________________
અધ્યાત્મ રાજચંદ્ર છે. તેમાં જ તેમનું અધ્યાત્મ જીવન ઓતપ્રેત છે, ને તેમાં જ તેમનું ખરું ચરિત્રસ્વરૂપાચરણરૂપ ચરણ પ્રગટ છે. એટલે કાળાનુક્રમ જ્યાં બરાબર જાળવવામાં આવ્યું છે, એવી શ્રીમદ્ રાજચંદ્રની આવૃત્તિ આ અંગે વાંચવી–વિચારવી વિશેષ ઉપગી–ઉપકારી થઈ પડશે. તે જ તેને બરાબર ખ્યાલ આવશે. આ માત્ર સામાન્ય સૂચના છે. અને આપણે પણ અત્રે–આ અધ્યાત્મ રાજચંદ્ર ગ્રંથમાં એમના જીવનને પ્રાયે આ ત્રણ તબક્કાના કાળાનુક્રમે યથાશય અભ્યાસ કરી રહ્યા છીએ અને કરશું.
આ ગ્રંથનું નામ “અધ્યાત્મ રાજચંદ્ર” રાખવામાં આવ્યું છે તે સહેતુક અને પરમાર્થ પ્રજનભૂત છે, કારણ કે અત્રે શ્રીમદ્ રાજચંદ્રનું મુખ્ય પણે અધ્યાત્મચરિત્ર આલેખવાનું છે,તે પરથી ઉપસી આવતું શ્રીમદ્દના આધ્યાત્મિક વ્યક્તિત્વનું સંકલનબદ્ધ કળામય ચિત્ર આલેખવાનું છે અને આ પરમ પુરુષ શ્રીમદના અંતર્ગત પુરુષનું શ્રીમદ્દના દિવ્ય આત્માનું દર્શન કરાવી, શ્રીમદૂની અધ્યાત્મદશા ઉત્તરોત્તર કેવી વર્ધમાન થતી ગઈ તેનું દર્શન કરાવવાનું છે. એટલે આ અધ્યાત્મ રાજચંદ્રના અધ્યાત્મજીવનવિકાસના આ ત્રણે તબકકામાં શ્રીમદ્ રાજચંદ્રની આ અધ્યાત્મદશાનું દર્શન યથાસ્થાને અમે કરાવતા રહેશું.
પણ શ્રીમદની અધ્યાત્મદશાનું સંપૂર્ણ યથાર્થ માપ અત્ર કરી શકાશે એવી ભ્રાંતિ રખેને કઈ ન રાખે. અત્રે તે તેના એક અંશમાત્રની જ ઝાંખી કરાવી શકાશે. કારણ કે શ્રીમદ્દ જેવા પરમ આધ્યાત્મિક પરમ ગીપુરુષનું યથાર્થ માપ તે તેમના જેવી ઉચ્ચ અધ્યાત્મદશાને પામેલે જ્ઞાની ગીપુરુષ જ કરી શકે, તે જ તેમને પૂર્ણ ન્યાય આપી શકે –“તેહ જ એને જાણંગ ભક્તા, જે તુમ સમ ગુણ રાયજી!” આ લેખક જેવા સામાન્ય મનુષ્યનું તેમ કરવાનું ગજું જ નથી. એટલે તે તે ગુણાનુરાગ જન્ય પ્રીતિ-ભક્તિથી પ્રેરિત થઈ એક માત્ર લૂલો લંગડો પ્રયાસ જ કરશે. આ લેખકના આત્મામાં શ્રીમદની આત્મદશા સંબંધી જે કાંઈ ભાવ અનુભવાયો હોય તે તેટલે મન બરાબર ઝીલી ન શકે, અને મને ઝીલેલે ભાવ લેખિની બરાબર ઝીલી ન શકે, એટલે પિતાની મર્યાદાને પૂરા ભાનથી આ લેખક શ્રીમદની અધ્યાત્મદશાને અંશમાત્ર ખ્યાલ આપી શકશે એવા ભાવથી જ આ સાહસ કરે છે. શ્રીમદૂની ખરેખરી આધ્યાત્મિક મહત્તાને અનંતાંશ જે અત્ર આલિખિત થઈ શકે, તો તેમની વાસ્તવિક આધ્યાત્મિક મહત્તા આથી અનંતગુણવિશિષ્ટ છે એમ સીધા સાદે ત્રિરાશિને હિસાબ સુજ્ઞ વિચક્ષણ વાંચક પિતાના આત્માનુભવની સાક્ષીથી મેળવી લે! અસ્તુ!
આમ શ્રીમદના અધ્યાત્મજીવનવિકાસ સંબંધી સામાન્ય સૂચના કરી આ અધ્યાત્મજીવનવિકાસના ત્રણ તબક્કાનું અનુક્રમે વર્ણન કરશું. તેમાં–આ પ્રથમ તબક્કાનું વર્ણન ચાલી રહ્યું છે. આ પ્રથમ તબક્કાના બે આંતરતબક્કા કરી શકાય? (૧) ૧૯૪૧ થી ૧૯૪૪ના પૂર્વ ભાગ સુધીને; (૨) ૧૯૪૪ના ઉત્તર ભાગથી ૧૯૪૬ ના અંત સુધી. તેમાં–૧૯૪૧ થી ૧૯૪૪ના પૂર્વ ભાગ સુધીના આંતરતબક્કાને લગતા કેટલાક પ્રકરણનું આલેખન કર્યું, અને તેમાં પ્રસંગવશાત્ શ્રીમદની વધતી