________________
અતીન્દ્રિય જ્ઞાન અને શક્તિના ચમત્કાર
૧૩૭ નથી. શ્રીમદ્દની આ અતીન્દ્રિય જ્ઞાનશક્તિની પુષ્ટિ કરનારા બીજા અનેક પ્રસંગે પણ બીજાઓએ જાતિઅનુભવથી અનુભવ્યા છે. તેમાંના કોઈ કોઈ નેધાયેલા પ્રસંગમાંથી કેટલાક ખાસ પ્રસંગે આ રહ્યા –
શ્રીમનું બાલ હદય એટલું બધું કોમળ અને કરુણાળુ હતું કે પોતાના નિર્મળ જ્ઞાનબળથી વિચિત્ કેઈનું ભાવિ અનિષ્ટ જોવામાં આવતું, તો તેઓ કરુણદ્ર ચિત્તથી તે વ્યક્તિને અગાઉથી અગમચેતી આપી દેતા અને જે તે વ્યક્તિ માન્ય કરે તે તેને આમ ઉગારી લેતા, ન માન્ય કરે તે તેને સહન કરવું પડતું, એવા અનેક પ્રસંગે બન્યા છે. જેમકે–
વવાણીઆમાં વીરજીભાઈ દેસાઈ નામના એક વાણુઓ હતા. તેમની પત્ની ગૂજરી ગઈ અને તે ફરીથી સગપણ કરવાની તૈયારીમાં હતા, સગાંસંબંધીઓની પણ ફરીથી લગ્ન કરાવવાની ઈચ્છા હતી. વીરજીભાઈએ શ્રીમદ્ પાસે સહજ વાત કરી. શ્રીમદે જણાવ્યું કે હાલ છ મહિના સુધી લગ્ન કરવા સંબંધી વિચાર મુલતવી રાખવો એમ મારા વિચારમાં આવે છે. વીરજીભાઈને સગાંસંબંધીઓ તરફનું દબાણ ખૂબ હતું અને લગ્ન ન કરાય તે ઘણે ઠપકો મળે એમ હતું, છતાં શ્રીમનું વચન માન્ય કરી વીરજી ભાઈએ લગ્ન સંબંધી વિચાર મુલતવી રાખે. વીરજીભાઈને શ્રીમદે લગ્ન નહિં કરવા માટે છ મહિનાની મુદત કહેલી, તે છ મહિનાની મુદત પૂરી થવાની રાત્રીએ વિરજીભાઈ ઉપાશ્રયે ગયા હતા, ત્યાંથી રાત્રે દશ વાગ્યે ઘર તરફ આવતાં ઘર આગળ ખાળમાંથી એક સર્પ કરડ્યો. તે ઉતારવા ઘણી મહેનત કરી. વીરજીભાઈએ કહ્યું–મારે ચોવિહાર ભંગાવશે નહિં. મને કહેનારે કહી દીધું છે. અને વીરજીભાઈ તત્કાળ મૃત્યુ પામ્યા.
એક વખત રવજીભાઈ ચમનપર જતા હતા ત્યારે શ્રીમદે કહ્યું–બાપા! તમે આજે ચમનપર ન જાઓ તો? છતાં રવજીભાઈ ગયા. સાંજે દીવાબત્તીને સમયે મનસુખભાઈને રસોડામાં જતાં દીવાની ઝાળ લાગી ને પહેરણુ બળવા માંડયું ને મન સુખભાઈની છાતી દાઝી ગઈ હતી. પછી રવજીભાઈને ચમનપર તેડવા મોકલ્યા હતા.
વવાણિયામાં એક ગરાશિયા એક વખત ઘેડી લઈને ફરવા જતા હતા. ત્યારે શ્રીમદે કહ્યું કે બાપુ, તમે આજે ઘડી લઈને ફરવા જાઓ મા. શ્રીમદે કહ્યું છતાં માન્યું નહિં ને ઘોડી લઈને ગામ ન્હાર ગયા. ત્યાં ઘડીએ તોફાન કર્યું. તેમને પછાડયા. પછી ગરાશિયા બાપુને ચાર જણ જઈને ચૂંફાળમાં તેમના ઘેર લાવ્યા હતા. પછી તુરત તે ગરાશિયા ગૂજરી ગયા હતા.
એક ગરાસીઆના ભાઈના લગ્ન હતા. તેઓ લગ્ન કરીને આવ્યા ત્યારે તે ગરાસીઆએ સામૈયામાં જવા ઘડી તૈયાર કરી. ત્યાં પ્રસંગવશાત્ શ્રીમદ્દ હાજર હતા, તેમણે ગરાશીઓને ચેતવ્યા-સામૈયામાં તમે જશો નહિં, પણ તેને રુચ્યું નહિં અને જણાવ્યું–હે, મારા ભાઈના લગ્ન અને સામૈયામાં હું ન જાઉં એ કેમ બને ? સામૈયું વળ્યું ને ઘડીએ તોફાન કર્યું. તેમાં તે ગરાશીઆ ભાઈના પ્રાણ ગયા અને તેને ઝોળીમાં લઈને ઘેર આવ્યા.
આ તે નાની વયના કેટલાક પ્રસંગેની નેંધ છે, પણ આગળ ઉપર બનેલા કેઈ અ-૧૮