SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ગૃહસ્થાશ્રમ મળે પરમ વિરક્ત દશા ૧૬૫ જગમાં બહુધા કરીને અસતાવેદનીય છે. મેં ધર્મમાં મારે કાળ ગાળવાનો નિયમ રાખે છે. સન્શાસ્ત્રોનું વાચન મનન, સત્પરુષને સમાગમ, યમ નિયમ, એક મહિનામાં બાર દિવસ બ્રહ્મચર્ય, બનતું ગુપ્ત દાન, એ આદિ ધર્મરૂપે મારે કાળ ગાળું છું. સર્વ વ્યવહાર સંબંધીની ઉપાધિમાંથી કેટલેક ભાગ બહુ અંશે મેં ત્યાગે છે. પુત્રોને વ્યવહારમાં યથાયોગ્ય કરીને હું નિર્ગથ થવાની ઈચ્છા રાખું છું. હમણું નિર્મથ થઈ શકું એમ નથી. એમાં સંસારમહિને કે એવું કારણ નથી, પરંતુ તે પણ ધર્મ સંબંધી કારણ છે. ગૃહસ્થ ધર્મનાં આચરણ બહુ કનિષ્ઠ થઈ ગયાં છે, અને મુનિઓ તે સુધારી શકતા નથી. ગૃહસ્થ ગૃહસ્થને વિશેષ બંધ કરી શકે, આચરણથી પણ અસર કરી શકે. એટલા માટે થઈને ધર્મસંબંધે ગૃહસ્થવર્ગને હું ઘણે ભાગે બોધી યમનિયમમાં આવ્યું છું. દર સપ્તાહે આપણે ત્યાં પાંચસૅ જેટલા સદ્દગૃહસ્થની સભા ભરાય છે. આઠ દિવસને નવે અનુભવ અને બાકીનો આગળને ધર્માનુભવ એમને બેત્રણ મુહૂર્ત બોધું છું. મારી સ્ત્રી ધર્મ શાસ્ત્રને કેટલેક બેધ પામેલી હોવાથી તે પણ સ્ત્રીવર્ગને ઉત્તમ યમનિયમને બંધ કરી સાપ્તાહિક સભા ભરે છે. પુત્ર પણ શાસ્ત્રનો બનતો પરિચય રાખે છે. * * આ સઘળાં ઉપરથી હું સુખી છું એમ આપને લાગી શકશે. અને સામાન્ય વિચારે મને બહુ સુખી માને તો માની શકાય તેમ છે. ધર્મ, શીલ અને નીતિ તેમજ શાસ્ત્રાવધાનથી મને જે આનંદ ઉપજે છે તે અવર્ણનીય છે. પણ તત્ત્વદષ્ટિથી હું સુખી ન મનાઉં. જ્યાં સુધી સર્વ પ્રકારે બાહ્ય અને અત્યંતર પરિગ્રહ મેં ત્યાગે નથી ત્યાં સુધી રાગદેષને ભાવ છે. જો કે તે બહુ અંશે નથી, પણ છે; તો ત્યાં ઉપાધિ પણ છે. સર્વસંગ પરિત્યાગ કરવાની મારી સંપૂર્ણ આકાંક્ષા છે; પણ જ્યાં સુધી તેમ થયું નથી ત્યાં સુધી કઈ પ્રિયજનનો વિયેગ, વ્યવહારમાં હાનિ, કુટુંબનું દુઃખ એ થોડે અંશે પણ ઉપાધિ આપી શકે. પોતાના દેહ પર મોત શિવાય પણ નાના પ્રકારના રોગને સંભવ છે. માટે કેવળ નિગ્રંથ, બાહ્યાભ્યતર પરિગ્રહનો ત્યાગ, અપારંભનો ત્યાગ એ સઘળું નથી થયું ત્યાં સુધી મને કેવળ સુખી માનતો નથી. હવે આપને તત્ત્વની દૃષ્ટિએ વિચારતાં માલુમ પડશે કે લક્ષ્મી, સ્ત્રી, પુત્ર કે કુટુંબ એ વડે સુખ નથી. અને એને સુખ ગણું તે જ્યારે મારી સ્થિતિ પતિત થઈ હતી ત્યારે એ સુખ કયાં ગયું હતું? જેનો વિયેગ છે, જે ક્ષણભંગુર છે અને જ્યાં અવ્યાબાધપણું નથી તે સંપૂર્ણ કે વાસ્તવિક સુખ નથી. એટલા માટે થઈને હું મને સુખી કહી શકતો નથી.” ઈત્યાદિ.- શ્રીમદૂના અંતવિચારોનો પડઘો પાડતા ને હૃદયનું પ્રતિબિંબ દાખવતા આ વિચારોથી જણાય છે કે લઘુવયથી શ્રીમદનો નૈસર્ગિક ચિત્તપ્રવાહ- કુદરતી પ્રક નિર્ચ થતા ભણી જ છે અને તે જ તેમને ધ્રુવતારક છે. તેમજ તેવી દશાના લક્ષે તે પ્રાપ્ત થવા પૂર્વે પણ એક સચારિત્રસંપન્ન સધર્મનિષ્ઠ સંગ્રહસ્થ પિોતાના જીવતા જાગતા જવલંત દષ્ટાંતથી ઈતર ગૃહસ્થાને કોઈ અપેક્ષાએ જે ને જેટલે ધડો લેવા ગ્ય સબોધ આપી શકે, તે ને એટલે ત્યાગી ન આપી શકે. એ આદિ પણ સાથે સાથે ગર્ભિતપણે સૂચવાયેલું જણાય છે. આ ગમે તેમ છે પણ હવે શ્રીમને
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy