________________
જ લયલીન રહેવું જોઈએ. ખરેખરૂં ભાવ ઔષધ એ જ છે. શરીર
જ્યારે પોતાની જાત ઉપર જાય ત્યારે આત્માએ પોતાની જાતનો પણ શરીરને અનુભવ કરાવવો જોઈએ. આ વાત તમને સમજાવવી પડે તેમ નથી. માત્ર તેમને તેમની સમજનો ઉપયોગ રાખવાનું યાદ કરાવવું જરૂરી છે. આ યાદ કરવાનું સૂચન કરવા પૂર્વક અનુવંદના જણાવવા સાથે તેમને સુખશાતા પૂછશો.
(પા. નં. ૪૧)
અનુવંદનાદિ...
સ્વાધ્યાયમાં એવો રસ કેળવો શરીરને પણ ભૂલી જવાય. એવી દશા જ આ જન્મને સફળ બનાવી પરલોક સુધારી પરમપદ વહેલું પમાય એવી સુંદર શક્તિ પમાડશે. એવી શક્તિ તમે પામો અને સાથીઓને પમાડો એ જ એકની એક સદાની શુભાભિલાષા.
(પા. નં. ૪૪)
અનુવંદનાદિ..
શરીર કષ્ટ એ આત્માને લાભદાયી છે. આ વાત ધ્યાનમાં રાખી સુંદર જીવન એવું જીવો કે જેથી આ જન્મ અજન્માવસ્થામાં પરિણમે એ સિવાય શાશ્વત શાન્તિ મળવાની નથી. માટે ખૂબ સાવચેતીભર્યું જીવન જીવો એ જ એકની એક શુભાભિલાષા.
(પા. નં. ૪૬)
શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ.
(૪૧૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org