________________
મંગલમયી મોક્ષમાળાની અદ્દભુત સંકલના “સંસારમાં રહ્યા અનાથી અનાથ હતા તેમ પ્રત્યેક આત્મા તત્વજ્ઞાનની પ્રાપ્તિ વિના સદૈવ અનાથ જ છે. સનાથ થવા સદ્દદેવ, સદ્ધર્મ અને સદ્દગુરુને જાણવા અને ઓળખવા એ અવશ્યનું છે – એમ અશરણ ભાવનાથી વૈરાગ્યનું બીજ હૃદયમાં રોપવાપૂર્વક સામાન્ય સૂચના કરી, મોક્ષમાર્ગના મૂલભૂત સમ્યગદર્શનના ઉત્તમ આલંબનભૂત ત્રણ તત્વનું સદવતત્ત્વ, સદ્ધર્મતત્વ, સદગુરુતત્ત્વનું સમ્યક્ તાવિક સ્વરૂપ સંક્ષેપમાં સમજાવી એ તત્ત્વત્રયીના સભ્યશ્રદ્ધાનરૂ૫ સમ્યગદર્શનને આ મેક્ષમાર્ગ પ્રાસાદને ભવ્ય પાયો નાંખ્યો છે. અને આ તત્રયીની સભ્યશ્રદ્ધારૂપ સમ્યગ્દર્શન જેને પ્રાપ્ત થાય છે, તે સંસારમાં રહ્યા છતાં પણ ઉત્તમ શ્રાવકે ગૃહાશ્રમથી આત્મસાધનને સાધે છે, તેઓને ગ્રહાશ્રમ પણ વખણાય છે, એવા ઉત્તમ ગૃહસ્થનું આદર્શ આલેખન સંક્ષેપમાં કરી, મુમુક્ષુને જિનેશ્વરની ભક્તિમાં પ્રેરણું કરી છે, કારણકે મોક્ષ પામવા ઈચ્છતાને આત્મપુરુષાર્થની જાગૃતિ અર્થે જેણે સાક્ષાત્ મોક્ષની પ્રાપ્તિ કરી છે એવા જિનેશ્વરવીતરાગ પરમાત્મા પોતાના જીવતા જાગતા જવલંત દષ્ટાંતથી–આદર્શથી પરમ અવલંબનઆધારભૂત થઈ પડે છે. કારણકે “સર્વ કર્મદળ ક્ષય કરી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય અને સ્વસ્વરૂપમય થયા એવા જિનેશ્વરનું સ્વરૂપ આત્માની નિશ્ચયન રિદ્ધિ હોવાથી તે ભગવાનનું સ્મરણ, ચિંતવન, ધ્યાન અને ભક્તિ એ પુરુષાર્થતા આપે છે, વિકારથી આત્માને વિરક્ત કરે છે; શાંતિ અને નિર્જર આપે છે. જેમ તરવાર હાથમાં લેવાથી શૌર્યવૃતિ અને ભાંગ પીવાથી નિશે ઉત્પન્ન થાય છે, તેમ એ ગુણચિંતવનથી આત્મ સ્વસ્વરૂપાનંદની શ્રેણિએ ચઢતે જાય છે. દર્પણ જોતાં જેમ મુખાકૃતિનું ભાન થાય છે તેમ સિદ્ધ કે જિનેશ્વર સ્વરૂપનાં ચિંતવનારૂપ દર્પણથી આત્મસ્વરૂપનું ભાન થાય છે.” એમ જિનેશ્વર ભગવાનની ભક્તિથી અનુપમ લાભ વર્ણવી દેખાડી, “જિન ભક્તિ પ્રહ તરુ કલ્પ અહો! ભજિને ભગવંત ભવંત લો.” એ પરમ ભાવવાહી ધ્રુવપંક્તિવાળા અમર શબ્દોમાં ભક્તિનો ઉપદેશ આપી મુક્તિપ્રાસાદને ભક્તિરૂપ દઢ વજાપીઠિકાબંધ બાંધ્યો છે. મુક્તિ-પ્રાસાદ બાંધો હોય, તે પ્રથમ તેને સમ્યકત્વરૂપ મૂળ પાયો નાંખી પ્રભુભક્તિરૂપ દઢ પીઠિકાબંધ બાંધવો જોઈએ, તે જ તેનું સાનુબંધ ચણતર થયા કરે, તો જ તેની ઉપલી ભૂમિકાઓનું સર્જન થાય. એટલે જ જાણે અહીં ગર્ભિત સૂચન કર્યું છે કે-અહો ભવ્યજનો! મુક્તિકામી મુમુક્ષુઓ! તમે આ મુક્તિરૂપ અલૌકિક પ્રાસાદની પ્રભુભક્તિરૂપ દઢ ભૂમિકા બાંધે. સમ્યકૃત્વરૂપ મજબૂત પાયો નાંખે, કે જેથી કરીને અનુબંધથી તે મહાદિવ્ય પ્રાસાદનું સાંગોપાંગ નિર્માણ સંપૂર્ણ કરી, તેના પર મુક્તિરૂપ કળશ ચઢાવી, વસ્તુસ્વરૂપની સિદ્ધિરૂપ “વાસ્તુ કરાવી, તે અનુપમ પ્રાસાદમાં નિરંતર નિવાસ કરવાનું પરમ સૌભાગ્ય તમે પ્રાપ્ત કરે!—આમ પ્રારંભના ૧૫ પાઠમાં દયા મૂળ ધર્મનું મૂળ રેપી, કર્મબંધનથી છૂટવાની-મોક્ષની જિજ્ઞાસામમતા ઉપજાવી, પુરુષાર્થની પ્રેરણા કરી, વૈરાગ્યબીજ વાવી, સમ્યગ્દર્શનનો પાયે નાંખી અને તેને ભક્તિવાપીઠિકાબંધથી વજલેપ દઢ બનાવી, મુમુક્ષુ આત્માને ભક્તિવિનમ્ર કરી સમ્યક્ત્વમાર્ગે પ્રેર્યો. આ સતુભક્તિપ્રધાન સમ્યક્ત્વમૂલ સતત કાયમ