SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસંવેદન અને શ્રીમદ્દની અંતર્વેદના ૨૨૩ શ્લેક) કહ્યું છે તેમ-ગપ્રારંભકને બહારમાં મુખ લાગે છે, અંતમાં–આત્મામાં દુઃખ લાગે છે; ભાવિતાત્મા ગારૂઢને હારમાં જ અસુખ (દુઃખ) લાગે છે, અંતરમાંઅધ્યાત્મમાં સુખ લાગે છે. પરમ ભાવિતાત્મા ગારૂઢ શ્રીમદૂના સંવેદનશીલ આત્માની પણ આવી દશા થઈ પડી હતી. તેમને અંતમાં આત્મસંવેદનનું મહાસુખ સંવેદાતું હતું, બહારમાં મહાદુઃખ વેદાતું હતું,–આ તેમની તીવ્ર આત્મવેદના-અંતર્દનાને તીવ્ર ચીત્કાર તેમના સંવેદનશીલ પત્રમાં સકણું જનેને અદ્યાપિ સંભળાય છે. શ્રીમદની અંતર્વેદનાનું આ મહાદુઃખ એટલું બધું ઉદ્દામ હતું કે એક મહા સંવેદનશીલ પત્રમાં (અં. ૮૨) જણાવ્યું છે તેમ-દુઃખિયાં મનુષ્યનું પ્રદર્શન ભર્યું હોય તે તેમાં તેમણે પિતાને શિરેભાગે–અગ્રભાગે ગણાવ્યા છે. આ રહ્યા તેમના આ વેધક શબ્દ “દુઃખિયાં મનુષ્યનું પ્રદર્શન કરવામાં આવ્યું હોય તે ખચીત તેના શિરોભાગમાં હું આવી શકું.” આ વચને વાંચી કે વિચારમાં પડી જઈ ભિન્ન ભિન્ન કલ્પનાઓ ન કરે વા ભ્રમ ન ગણે તે માટે પોતે જ અત્રે સમાધાન ટપકાવે છે– તમે મને શ્રી સંબંધી કંઈ દુઃખ લેખશે નહીં, લક્ષમી સંબંધી દુઃખ લેખશે નહીં, પુત્ર સંબંધી લેખશે નહીં, કીર્તિ સંબંધી લેખશે નહીં; ભય સંબંધી લેખશે નહીં; કાયા સંબંધી લેખશો નહીં; અથવા સર્વથી લેખશે નહીં; મને દુઃખ બીજી રીતનું છે. તે દરદ વાતનું નથી, કફનું નથી કે પિત્તનું નથી, તે શરીરનું નથી, વચનનું નથી કે મનનું નથી. ગણે તે બધાંયનું છે અને ન ગણો તે એકકેનું નથી. પરંતુ મારી વિજ્ઞાપના તે નહીં ગણવા માટે છે, કારણ એમાં કઈ ઓર મર્મ રહ્યો છે.” આમ સ્ત્રી-પુત્રલક્ષ્મી-કીર્તાિ-ભય-કાયાદિ સંબંધી આ દુઃખ નથી, વાત-પિત્ત-કફનું દુઃખ નથી, તન-મન-વચનનું દુઃખ નથી, જગતમાં સંભવિત ગણાતા કઈ પણ કારણનું દુઃખ નથી, તે પછી આ દુઃખ છે શેનું? તેને ખુલાસો કરતાં તેમાં રહેલો ઓર મર્મ ખુલ્લો કરે છેઃ તમે જરૂર માનજે, કે હું વિના–દિવાનાપણે આ કલમ ચલાવું છું. રાજચંદ્ર નામથી ઓળખાતે વવાણિયા નામના નાના ગામને, લક્ષ્મીમાં સાધારણ એ પણ આર્ય તરીકે ઓળખાતા દશાશ્રીમાળી–વૈશ્યને પુત્ર ગણાઉં છું. આ દેહમાં મુખ્ય બે ભવ કર્યા છે, અમુખ્ય હિસાબ નથી. નાનપણની નાની સમજણમાં કેણ જાણે ક્યાંયથી એ મોટી કલ્પનાઓ આવતી. સુખની જિજ્ઞાસા પણ ઓછી નહોતી અને સુખમાં પણ મહાલય, બાગબગીચા, લાડીવાડીનાં કંઈક માન્યાં હતા; મોટી કલ્પના તે આ બધું શું છે તેની હતી. તે કલ્પનાનું એક્વાર એવું રૂપ દીઠું , પુનર્જન્મ નથી, પાપ નથી, પુણ્ય નથી, સુખે રહેવું અને સંસાર ભોગવવો એ જ કૃતકૃત્યતા છે. એમાંથી બીજી પંચાતમાં નહીં પડતાં, ધર્મની વાસનાઓ કાઢી નંખી. કોઈ ધર્મ માટે ન્યૂનાધિક કે શ્રદ્ધાભાવપણું રહ્યું નહીં. થોડો વખત ગયા પછી એમાંથી ઓર જ થયું. જે થવાનું મેં કવ્યું નહોતું, તેમ તે માટે મારા ખ્યાલમાં હોય એવું કંઈ મારૂં પ્રયત્ન પણ નહોતું, છતાં અચાનક ફેરફાર થયે; કેઈ ઓર અનુભવ થયો, અને જે અનુભવ પ્રાયે શાસ્ત્રમાં લેખિત ન હય, જડવાદીઓની કલ્પનામાં પણ નથી, તે હતે. તે ક્રમે
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy