SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનમાં ચરિતાર્થ થયા હતા. આ પત્રો સૌ કોઈને માટે અંતિમ સમાધિમાં અનન્ય પ્રેરક બને છે. અત્રે ઉદાહરણ રૂપે કેટલાક પત્રો પ્રગટ કરવામાં આવ્યા છે. (૧) અનુવંદનાદિ... આજના યુગના વાંચનથી ૫૨ બની શાસ્ત્રોનો અભ્યાસ કરવાથી તમને લાભ અનુભવાયો એની ભૂરિ ભૂરિ અનુમોદના. શાસ્ત્રોનો અભ્યાસ અને ધર્મકથાઓનું વાંચન જીવનમાં એવું બનાવી દો કે જેથી જીવન સમ્યજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યક્ચારિત્ર અને સમ્યકૃતપથી ઝગઝગી ઉઠે. એ જ આ ભયંકર સંસારથી બચવાનો અને શિવસુખ પામવાનો રાજમાર્ગ છે. તમે એવા બની તમારા ઉપકારીઓને ખૂબ ખૂબ આનંદ આપનારા બનો અને સાથીઓ તથા આશ્રિતોને સન્માર્ગમાં ઝીલનારા બનાવો. એ જ એકની એક અને સદાને માટેની શુભાભિલાષા. (પા. નં. ૨૮) (૨) અનુવંદના... સુખશાતા સાથે લખવાનું કે ભારે અશાતાને શાતાની માફક વેદી નિર્જરા સાધી રહ્યા છો એની ખૂબ ખૂબ આનંદપૂર્વક અનુમોદના. તમારા જેવા માટે અશાતા પણ નિર્જરા અને પુણ્યાનુબંધી પુણ્યનું જ કારણ બને એમાં શક નથી. ખૂબ સમાધિમગ્ન સુંદ૨ આરાધના અને સ્વાધ્યાયમય જીવન જીવ સારા પરિવાર માટે દૃષ્ટાંત ભૂત બની સ્વપરની શ્રી સિદ્ધગતિ ખૂબ નજીક બનાવી આત્મસ્વરૂપમાં શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ. Jain Education International ૪૧૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005259
Book TitleJain Patra Sahitya Part 02
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2003
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy