________________
૧૯૪
અધ્યાત્મ રાજચંદ્ર સુખને અર્થે, સ્વાર્થને અર્થે કે કોઈ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. ૪ ૪ લેભના હેતુથી તે પ્રવૃત્તિ થાય છે કે કેમ ? એમ વિચારતાં લેભનું નિદાન જણાતું નથી, વિષયાદિની ઈચ્છાએ પ્રવૃત્તિ થાય છે એમ પણ જણાતું નથી. તથાપિ પ્રવૃત્તિ થાય છે એમાં સંદેહ નથી. જગત્ કંઈ લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, આ પ્રવૃત્તિ દેવાને માટે થતી હશે, એમ લાગે છે.” (અં. ૪૧૫, પ૭૬) “પૂર્વ યથાવસ્થિત વિચાર કર્યા વિના જીવે પ્રવૃત્તિ કરી તેથી આવા વ્યવહારને ઉદય પ્રાપ્ત થયો છે, જેથી ઘણી વાર ચિત્તમાં શાચ રહે છે, પણ યથાસ્થિત સમપરિણામે વેદવું ઘટે છે એમ જાણી ઘણું કરી તેવી પ્રવૃત્તિ રહે છે.” (અં. ૫૮૨) ઈ.
અર્થોપાર્જન અર્થે વવાણીઆ ક્ષેત્ર ઘણું નાનું હતું, અને ત્યાં આગળ વધવાને અવકાશ બહુ અ૯પ હતો. તે વખતે મુંબઈ નગરી કૂદકે ને ભૂસકે આગળ વધતી જતી હતી. ગુજરાત-કાઠિયાવાડના યુવાનનું મુંબઈ પ્રત્યે ભારે આકર્ષણ હતું. એટલે સ્વાભાવિક રીતે શ્રીમદ્ મુંબઈ ગમન માટેનો નિર્ણય થયો અને ત્યાં જવાનું નિમિત્ત પણ સહજ પ્રાપ્ત થયું. અવધાનાદિથી એમની ખ્યાતિ તે ચોમેર પ્રસરી જ હતી. એટલે એમને અવધાનપ્રયોગ મુંબઈ ગોઠવાયો હતો તે અર્થે તેમને મુંબઈ જવાનું નિમિત્ત મળી આવ્યું સાથે સાથે અર્થોપાર્જનને પ્રબંધ કરવાનું કારણ પણ હતું. અવધાનપ્રગને અસાધારણ ઉત્તમ વિજય થયો. શ્રીમદૂની કીર્તિનો ડંકે સર્વત્ર ગાજી રહ્યો. અવધાન પ્રયોગના પ્રેક્ષક દષ્ટાઓમાં વડોદરાવાળા શ્રી માણેકલાલ ઘેલાભાઈ ઝવેરી પણ હતા. તેઓ શ્રીમદના આ અદ્ભુત પ્રયોગોથી મુગ્ધ થઈ આકર્ષાયા અને શ્રીમદ્દના સમાગમમાં આવ્યા. તેમના પિતાશ્રી ઘેલાભાઈ ઝવેરી ઝવેરાતની પરીક્ષામાં નિષ્ણાત હતા; તેમની પાસેથી તે પરીક્ષા શીખીને માણેકલાલભાઈ વડોદરાથી મુંબઈ આવી ઝવેરાતના વ્યવસાયમાં પ્રવર્યા હતા. તેમની પાસેથી ઝવેરાતની પરીક્ષા શીખવાનું સ્વ૯૫ નિમિત્ત પામી કુશાગ્રબુદ્ધિ શ્રીમદ્દ સ્વ૯૫ સમયમાં તેમાં નિપુણ થઈ ગયા, અને તે વ્યાપારમાં પડવાનું વિચારી રહ્યા હતા, તેવામાં સં. ૧૯૪૪ના પિષમાં તેમને ગૃહસ્થાશ્રમી થવા વવાણિઆ જવાની ફરજ પડી. શ્રીમદે મુંબઈથી ૧૯૪૪ પોષ વદ ૧૦ ના લખેલા પત્રમાં આને ઈશારો છે—લમી પર પ્રીતિ નહિં છતાં કેઈપણ પરાર્થિક કામમાં તે બહુ ઉપયોગી થઈ પડત એમ લાગવાથી મૌન રહી અહીં તે સબંધી સત્સગવડમાં હતો. જે સગવડનું ધારેલું પરિણામ આવવાનો બહુ વખત નહોતે. પણ તેઓ ભણીનું મમત્વપણું ત્વરા કરાવે છે. જેથી તે બધું પડતું મૂકી વદ ૧૩ કે ૧૪ (પષની)ને જ અહીંથી રવાના થઉં છું.” એટલે આ પ્રસંગને લઈ ઝવેરાતના વ્યવસાયમાં જોડાવાની વાત તે વખતે ખોળ બે પડી; અને તે વખતે મોરબીની મિત્રમંડળીના સભ્ય તરીકે રેવાશંકરભાઈ જે પ્રથમથી શ્રીમદ્દના પરિચયમાં હતા જ, તે આ વ્યાવહારિક સગપણ સંબંધથી ગાઢ નિકટ પરિરાયમા આવ્યા. રેવાશંકરભાઈ મોરબીમાં વકીલાત કરતા, તેમને એકાદ વર્ષ પછી વ્યાપારમાં મોટો લાભ છે એમ તિથી જાણી શ્રીમદે મુંબઈ જવા પ્રેરણા કરી અને ઝવેરાતના વ્યવસાયની