SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ અધ્યાત્મ રાજચંદ્ર બહુ આતુર થાય છે, સાથે બેસી જમવાની ઈચ્છા કરે છે, માટે તેને અહીં સાથે બેસવાને માર્ગ કરે. તુરત એક ભાઈ મને અંદર જમવા માટે તેડી ગયા, જમવા બેસાડ્યો. અને જમવાનું શરૂ કર્યું. જમતાં જમતાં વિચાર થયો કે સાહેબજી આપણને આગ્રહ કરી પોતાને મોઢે બોલી એક રોટલી લેવાનું કહે તો બહુ આનંદ થાય. પૂજ્યશ્રીએ એક ભાઈને હુકમ કર્યો કે એક રોટલી લાવો અને મણિલાલને પીરસે, અને ઘી અને સાકર ખૂબ આપો. એ પ્રમાણે ધારેલી મુરાદ પાર પડી. ઈત્યાદિ. (અગાસ આશ્રમ સંગૃહીત પરિચય–ોંધના આધારે) આમ મણિભાઈએ ભેળાભાવે જેમ બન્યા છે તેમ આ સાદા દેખાતા સ્વાનુભવ પ્રસંગ આલેખ્યા છે, તે પરથી પણ વિચક્ષણ વાંચકે શ્રીમદનું અંતર્યામીપણું કેવું હતું તે સ્વયં વિચારી શકશે. પોણોસો-સો માઈલ દૂર આવેલા બોટાદમાં મણિભાઈ પોતાના ઘરની મેડીમાં ખિન્ન થઈ એકાંતે છાને ખૂણે રુદન કરે છે, તે પિણે – માઈલ દૂર આવેલા હડમતાલામાં બિરાજમાન શ્રીમદૂના સ્વચ્છ જ્ઞાનદર્પણમાં દેખાય છે. શ્રીમદના દર્શન-સમાગમાથે હડમતાલા આવવા બેટાદથી નિકળતી વેળાએ મણિભાઈ મુગ્ધ ભાવે જે વગર બેલ્વે સમાધાનને અને અન્નત્યાગને અભિપ્રહ-સંકલ્પ કરે છે, તે હડમતાલે બેઠા બેઠા શ્રીમદૂના દિવ્ય જ્ઞાનમાં પ્રતિભાસે છે ! એક મણિભાઈ જ પિતે જાણતા હતા તે મણિભાઈની મને ગત ગુપ્ત વાતે મનોગત ભાવ જાણનારા શ્રીમદ્દ કહી દેખાડે છે ! દૂર ઊભા ઊભા આણંદજીભાઈ પિતાના મનમાં શંકા-કુશંકારૂપ કલ્પનાતરંગ કરે છે, તેને પાસે બોલાવરાવી માર્દવમૂત્તિ શ્રીમદ્દ તેની મિથ્યા ક૫નારૂપ શંકા દર કરાવી આશ્ચર્યમુગ્ધ કરે છે! અને ભેજનવેળાએ મણિભાઈનો શ્રીમદ સાથે બેસીને જમવાને મનોરથ તેને મને ગત ભાવ જાણી વાત્સલ્યમૂતિ શ્રીમદ્ પૂર્ણ કરે છે ! એ ચમત્કારિક ઘટનાઓ પણ અતીંદ્રિય જ્ઞાની અંતર્યામી શ્રીમદનું કેવું અદ્દભુત અંતર્યામીપણું પ્રકાશે છે! - આમ શ્રીમદૂના અંતર્યામીપણાના આ અનુભૂત પ્રસંગે આ અનુભવનારાઓના જ શબ્દમાં અત્ર જેમ છે તેમ પૂર્વાપર સંબંધપૂર્વક આપ્યા છે તે પરથી, અને બીજા પણ તેવા ઘણું ઘણું અનુભવપ્રસંગે બન્યા છે તે પરથી, શ્રીમદ્ સામા માણસના મન પરિણામ-અંતરૂપરિણામ જાણી શકતા એ ખરેખરી અનુભવસિદ્ધ હકીકત ( . reality ) છે એમ સ્વયંસિદ્ધ થાય છે, અને તે અતીન્દ્રિયજ્ઞાની શ્રીમદના જીવનની એક પરમ અભુત–પરમ આશ્ચર્યકારક-પરમ ચમત્કારિક હકીકત છે. અને આ અંતર્યામીના બીજા અર્થ પ્રમાણે-અંતરમાં જે જાય-ગમન કરે તે અંતર્યામી-અધ્યાત્મગામી, એવું જેણે અંતર્મુખ ગમન કર્યું હોય, તેને તે અંતર્ જાણવારૂપ અંતર્યામી– પણું સંભવે છે; એટલે અંતરમાં જેણે ગમન કર્યું છે જે ખરેખરા અંતર્યામી–અધ્યાત્મગામી થયા છે એવા શ્રીમદ્દ જેવા પૂરા આધ્યાત્મિક પુરુષને–પરમ શુદ્ધ આત્માને તેવું બીજાના અંતર્ભાવ જાણવારૂપ અંતર્યામીપણું કેમ સુલભ ન હોય?
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy