SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન ૨૧૫ હાઇ કોઇ પણ આત્માન્નતિઇચ્છકને ઉપયાગી થઈ પડશે એમ જણાવતાં લખે છે— તેમ જણાવેલા ક્રમના વિચારો ઘણા સાંસ્કારિક હાઇને પત્ર વાટે નીકળ્યા છે; આપને તેમજ કોઈ પણ આત્માન્નતિ વા પ્રશસ્ત ક્રમને ઇચ્છનારને તે ખચિત વધારે ઉપચાગી થઈ પડશે; એમ માન્યતા છે.' આટલી સામાન્ય પ્રસ્તાવના કરી, તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દન કરવા જતા તત્ત્વજિજ્ઞાસુને મૂલભૂત કયા પ્રશ્ન ઊઠે છે તેનું સ્વાનુભવસિદ્ધ આલેખન કરતાં શ્રીમદ્ અદ્ભુત નાટકીય રીતિથી (Grand dramatic style) ભવ્ય રજૂઆત કરે છે: ‘તત્ત્વજ્ઞાનની ઉંડી ગુઢ્ઢાનું દર્શન કરવા જઇએ તે ત્યાં નેપથ્યમાંથી એવા ધ્વનિ જ નીકળશે કે તમે કેણુ છે ? ક્યાંથી આવ્યા છે? કેમ આવ્યા છે ? તમારી સમીપ આ સઘળું શું છે? તમારી તમને પ્રતીતિ છે? તમે વિનાશી, અવિનાશી વા કાઈ ત્રિરાશી છે ? એવા અનેક પ્રશ્નો હૃદયમાં તે ધ્વનિથી પ્રવેશ કરશે; અને એ પ્રશ્નોથી જ્યાં આત્મા ઘેરાયા ત્યાં પછી બીજા વિચારાને બહુજ થાડા અવકાશ રહેશે.' હું કાણુ છું ? મ્હારૂ ખરૂં સ્વરૂપ શું છે? ઇ. મૂલ કેન્દ્રસ્થ (Central) વસ્તુને વિચાર એ જ સમસ્ત વિશ્વવસ્તુને વિચાર કરવામાં મૂન્યસ્થાને છે, એ જ સમસ્ત વસ્તુવિચારની મુખ્ય રહસ્યભૂત ચાવી (master-key) છે, સમસ્ત તત્ત્વજ્ઞાનની વિચારણાના મૂળ સ્રોત અહી' છે, અહીથી માંડીને જગના તત્ત્વજ્ઞાનીએની વિચારણાના પ્રારભ થાય છે; આ તત્ત્વના કાયડા ઉકેલવામાં જગત્તત્ત્વજ્ઞાનીઓની સમસ્ત શક્તિનું સમપ ણુ કરાય છે, આ કેયડાના ઉકેલની સફળતા-નિષ્ફળતા પર સવ સિદ્ધિ—અસિદ્ધિ નિરૃર છે, આ કેાયડાના ઉકેલ મળી જાય તેા ખીજો બધા ઉકેલ આપે।આપ થઈ જાય છે અને સ` સિદ્ધિ સાંપડે છે. એટલે જ શ્રીમદ્ ત્યાં આગળ સ્વાનુભવસિદ્ધ વચન લખે છે— યદિ એ વિચારાથી જ છેવટે સિદ્ધિ છે; એ જ વિચારોના વિવેકથી જે અન્યાખાધ સુખની ઇચ્છા છે, તેની પ્રાપ્તિ થાય છે. એ જ વિચારાના મનનથી અનંત કાળનું મુંઝન ટળવાનું છે; તથાપિ તે સને માટે નથી.' (એ સને માટે કેમ નથી ? તેના મામિક ખુલાસા કરે છે). વાસ્તવિક દૃષ્ટિથી જોતાંતે છેવટ સુધી પામનારાં પાત્રાની ન્યૂનતા બહુ છે, કાળ ફરી ગયા છે; વસ્તુના અધીરાઈ અથવા અશૌચતાથી અંત લેવા જતાં ઝેર નીકળે છે અને તે ભાગ્યહીન અપાત્ર અને લેાકથી ભ્રષ્ટ થાય છે.’ ગહન ગુહામાં પ્રવેશ પણ દુર્ઘટ–વિકટ છે, તે તેમાં અંતઃપ્રવેશ કરી તેના અગાધ ઊંડાણમાં જઇ ઠેઠ તેના અંતપર્યં ત પહેાંચીને ત્યાં મૂકેલા વેતાલાથી સુરક્ષિત (લેાકકથામાં આવે છે તેમ) ગુપ્ત ખજાના હાથ કરવા કેટલા બધા વિકટ-દ્રુટ છે ? તેમ આ તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફામાં પ્રવેશ કરવા પણ દુર્ઘટ–વિકટ છે, તે તેના અગાધ ઊંડાણમાં જઇ ઠેઠ અંતપર્યંત પહેાંચી આત્મગુણસુરક્ષિત સ્વરૂપશુપ્ત આત્મારૂપ પરમ નિધાન પ્રાપ્ત કરવા પરમ વિકટ-પરમ દુધ ટ છે. કારણકે તેમાં અપાત્રતા નહિં પણ ઘણી ઘણી પાત્રતા જોઇએ છે,પાત્ર વિના વસ્તુ ન રહે પાત્રે આત્મિક જ્ઞાન,' વસ્તુની કલ્પનારૂપ (imagination) નહિં પણ વસ્તુગતે વસ્તુ દેખવારૂપ વાસ્તવિક દૃષ્ટિએ જોઇએ છે, અધીરજ
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy