________________
દ્વિતીય આવૃત્તિની પ્રસ્તાવના એકસો આઠ (૧૦૮) શ્રી રાજનો, પામી સિદ્ધ પ્રસાદ; એકસો આઠ પ્રકરણ તણો, રઓ સિદ્ધપ્રાસાદ. (સ્વરચિત)
પુણ્યશ્લોક શ્રીમદ્ રાજચંદ્રના દિવ્ય ચરિત્રનું ગાન ગાતો આ ‘અધ્યાત્મ રાજચંદ્ર ગ્રંથ શ્રીમદ્ રાજચંદ્રશતાબ્દિના અપૂર્વ અવસરના ધન્ય પ્રસંગે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ સંચાલિત શ્રી પરમકૃત-પ્રભાવક મંડળ સંસ્થા દ્વારા પ્રસિદ્ધ થયો અને તેનું પ્રકાશન શ્રેય સંત શ્રી મણિભાઈ કલ્યાણજી શેઠને પ્રાપ્ત થયું. – જે પુણ્યાત્મા મુમુક્ષુએ આ ગ્રંથથી અત્યંત પ્રભાવિત થઈ, શ્રીમદ્ રાજચંદ્રનું દિવ્ય લોકોત્તર અધ્યાત્મચરિત્ર ઉત્કીર્તન કરતા અધ્યાત્મ રાજચંદ્ર પ્રત્યે પરમોલ્લાસભાવ સહજ અંતર ઉદ્ગારમાં અભિવ્યક્ત કર્યો_“આ અધ્યાત્મ રાજચંદ્ર’ વાંઆ સાંભળ્યા પછી ઓર અપૂર્વ ભાવ પરમકૃપાળુ દેવ અને શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત પ્રત્યે ફુર્યો છે.” વિશેષ પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવનામાં નિર્દિષ્ટ છે.
બીજી આવૃત્તિ પ્રથમ આવૃત્તિનું પુનઃમુદ્રણ (Re-print) છે, એટલે ઉમેરવાનું કાંઈ રહેતું નથી. સિવાય કે પાછળથી મળેલી એક અગત્યની નોંધ (પૃ. ૭૨૮) ઉમેરી છે, કે જે નોંધ શ્રીમદે સ્વમુખે પ્રકાશેલ સ્વદશા પર અપૂર્વ પ્રકાશ નાખે છે.
આ ગ્રંથ થોડા વખતમાં જ પ્રાય: અલભ્ય થઈ ગયો. એટલે આ દ્વિતીય આવૃત્તિ શ્રી પરમકૃતપ્રભાવક મંડળ દ્વારા પ્રકાશિત કરવાનો પ્રશસ્ત નિર્ણય કરી શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસના મહાનુભાવ ટ્રસ્ટીમંડળે જે ઉત્સાહથી પરમ પરમાર્થપ્રેમ–પરમભક્તિથી આ પ્રકાશન શ્રેયકાર્ય કર્યું તે માટે પુન: પુન: ધન્યવાદ!
શ્રીમદ્ જ્ઞાનથી સંપન્ન, વંદ્ય જે બુધવૃન્દને; ભગવાનદાસ તે વંદે, યોગીન્દ્ર રાજચંદ્રને. (સ્વરચિત)
ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા
એમ. બી. બી. એસ.
૫, કે. એમ. મુનશી માર્ગ (૫, ચોપાટી રોડ), મુંબઈ – ૪૦૦ ૦૦૭. ૨૦૪૬, આશો સુદ અષ્ટમી તા. ૨૭-૯-૧૯૯૦.