________________
૧૨૪
અધ્યાત્મ રાજચંદ્ર છે એમ ગણે-“બજે કાળકા શિરે આમ જશે, ઘડિયાળનો આપ દે તમાશો!' (૨) કવિએ ઈટ પાસે બેધ અપાવ્યું છે–મૂર્ખને હાથ જાતાં “ધન કણ ધૂળ થાશે” ને સુજ્ઞ સાથે પલાતાં–પ્રસંગ પડતાં “ધૂળ પણ ધન થાશે,”—આમ ઘટકોરે-કુંભકારે હાથમાં લઈને આ ઈટ દષ્ટાંત દીધું છે, ને મહીતલે–પૃથ્વીતલે ઉપયોગી એવું ચેગ્ય પાત્ર કર્યું છે. આમ ધૂળનું ધન કરનારા કુંભાર જેવાના મુખે ધૂળમાંથી બનાવેલી ઈટના દષ્ટાંતથી અન્યક્તિથી બેધ દીધું છે કે સુપાત્રને હાથ પડતાં ખરાબ નિર્માલ્ય વસ્તુ સારી મૂલ્યવાન બની જાય છે ને કુપાત્રને હાથે ચડતાં સારી મૂલ્યવાન વસ્તુ પણ ખરાબ નિર્માલ્ય બની જાય છે. (૩) નળિયું-નળિયા પરથી શીઘ્ર કવિએ બોધ ઉતાર્યો છે-“અરે ! સંપની વાત તો ઓર માનો તે માટે હું એક દષ્ટાંત કહું એને તમે પીછાને; જો “લઘુ–નાની હલકી વસ્તુઓને થેક–સમૂહ મળે તો કામ સિદ્ધ થાય, તે “નળિયાં સમાજમાં ”-નળિયાંના એકત્ર મળેલા સમુદાયમાં પ્રસિદ્ધ રહ્યું છે. અર્થાત જેમ નળિયાં મળે–એક સમાજ-સમુદાયરૂપે ભેગાં થાય તે છજું ચૂ તું નથી, ઘરમાં છજામાંથી વરસાદનું ટીપું પણ ટપકતું નથી ને વરસાદથી ઘરના રક્ષણનું કાર્ય સિદ્ધ થાય છે તેમ. આ પરથી અતિથી કવિએ નાના માણસને “સમાજ'_એકત્રિત સમુદાય મોટું કાર્ય સિદ્ધ કરી શકે છે એમ સૂચવી સંપીલા એક સંઘરૂપ સંગઠિત
સમાજની અગત્ય” સમજાવી છે અને અંતિઃ વાઘા એ મહાસૂત્રનું સુંદર બોધપ્રદ નિદર્શન કરાવ્યું છે. (૪) પાણી ઉપર કાવ્ય રચવાનું કહેવામાં આવતાં આપણું આ શીઘ્ર કવિએ લેષની અદ્ભુત અનેકાથી અર્થચમત્કૃતિથી વિનક્તિથી અદ્ભુત ભાવ ઉતાર્યો છે–પાણી વિના”-પાણિ-હાથ વિના કાંઈ કામ થાય નહિં, પાણી વિના-હાથ વિના કેમ કરી લખાય? પાણી વિના-હાથ વિના અથવા તેજ – સત્વ વિના ચાકરી–સેવા કેમ થાય? પાણી વિના-જલ વિના અથવા સત્વ વિના ઘડી પણ છવાય નહિં. વિશેષ હાલી એવી આ વપુએ-શરીરે “સુવાન’–સુંદર વર્ણવાળી (લેષ–સારા રંગ અથવા અક્ષરવાળી) વનિતા-સુંદરી વદનમાં–મુખમાં ચંદ્રની સમાન વર્તાય છે, એવી આ વાણી વિષે વધતી વિમલતા વસી છે, વાહ ! વીર થઈને હમણાં આ વાણી વીર સ્થળે ધસી છે!—આ બધા પાણીને જ પ્રભાવ છે. આ સોળ “વ-વા” વાળા કાવ્યને અંતર્ગત ગૂઢ સૂક્ષમ ભાવ આ છે–આ ચંદ્ર જેમ અમૃતવર્ષિણી વાણીમાં વિમલતા વસી છે તે આ “પાણીને જ’–મલ દૂર કરનારા જલને જ પ્રભાવ છે, અથવા તો “પાણીનો જ’– મુખના અમી–અમૃતને જ પ્રભાવ છે ! અને આ વાણી-વનિતા (અબળા સ્ત્રી) પણ વીર થઈવર સ્થળ-વીર રસ પ્રત્યે ધસી છે તે પણ આ “પાણીને જ ”—તેજન–સત્ત્વવંતપણને જ પ્રભાવ છે ! અર્થાત્ આ પાણી”—તેજઃ – સત્ત્વ – ઓજસ છે. તેથી જ આ વાણી હમણ વીરસ્થળ પ્રત્યે ધસી છે–વેગે દોડી છે! આ પાણી વિના વાણી કાંઈ ન કરી શકત ! આમ પાણીના અનેકાથી પ્રયોગથી ભલભલાઓનું પાણી ઉતારી નાખે એવા આ “પાણી પરના કાવ્યમાં કવિએ પિતાનું કેવું પાણી બતાવી આપ્યું છે ! (૫) પવનની રીતિ કાવ્યમાં પ્રકાશ્ય છે–જુઓ ! પવનની રીતિ! તે સદેવ પુષ્પની સુગંધ ફેલાવે છે, તેમજ ખરો મિત્ર હોય તે આ વિશ્વમાં યશ