SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ રાજચંદ્ર તત્ત્વજ્ઞાન અને સીલ મેધનારૂ, મેાક્ષમાર્ગનું સીજ રોપનારૂ, જ્ઞાન--ક્રિયાનું સમ્યગ્ સમન્વિતપણું નિરૂપનારૂ, મા પેાતાનુ નવસન સમથ થશે એવા પૂરેપૂરા નિરભિમાન આત્મભાન સાથે શ્રીમદ્દે મને મેાક્ષમાળા એવું સાન્વય સમુચિત નામ આપવાનું સમુચિત માન્યું છે, ‘મેાક્ષમાળા’ એવું ગ્રંથનું જે આ પરમ ગૌરવપૂર્ણ નામ રાખ્યું છે, તે જ તેનું ગુણનિષ્પન્ન ગુણગણગૌરવ સૂચવે છે. આ ગ્રંથની મુખમુદ્રામાં જ શ્રીમદ્ સ્વચ' શ્રીમુખે પ્રકાશે છે કે-આ ગ્રંથ સ્યાદ્વાદ તત્ત્વાવષેાધ વૃક્ષનું ખીજ છે. તત્ત્વજિજ્ઞાસા ઉત્પન્ન કરી શકે એવું એમાં કઈ અંશે દૈવત રહ્યું છે; એ સમભાવથી કહું છઉં. ખહુ ઊંડા ઉતરતાં આ મેાક્ષમાળા મેાક્ષના કારણરૂપ થઈ પડશે. મધ્યસ્થતાથી એમાં તત્ત્વજ્ઞાન અને શીલ ખેાધવાના ઉદ્દેશ છે.’ તેમજ–ત્યાં જ તેઓશ્રીએ વિશેષ પ્રકાશ્યું છે કે આ પુસ્તક પ્રસિદ્ધ કરવાના મુખ્ય હેતુ ઉછરતા ખાળયુવાને અવિવેકી વિદ્યા પામી આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે, તે ભ્રષ્ટતા અટકાવી, તેમને આત્મહિત ભણી લક્ષ કરાવવાના પણ છે.' આ પરથી આ આદૃષ્ટા મહર્ષિં સમા આ ગ્રંથકર્તાના આ ગ્રંથ ગૂંથવાના ઉદ્દાત્ત ઉદ્દેશ અને ઉત્તમ પ્રત્યેાજન સ્વયં સ્પષ્ટ થાય છે. શુદ્ધ નિઃસ્પૃહ આત્મા અર્થ-પરમા અર્થે પરમા પ્રેમથી નિલ જ્ઞાનદાન દેવું એ જ્ઞાનદાનેશ્વરી વક્તાનું (કર્તાનું) અનંતર (Immediate) પ્રચાજન છે અને તેથી પેાતાના આત્માને મહાન નિરાના લાભ પ્રાપ્ત થઈ અનુક્રમે મેાક્ષની પ્રાપ્તિ થાય એ પરંપર (Remote, Ultimate) પ્રયાજન છે; શુદ્ધ જિજ્ઞાસુ આત્મા અર્થે વિનમ્ર વિનયાન્વિત શિષ્યબુદ્ધિથી નિલ જ્ઞાનદાન લેવું એ શ્વેતાનું અનંતર પ્રયાજન છે, અને તે જ્ઞાનને અનુરૂપ સીલરૂપ આચરણથી—હેય–જ્ઞેય–ઉપાદેયના વિવેકરૂપે તે પ્રાપ્ત જ્ઞાનને ‘ક્રિયામાં’– આચરણમાં મૂકવાથી આત્માની મલવિશુદ્ધિ કરી અનુક્રમે મેાક્ષપ્રાપ્તિ કરવી એ શ્રેાતાનું પર પર પ્રત્યેાજન છે. નવકારવાળીની જેમ એકસેા આઠ પાઠ ધરાવનારી આ મંગલમયી મેાક્ષમાળા (બાલાવબેધ) ના પ્રયાજન અંગે કર્તા પુરુષ શ્રીમદ્ સ. ૧૯૪૫ના એક પત્રમાં (અં. ૬૯) સ્વય લખે છે–‘જિનેશ્વરનાં સુંદર માથી એમાં એક્કે વચન વિશેષ નાંખવા પ્રયત્ન કર્યું નથી. જેમ અનુભવમાં આવ્યું અને કાળભેદ જોયા તેમ મધ્યસ્થતાથી એ પુસ્તક લખ્યું છે.’ તેમજ આગળ જતાં સ. ૧૯૫૫માં એક પ્રસ`ગે તેમણે આ પ્રયજનને એર સ્પષ્ટ કરતાં લખ્યું છે-જૈનમાર્ગને સમજાવવા તેમાં પ્રયાસ કર્યો છે. જિનાક્ત માગથી કંઈ પણ ન્યૂનાષિક તેમાં કહ્યું નથી. વીતરાગમાગ પર આબાલવૃદ્ધની રુચિ થાય, તેનું સ્વરૂપ સમજાય, તેનું ખીજ હૃદયમાં રોપાય તેવા હેતુએ આલાવાધરૂપ યોજના તેની કરી છે. તે શૈલી તથા તે મેષને અનુસરવા પણ એ નમુના આપેલ છે. એને પ્રજ્ઞાવધ ભાગ ભિન્ન છે તે કેાઈ * કરશે.' (શ્રીમદ્ રાજચંદ્ર, અં૯૫૬-૭) * આ આષ્ટાની આ વિષ્યવાણીના પચાશ વર્ષ પછી-અર્ધશતાબ્દિ પછી સત્ય કાર થવાનું કઇ પણ નિમિત્ત આ ચરિત્રાલેખક થયા હોય તો તે તેનુ સદ્ભાગ્ય છે; કારણકે આ આદ્રષ્ટાએ સૂચિત કરેલ સૂચિ પ્રમાણે આ ચરત્રાલેખકે પ્રજ્ઞાવધ મેાક્ષમાળાની રચના કરવાના યત્કિંચિત્ પ્રયાસ કરેલ છે, અને મુખ્યપણે ગદ્ય તથા આઠ દશ સ્થળે પદ્ય એવી બાલાવધ મેાક્ષમાળાના માધ અને શૈલીના આ નમુના (Model) પ્રમાણે જ મુખ્યપણે ગદ્ય અને આઠ શ યથાયેાગ્ય સ્થળે પદ્મ એવી આ પ્રજ્ઞાવમાધ મેાક્ષસાળા ની રચનાની આજ્ઞા યથાવત્ નિર્વાહિત કરી તે નમુનાને બરાબર અનુસરેલ છે.
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy