SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ જ લયલીન રહેવું જોઈએ. ખરેખરૂં ભાવ ઔષધ એ જ છે. શરીર જ્યારે પોતાની જાત ઉપર જાય ત્યારે આત્માએ પોતાની જાતનો પણ શરીરને અનુભવ કરાવવો જોઈએ. આ વાત તમને સમજાવવી પડે તેમ નથી. માત્ર તેમને તેમની સમજનો ઉપયોગ રાખવાનું યાદ કરાવવું જરૂરી છે. આ યાદ કરવાનું સૂચન કરવા પૂર્વક અનુવંદના જણાવવા સાથે તેમને સુખશાતા પૂછશો. (પા. નં. ૪૧) અનુવંદનાદિ... સ્વાધ્યાયમાં એવો રસ કેળવો શરીરને પણ ભૂલી જવાય. એવી દશા જ આ જન્મને સફળ બનાવી પરલોક સુધારી પરમપદ વહેલું પમાય એવી સુંદર શક્તિ પમાડશે. એવી શક્તિ તમે પામો અને સાથીઓને પમાડો એ જ એકની એક સદાની શુભાભિલાષા. (પા. નં. ૪૪) અનુવંદનાદિ.. શરીર કષ્ટ એ આત્માને લાભદાયી છે. આ વાત ધ્યાનમાં રાખી સુંદર જીવન એવું જીવો કે જેથી આ જન્મ અજન્માવસ્થામાં પરિણમે એ સિવાય શાશ્વત શાન્તિ મળવાની નથી. માટે ખૂબ સાવચેતીભર્યું જીવન જીવો એ જ એકની એક શુભાભિલાષા. (પા. નં. ૪૬) શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ. (૪૧૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005259
Book TitleJain Patra Sahitya Part 02
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2003
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy