SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ સાક્ષાત્ સરસ્વતીચ્ના વિજય ૧૦૭ શક્તિ અને બુદ્ધિમત્તાને લઈને અમારા સ્નેહીમ`ડળમાં ભેળવ્યા. મંડળમાં અગ્રેસર તરિકે વકીલ નવલચંદ્રભાઇ તથા ઝવેરી રેવાશંકરભાઈ હતા.' આમ પૂર્વે પણ અવારનવાર તેમનું આગમન મેારખીમાં થતું, પણ હવે વિશેષ પ્રકારે થવા લાગ્યું. શતાવધાન : 6 મારખીમાં તે વખતે શકરલાલ માહેશ્વર શાસ્ત્રી નામે સુપ્રસિદ્ધ અષ્ટાવધાની મહાપ'ડિત હતા; અને મુંબઈમાં ગટુલાલજી મહારાજ એક બીજા સુપ્રસિદ્ધ અષ્ટાવધાની હતા. આમ ભારતભરમાં આ બે પુરુષા જ અષ્ટાવધાનની ચમત્કારિક શક્તિથી પ્રખ્યાતિ પામી લેાકપૂજ્ય થઈ પડી· હિંદના હીરા' તરિકે વખણાતા હતા,સત્ર યશેાગાન પામતા હતા. શંકરલાલ શાસ્ત્રી જ્યાં જ્યાં જતા ત્યાં લેાકે એમના ચરણસ્પશ માટે પડાપડી કરતા, એ તે આ ચરિત્રાલેખકે પેાતાના શાળાના દિવસેામાં નજરે જોયેલી હકીકત છે. આ પરથી માત્ર અષ્ટઅવધાનથી કેટલું પૂજ્યપણું થઇ પડયું હતું તે જણાય છે, તેા પછી શતઅવધાનના અન્ય પ્રયાગ સુધી પહાંચેલા આપણા ચરિત્રનાયકનું પૂજ્યપણુ કેટલું થઈ પડયું હશે તેના કંઈક ખ્યાલ આવશે. અષ્ટ અવધાન એટલે એકી સાથે આઠ ભિન્ન ભિન્ન વિષયાનું એકાગ્રપણે અવલેાકી અંતઃકરણમાં અવધારણ કરવું તે; શત અવધાન એટલે એકી સાથે શત (એક સેસ) વિષયાનું એકાગ્રપણે અવલેાકી અંતઃકરણમાં અવધારણ કરવું તે. ધારણા* નામના મતિજ્ઞાનના ભેદમાં આને સમાવેશ થાય છે. આટલે સામાન્ય પ્રસ્તાવ કરી હવે પ્રસ્તુત મૂળ વિષય પર આવીએ. માગ શ્રીમનું જે અરસામાં મે!રબી આગમન થયું, ત્યારે તત્ત્વશાષક જૈનના (હુંઢિયાના) પવિત્ર ઉપાશ્રયમાં પ્રસ્તુત શ`કરાલ શાસ્ત્રીના અષ્ટાવધાનને પ્રયાગ ચેાજાયેા હતેા. તેમાં અવલેાકનાથે આપણા આ ઉગતા કવિ -વિભૂષણ કવીશ્વર ’ રાજચંદ્રને પણ આમ ત્રણ હતું. આ અષ્ટાવધાન પ્રયેળ જેવા અવલેાક્યા તેવા જ આશુપ્રજ્ઞ શ્રીમદે શીઘ્ર ગ્રહણ કરી લીધેા, તરત જ શીખી લીધેા. બીજે દિવસે મેારખીના વસત • નામથી પ્રસિદ્ધ ઉદ્યાનમાં શ્રીમદ્દે પ્રથમ ખાનગીમાં આપ્ત મિત્રમંડળ સમક્ષ નવા નવા વિષયે લઇ ઉક્ત શાસ્ત્રીના પ્રયાગને ભૂલાવી ઘે એવે અષ્ટાવધાનપ્રયાગ કરી દેખાડી બધાને હેરત પમાડી દીધા, આશ્ચય ચક્તિ કરી દીધા. મિત્રા તે એટલા બધા હુ ઉત્સાહમાં આવી ગયા કે તેમણે આખા નગરમાં તેની પ્રસિદ્ધિ કરી દીધી, અને બીજે દિવસે તે જ પવિત્ર ઉપાશ્રયમાં તેમને જાહેર અવધાનપ્રયાગ ગેહવાયેા. તેમાં કવીશ્વર રાજચન્દ્રે બે હજાર પ્રેક્ષકેાની જંગી મેદનીની હાજરીમાં બાર અવધાનાને અદ્ભુત અદ્વિતીય પ્રયાગ કરી દેખાડી સર્વ કાઇને આશ્ચયથી સ્વિંગ કરી દીધા, મંત્રમુગ્ધ કરી દીધા. નવા નવા પ્રયાગાના ઉમંગી ને ઉછર્ગી શ્રીમદ્ આટલેથી અટકયા નહિ, પણ ભાર પછી હરિણફાળ ભરતા આ પુરુષસિંહે સાળ અને સેાળ પછી એકદમ ઠેકડા મારી ખાવન અને બાવન પછી હનુમાનકૂદકા મારી પરભાર્યા સે। અવધાને કરી દેખાડવા, અને આમ સ`કાળના વિક્રમ (Record) નેાંધાવી મહાપરાક્રમી શ્રીમદ્ પંદર-સાળ વર્ષોંની વયે ‘શતાવધાની ’કવિ તરિકે મુલકમશહુર બન્યા. શ્રીમદ્નના પ્રથમ અવધાનપ્રયાગના દર્શને લેાકેા કેવા હર્ષાવેશમાં આવી ગયા હતા તેના નમૂના શ્રીમદ્નના
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy