SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ અધ્યાત્મ રાજચંદ્ર કે હવાઈ ગણે એવા જે વિચારે જે વસ્તુ અને જે પદ આજ રાજ્યશ્રી ચક્રવત્તિની વિકટોરિયાને દુર્લભ- કેવળ અસંભવિત તેમજ તેની અંતરૂઇચ્છાનો એકધારે અખંડ પ્રવાહ વહ્યા કરે છે ! “પાર્થ કરતાં વખતે અંધાપો હેરાપણું ને મુંગાપણું આપનારી” લક્ષ્મીના દૂષણનું પૂરેપૂરું ભાન છે એવા તેને લક્ષ્મી પ્રત્યે મોહ નથી ને પરવાહ નથી, છતાં સ્વાર્થે નહિં પણ પરાર્થે – પરમાર્થે અથવા પરને અર્થે– પરની ખાતર– માતાપિતાદિ કુટુંબાદિ પ્રજનની ખાતર અર્થોપાર્જન પ્રવૃત્તિ કરવી પડે છે, તેમજ સ્વેચ્છાથી નહિં પણ પરેચ્છાથી સંજોગવશાત્ તેને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાની ફરજ પડે છે. એની સ્વેચ્છા- પોતાની મુક્ત અંતરુઈચ્છા તો કેવલ એક વસ્તુ- એક પદ ભણી જ છે. અને આમ અનિચ્છાએ ને વિરક્તચિત્ત પ્રવૃત્તિ કરતા તેનું “અંતઃકરણ શુક્લ અદભુત વિચારોથી ભરપૂર છે. આવા શુકલ વિચારોમાં રમણ કરતા શ્રીમદ્દ સં. ૧૯૪૪ના માહ સુદ ૧૨ના દિને ઝવેરી રેવાશંકર જગજીવનના વડીલ બંધુ પોપટલાલ જ. ના સુપુત્રી શ્રી ઝબકહેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા ને તેમને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ થા. પ્રકરણ છવીસમું ગૃહસ્થાશ્રમ મધ્યે પરમ વિરક્ત દશા રહ્યો સંસારે પણ સંસારી, રંગે નવિ લેપાયે રે; જલમાં કમલ રહ્યું છે તે પણ, જલનો સંગ ન થાયે રે.–(સ્વરચિત) શુકલ અદ્ભુત વિચારોથી ભરપૂર અંતઃકરણ ધરાવતા શ્રીમદ ગૃહસ્થાશ્રમ અંગે પણ પ્રૌઢ વિવેકી ગંભીર વિચારો ધરાવે છે. મોક્ષમાળાના ‘સુખ વિષે વિચારીના પાઠમાં તેમણે એક સધર્મનિષ્ઠ સદ્ગૃહસ્થને આદર્શ રજૂ કરતું સુંદર શબ્દચિત્ર આલેખ્યું છે, તેમાં તેમના મૌલિક વિચારોનું પ્રતિબિંબ પડે છે અને આદર્શ લક્ષી તેમના શુકલ હદયનું દર્શન થાય છે. દરિદ્રાવસ્થાથી પીડાતો એક બ્રાહ્મણ દેવેપારનથી વર્મી મેળવવા ઈચ્છી, કેવું વર માગવું એ માટે જગતુમાં સુખની શોધમાં નિકળી પડે છે, એમ એક મૌલિક મહાકથાનું બીજ જેમાં છે એવી રીતે વસ્તુને કલાપૂર્ણ ઉઠાવ લઈ સુંદર આખ્યાયિકા રજૂ કરી છે. ઘણુ ઘણુ સ્થળે ભટક્યો પણ તે બ્રાહ્મણને ક્યાંય સંતોષ થયે નહિં, પણ દ્વારિકાના એક મહાધનાઢયને દેખી તેનું મન ઠર્યું અને પોતાની કલ્પના પ્રમાણે જગતમાં તેને સર્વ રીતે સુખી દીઠે. પછી પરસ્પર વાર્તાલાપમાં તે ગૃહસ્થ પિતાની વીતક આત્મકથા કહી દેખાડી સુખ વિષે પોતાના વિચારો ઉપરાંહામાં જણાવે છે—જે કે હું બીજા કરતાં સુખી છું તો પણ એ સાતવેદનીય છે, સસુખ નથી.
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy