SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ અધ્યાત્મ રાજચંદ્ર બાલસ્નેહી પોપટભાઈ મનજીના સંસ્મરણોમાં પ્રાપ્ત થાય છે–“મારા પિતાશ્રી મનજીભાઈ મોરબી ગયેલા. ત્યાં સાહેબજીનાં આઠ અવધાન સંબંધી કેટલીક ચમત્કૃતિ જોઈને તાજુબ બની ગયા હતા. તેઓ રાત્રે વવાણિયા આવ્યા ને ઘેર ન આવતાં તરતજ રવજીભાઈને ત્યાં પરભારા ગયા. તેમને ઘરની સાંકળ ઠેકીને ઉઠાડયા; પછી કહ્યું કે, રવજીભાઈ, તમારે દીકરે તે કઈ દેવતાઈ જાગે ! ગજબ કરી નાંખે !” હૃદયમાં ન માતા હર્ષ થી છલકાતા પુરુષના આ સહજ ઉદ્ગાર છે. અને આ સર્વ પ્રયોગોના પહેલેથી છેલ્લે સુધી સાક્ષી સાક્ષાત્ દેખનારા સાક્ષાત્ સરસ્વતી કાર પ્રસ્તુત વિનયચંદભાઈ પોપટભાઈ દતરીને હર્ષ સમુદ્ર તો હર્ષોન્માદપૂર્ણ આ શબ્દોમાં છલકાયો છે–“કવીશ્વરની કીર્તિરૂપી કસ્તુરી સ્થળે સ્થળે અને ઘેર ઘેર ભભકી ઊઠી. મૂળે એમના ઉત્કૃષ્ટ સદ્ગુણથી એ પૂજ્યરૂપ હતા; તેમાં આટલે બધો ચમત્કાર દેખાડીને તે હદ વાળી દીધી. આ તે હજુ આપણે “માણામાં મુઠી જ” ગ્રહણ કર્યું છે. વાંચનાર! તમે જેમ જેમ આગળ ચાલશે, તેમ તેમ દિંગ થઈ જઈને એ કવીશ્વરને શું માનશે? તે હું કંઈ આગળથી સૂચવી શકતો નથી, બાર પછી સેળ, અને સોળ પછી બાવન, તેમજ બાવન પછી એમણે પરભાર્યા સો અવધાનો કર્યા. જે તલપ મારીને એક છલંગે એક મહેલ ચઢી જાય, તેને તે આપણે શી ઉપમા આપવી? આટલું છતાં પણ આશ્ચર્ય કારક થવા જેવું છે કે એમનું મગજ એથી નિરંતર આનંદમય જ રહે છે. પંદર વર્ષની વયે જે પુરુષ શતાવધાની થયે તે પુરુષની શક્તિ વિષે કે મહાકવિ પણ લખવાને સમર્થ થાય ? આવી અગાધ શક્તિથી કવિ ઉપર આખી નગરી માહિત થઈ ગઈ. ચૌટે ચૌટે શેરીએ શેરીએ અને ઘેર ઘેર કવિના ધન્યવાદ ગવાવા લાગ્યા.”—હર્ષોલ્લાસથી ઉભરાતા આ સહજ ઉદ્દગારોમાં કવિની આ ચમત્કારિક શક્તિથી તત્કાલીન જનતાના હૃદય પર પડેલી ઊંડી છાપનું દિગ્દર્શન થાય છે. હવે ‘વસંત બાગમાં જેને પ્રથમ પ્રારંભ થયો હતો તે આ અષ્ટલકમલ જેમ અષ્ટ અવધાનપ્રાગ વસંતઋતુની જેમ પૂર્ણ કળાએ ખીલી ઊઠી, શતદલકમલ જેમ શતાવધાનપ્રગરૂપે કેમ વિકસિત થયે તેનું સવિસ્તર અવલોકન કરીએ; પખંડવિજય કરવા નિકળી પડેલા લૌકિક પાર્થિવ ચક્રવર્તીની જેમ, સ્મૃતિ–મેધા-કલ્પના-ચમત્કૃતિ -રસનિષ્પત્તિ–પ્રતિભા એ વખંડક્ષેત્રમાં જેનું પ્રજ્ઞાચક અખલિત ગમન કરતું હતું, એવા આ અલૌકિક અપાર્થિવ કવિ-ચકવર્તી શ્રીમદના આ શતાવધાન દિગવિજયનું હવે કંઇક વિગતે દિગ્દર્શન કરીએ. સિદ્ધના અષ્ટમંગલ ગુણની જેમ અથવા અષ્ટમંગલની જેમ અષ્ટની મંગલ સંખ્યાથી જેને મંગલ પ્રારંભ થયો હતો, તે આ અવધાનનું પ્રથમ બાર અવધાનરૂપ વિજય પ્રસ્થાન તત્ત્વશેધક જૈન ઉપાશ્રયમાં થયું હતું તેને ઉલ્લેખ ઉપર કરાઈ ચૂક છે. પછી મોરબીમાં જ મુંબઈવાસી શેઠ લક્ષ્મીદાસ ખીમજી પધાર્યા હતા, તેની સમક્ષ મોરબી હાઈસ્કૂલમાં શ્રીમદે મોટી સભા મધ્યે બાર અવધાનનો પ્રયોગ પુનઃ કરી દેખાડી, પિતાની અદૂભૂત અવધાનશક્તિથી સર્વ સભાસદોને આશ્ચર્યથી દિંગ કરી દીધા
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy