SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ આ સમયે ઉપનું, જે માટે વ્યવહાર નય તે ઉપના પછી ઉપનું કહે છે. આ ક્રિયાકાલ-નિષ્ઠાકાલ ભિન્ન સમયે માને છે, અને નિશ્ચયનય ઉપજતાંવેલા ઉપનું કહે છે, માટે નિશ્ચયનય ક્રિયાકાલ-નિષ્ઠાકાલ એક માને છે ઈતિ! એ રીતે વિશેષાવશ્યકમાં ચર્ચા કરી છે; પણિ બારમા ગુણઠાણાને ચરમ-સમયે કેવલજ્ઞાન એહવું તો કિહિઈ લિખ્યું નથી ! જો તે બારમાને છેહલે સમયે કેવલજ્ઞાન ઉપનું લિખ્યું હોત તો ચૌદમાને છેહલે સમયે સિદ્ધ ઈમ કહેવાત તેતો નથી! તે માટે લગતે સમયે સિદ્ધિ ઈતિ! વલી સુયડાંગ સૂત્રમાં કેવલી ભગવાનને ઈરિયાવહિ સંબંધી શાતા વેદનીનો બંધ કહ્યો છે તિહાં એવો પાઠ છે જે, “તમે બંધઈ. બીએ વેઅઈ તઈએ ગિજ્જરેઈ” પ્રથમ સમયે બાંધે, બીજે સમયે વેદ, ત્રીજે સમયે નિર્જરે, એહમાં પરિવેદવાર્તે સમયે નિર્જરા નથી કહીં, તિવારે ઈમ ઠર્યું જે વેદનાને લગતે સમઈ નિર્જરા. એ રીતે ચૌદમાને છેહલે સમયે ૧૨ પ્રકૃતિનું વેદવું અને તેમને લગતે સમયે નિર્જરા, અને નિર્જરા તથા સિદ્ધિનો સમય તે એક, જે સમયે નિર્જરા તે સમયે સિદ્ધિ એ રીતિ છે! વલી કોઈ કહેચ્ચે જ એક સમયમાં ઉત્પાદ-વ્યય કિમ થાય? તેહને કહિએ, જે સિદ્ધિને સમયે સકર્મા-પર્યાયનો વ્યય, સિદ્ધિજ પર્યાયનો ઉત્પાદ એ પણિ પ્રગટ છે; શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ૭૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005259
Book TitleJain Patra Sahitya Part 02
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2003
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy