આત્મદેષ પણ દૂર કરવા માટે પોતાના આત્માને જાગૃત કરવારૂપ આત્મજાગરણ (alertness) કરે છે–“નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જાય છે, એને દઢ ઉપગ રાખવો જોઈએ. એ ક્રમ યથાયોગ્ય ચલા આવીશ તે તું મુંઝાઈશ નહીં, નિર્ભય થઈશ. હે જીવ! તું ભૂલ મા....એ શબ્દોમાં આ અમર લેખના પ્રારંભમાં જ મૂકેલી વાત પુનરુક્તપણે ઉપસંહારમાં મૂકી, ભાવિતાત્મા શ્રીમદે સમભાવભાવનરૂપ ભાવસામાયિકના સમશ્રેણુક્રમની ભાવના ઓર દઢ કરી છે. શ્રીમદૂના અંતરાત્માના ઊંડાણમાંથી નીકળેલા સમભાવને ભણુકાર કરતા આ અમર શબ્દોમાં અક્ષરે અક્ષરે સત્યને રણકાર સંભળાય છે,– જેના હૃદયગુફામાં પડતા પડઘા સકણું જન અદ્યાપિ સાંભળે છે. આ સમત્વશ્રેણીને ક્રમ એ જ આત્માનું જેમ છે તેમ સમસ્વરૂપ પ્રાપ્ત કરવારૂપ
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy