________________
અધ્યાત્મ રાજચંદ્ર જ નહિં પણ ભગવાન મહાવીરના સમયને “નિગ્રંથ' શબ્દ જે પ્રાયઃ વિસ્મરણ જેવો વા ગૌણ થઈ ગયો હતો, તેના આ કાળમાં પુનઃ સંસ્મરણ-પુનાજજીવન (revival) વડે તેનો મહિમાતિશય (glory) બંજિત કરી ભગવાન મહાવીરના નિગ્રંથ પ્રવચન પ્રત્યે પોતાની અનન્ય ભક્તિ દાખવી છે,–તે વસ્તુ પણ શ્રીમદની અપૂર્વ ભક્તિ પ્રત્યે સુજ્ઞ વાચકને નતમસ્તક કરે એવી અદ્ભુત છે. ભગવાન્ મહાવીરપ્રણીત નિથ પ્રવચનને–વીતરાગદર્શનને ઉદ્ઘોષ કરનારા આ ગ્રંથની પ્રસ્તાવના–મુખમુદ્રામાં કર્તાએ પોતે જ કહ્યું છે તેમ-આ ગ્રંથમાં તત્વજ્ઞાનને અને સશીલને બંધ કર્યો છે; અથવા તે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ રત્નત્રયીમય મોક્ષમાર્ગને લગતા શિક્ષાપાઠનો બોધ કર્યો છે. તસંબંધી સંકલના હવે સંક્ષેપે વિચારશું.
ગ્રંથની આદિમાં જ આ આર્ષદ્રષ્ટાએ-“ભાષાજ્ઞાનનાં પુસ્તકની પેઠે આ પુસ્તક પઠન કરવાનું નથી, પણ મનન કરવાનું છે, તેથી આ ભવ અને પરભવ બનેમાં તમારું હિત થશે. ભગવાનનાં કહેલાં વચનોનો એમાં ઉપદેશ કર્યો છે. તમે આ પુસ્તકનો વિનય અને વિવેકથી ઉપગ કરજો; વિય અને વિવેક એ ધર્મના મૂળ હેતુઓ છે?—એમ વાંચનારને ભલામણ કરી, મંગલ આશિ અપ આદિ મંગલ કર્યું છે. દયામય ધર્મ એ સર્વમાન્ય ધર્મ છે એમ દર્શાવી, આ ગ્રંથને વિષય સાર્વજનિક ઉપયોગી છે એમ ગર્ભિતપણે સૂચવી, “એ ભવતારક સુંદર રાહ, ધરીયે તરિયે કરી ઉત્સાહ-એમ વાંચકને સર્વ ધર્મના મૂળરૂપ આ દયાધર્મ પ્રત્યે અપૂર્વ ઉત્સાહ પ્રેર્યો છે. આ “મેક્ષમાળા'માં મોક્ષ શું તે જાણવા પ્રથમ તેને પ્રતિપક્ષ કર્મ જાણ જોઈએ તે અર્થે કર્મબંધનથી મૂકાવું છૂટવું તેનું નામ જ મોક્ષ, એ ભાવ હૃદયમાં ધારી, કર્મના ચમત્કાર દર્શાવવા કેટલીક સામાન્ય વિચિત્રતાઓનું તાદશ્ય સુંદર શબ્દચિત્ર આલેખ્યું છે. આ કર્મબંધનથી સર્વથા છૂટી મોક્ષ પામવાની યોગ્યતા એક માત્ર માનવદેહમાં જ છે, એ સ્પષ્ટ સમજાવી, “આપણને મળેલ આ બહુ દુર્લભ માનવદેહ સફળ કરી લે એ અવશ્યનું છે, મોતની પળ નિશ્ચય આપણે જાણી શકતા નથી, માટે જેમ બને તેમ ધર્મમાં ત્વરાથી સાવધાન થવું, એમ ઉતાવળે આત્મસાર્થક કરી લેવું” એમ પુરુષાર્થની પ્રેરણા કરી છે. કારણકે “સંસારમાં અશરણુતા અને અનંત અનાથતા છવાઈ રહી છે, તેને ત્યાગ ઉત્તમ તત્ત્વજ્ઞાન અને પરમ શીલને સેવવાથી જ થાય છે” –એમ અનાથી મુનિના અદ્દભુત હૃદયંગમ ઉત્તમ કવિત્વપૂર્ણ ભાષામાં વર્ણવેલ ચરિત્રથી સમજાવી, “આખું જગત-ચક્રવત્તી પર્યત અશરણ અને અનાથ છે.૪૪ આપણે આત્મા જ દુઃખની ભરેલી વૈતરણી કરનાર છે, આપણે આત્મા જ ક્રૂર સામેલી વૃક્ષનાં દુઃખને ઉપજાવનાર છે; આપણે આત્મા જ વંછિત વસ્તુરૂપી દુધની દેવાવાળી કામધેનુ સુખ ઉપજાવનાર છે, આપણો આત્મા જ નંદનવનની પેઠે આનંદકારી છે. આપણે આત્મા જ કર્મને કરનાર છે. આપણો આત્મા જ કર્મને ટાળનાર છે; આપણો આત્મા જ દુઃખે પાર્જન કરનાર છે, અને આપણો આત્મા જ સુખોપાર્જન કરનાર છે. આપણે આત્મા જ મિત્ર ને આપણો આત્મા જ વૈરી છે, ઈ. સદ્ગુરુમુખે સદ્બોધ આપી “મૈવ પુજારના સામૈવ વુિvirમન એ ગીતાવાકયનો પ્રતિધ્વનિ કર્યો છે. જેમ